સોશિયલ મીડિયા પર છવાયા કેપ્ટન કૂલ! ફ્લાઈટમાં મુસાફરી કરતા ધોનીના વીડિયોથી લોકોએ કેમ ડાઉનલોડ કરી કેન્ડી ક્રશ ગેમ?


  • Published By :
  • Published Date : 2023-06-26 15:13:43

એમ.એસ ધોની હંમેશા લાઈમલાઈટથી દૂર પોતાના પરિવાર સાથે સમય વીતાવતા દેખાય છે. કોઈ તેમને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન તરીકે ઓળખે છે તો કોઈ તેમને કૂલ કેપ્ટન તરીકે ઓળખે છે. અનેક યુવાઓ તેમને પોતાનો આઈકોન માને છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ફ્લાઈટની ઈકોનોમી ક્લાસમાં મૂસાફરી કરી રહ્યા છે. યાત્રા દરમિયાન ધોની પાસે એક એર હોસ્ટેસ આવે છે અને તેમને ચોકલેટથી ભરેલી ટ્રે તેમને આપે છે. સાથે જ એક લેટર માહીને આપે છે, જેને વાંચી માહી હસી રહ્યા છે. આ આખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે એ વીડિયોમાં માહી કેન્ડી ક્રશ રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતાં કરોડો લોકોએ કેન્ડી ક્રશ ડાઉન્લોડ કરી લીધી હતી.

  

ભરેલી ચોકલેટની ટ્રેમાંથી માત્ર એક ચોકલેટ લીધી

કંપનીની બ્રાન્ડીંગ કરતા આપણે અનેક કલાકારો, અભિનેતાઓને જોયા હશે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં માહી પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છે. આ દરમિયાન એક એર હોસ્ટેસ ચોકલેટ ભરેલી ટ્રે તેમની સામે લાવે છે. ટ્રેને હોસ્ટેસ ધોનીની બાજુમાં રાખે છે પરંતુ તેમાંથી ધોની માત્ર એક ચોકલેટ લઈ રહ્યા છે. સાથે જ એર હોસ્ટેસનો આભાર પણ માને છે. અને સાથે એક લેટર આપે છે. વાંચીને માહી ખુશ થઈ સ્માઈલ કરે છે. 


લાખો લોકોએ કેન્ડી ક્રશને કરી લીધી ડાઉનલોડ

આ સમગ્ર ઘટનાનું કેપ્ચર એક મુસાફરે કરી લીધું હતું. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ધોની કેન્ડી ક્રશ રમતા દેખાઈ રહ્યા છે. ટેબલ પર ધોની કેન્ડી ક્રશ રમતા જોવા મળી રહ્યા છે. ધોનીના ચાહકો જ્યારે જોયું કે તેમના ધોની ભાઈ કેન્ડી ક્રશ રમી રહ્યા છે તો પછી બીજું જોઈએ શું. લોકોએ ધનાધન કેન્ડી ક્રશ ગેમને ડાઉન્લોડ કરી દીધી. ટ્વિટર પર પણ કેન્ડી ક્રશ ટ્રેન્ડ થવા લાગ્યું અને એક અંદાજ પ્રમાણે વીડિયો વાયરલ થયાના 3 કલાકની અંદર જ લાખો લોકોએ ગેમને ડાઉન્ડલોડ કરી લીધી હતી. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.