હાથમાં શ્રીમદ ભગવત ગીતા અને ચહેરા પર સ્મિત, મહેન્દ્ર સિંહ ધોનીની આ તસવીર થઈ વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-01 18:23:48

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની કપ્તાની હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2023નો ખિતાબ જીત્યો છે. ચેન્નાઇએ ગયા સોમવારે રિઝર્વ ડે પર રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ (CSK vs GT)ને હરાવ્યું હતું. ચેન્નાઈને મેચના છેલ્લા બોલ પર જીત મળી હતી. ચેન્નાઈની સાથે મહેન્દ્ર સિંહ ધોનીનું આ 5મું IPLટાઈટલ છે. ધોની, જેણે છેલ્લે 2019 માં આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, તેણે ઘૂંટણની ઈજા સામે લડતા ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. 


ભગવત ગીતા સાથેનો ફોટો વાયરલ


મહેન્દ્ર સિંહ ધોનીને ઘૂંટણની સર્જરી માટે મુંબઈની કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં ધોનીના હાથમાં શ્રીમદ ભગવત ગીતા છે. કારમાં ફોટો ધોની ફોટોગ્રાફરને ગીતા બતાવી સ્મિત કરતો જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ધોનીને IPLની 16મી સિઝનની પ્રથમ મેચમાં ડાબા પગના ઘૂટણમાં ઈજા પહોંચી હતી. તે ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં એક બોલને અટકાવવા જતા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.


ફેન્સએ કરી પ્રશંસા


મહેન્દ્ર સિંહ ધોનીની ભગવત ગીતા સાથેની આ તસવીર તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ધોનીના હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા છે અને ચહેરા પર સ્મિત છે. એક ફેન્સે લખ્યું દુનિયાના સૌથી મહાન લીડર, દુનિયાની સૌથી શ્રેષ્ઠ પુસ્તક વાંચી રહ્યો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.