હાથમાં શ્રીમદ ભગવત ગીતા અને ચહેરા પર સ્મિત, મહેન્દ્ર સિંહ ધોનીની આ તસવીર થઈ વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-01 18:23:48

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની કપ્તાની હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2023નો ખિતાબ જીત્યો છે. ચેન્નાઇએ ગયા સોમવારે રિઝર્વ ડે પર રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ (CSK vs GT)ને હરાવ્યું હતું. ચેન્નાઈને મેચના છેલ્લા બોલ પર જીત મળી હતી. ચેન્નાઈની સાથે મહેન્દ્ર સિંહ ધોનીનું આ 5મું IPLટાઈટલ છે. ધોની, જેણે છેલ્લે 2019 માં આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, તેણે ઘૂંટણની ઈજા સામે લડતા ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. 


ભગવત ગીતા સાથેનો ફોટો વાયરલ


મહેન્દ્ર સિંહ ધોનીને ઘૂંટણની સર્જરી માટે મુંબઈની કોકિલા બેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં ધોનીના હાથમાં શ્રીમદ ભગવત ગીતા છે. કારમાં ફોટો ધોની ફોટોગ્રાફરને ગીતા બતાવી સ્મિત કરતો જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ધોનીને IPLની 16મી સિઝનની પ્રથમ મેચમાં ડાબા પગના ઘૂટણમાં ઈજા પહોંચી હતી. તે ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં એક બોલને અટકાવવા જતા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.


ફેન્સએ કરી પ્રશંસા


મહેન્દ્ર સિંહ ધોનીની ભગવત ગીતા સાથેની આ તસવીર તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ધોનીના હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા છે અને ચહેરા પર સ્મિત છે. એક ફેન્સે લખ્યું દુનિયાના સૌથી મહાન લીડર, દુનિયાની સૌથી શ્રેષ્ઠ પુસ્તક વાંચી રહ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે