હાથમાં શ્રીમદ ભગવત ગીતા અને ચહેરા પર સ્મિત, મહેન્દ્ર સિંહ ધોનીની આ તસવીર થઈ વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-01 18:23:48

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની કપ્તાની હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2023નો ખિતાબ જીત્યો છે. ચેન્નાઇએ ગયા સોમવારે રિઝર્વ ડે પર રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ (CSK vs GT)ને હરાવ્યું હતું. ચેન્નાઈને મેચના છેલ્લા બોલ પર જીત મળી હતી. ચેન્નાઈની સાથે મહેન્દ્ર સિંહ ધોનીનું આ 5મું IPLટાઈટલ છે. ધોની, જેણે છેલ્લે 2019 માં આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, તેણે ઘૂંટણની ઈજા સામે લડતા ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. 


ભગવત ગીતા સાથેનો ફોટો વાયરલ


મહેન્દ્ર સિંહ ધોનીને ઘૂંટણની સર્જરી માટે મુંબઈની કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં ધોનીના હાથમાં શ્રીમદ ભગવત ગીતા છે. કારમાં ફોટો ધોની ફોટોગ્રાફરને ગીતા બતાવી સ્મિત કરતો જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ધોનીને IPLની 16મી સિઝનની પ્રથમ મેચમાં ડાબા પગના ઘૂટણમાં ઈજા પહોંચી હતી. તે ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં એક બોલને અટકાવવા જતા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.


ફેન્સએ કરી પ્રશંસા


મહેન્દ્ર સિંહ ધોનીની ભગવત ગીતા સાથેની આ તસવીર તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ધોનીના હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા છે અને ચહેરા પર સ્મિત છે. એક ફેન્સે લખ્યું દુનિયાના સૌથી મહાન લીડર, દુનિયાની સૌથી શ્રેષ્ઠ પુસ્તક વાંચી રહ્યો છે.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.