હાથમાં શ્રીમદ ભગવત ગીતા અને ચહેરા પર સ્મિત, મહેન્દ્ર સિંહ ધોનીની આ તસવીર થઈ વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-01 18:23:48

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની કપ્તાની હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2023નો ખિતાબ જીત્યો છે. ચેન્નાઇએ ગયા સોમવારે રિઝર્વ ડે પર રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ (CSK vs GT)ને હરાવ્યું હતું. ચેન્નાઈને મેચના છેલ્લા બોલ પર જીત મળી હતી. ચેન્નાઈની સાથે મહેન્દ્ર સિંહ ધોનીનું આ 5મું IPLટાઈટલ છે. ધોની, જેણે છેલ્લે 2019 માં આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, તેણે ઘૂંટણની ઈજા સામે લડતા ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. 


ભગવત ગીતા સાથેનો ફોટો વાયરલ


મહેન્દ્ર સિંહ ધોનીને ઘૂંટણની સર્જરી માટે મુંબઈની કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં ધોનીના હાથમાં શ્રીમદ ભગવત ગીતા છે. કારમાં ફોટો ધોની ફોટોગ્રાફરને ગીતા બતાવી સ્મિત કરતો જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ધોનીને IPLની 16મી સિઝનની પ્રથમ મેચમાં ડાબા પગના ઘૂટણમાં ઈજા પહોંચી હતી. તે ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં એક બોલને અટકાવવા જતા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.


ફેન્સએ કરી પ્રશંસા


મહેન્દ્ર સિંહ ધોનીની ભગવત ગીતા સાથેની આ તસવીર તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ધોનીના હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા છે અને ચહેરા પર સ્મિત છે. એક ફેન્સે લખ્યું દુનિયાના સૌથી મહાન લીડર, દુનિયાની સૌથી શ્રેષ્ઠ પુસ્તક વાંચી રહ્યો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.