સોશિયલ મીડિયા પર છવાયા કેપ્ટન કૂલ! ફ્લાઈટમાં મુસાફરી કરતા ધોનીના વીડિયોથી લોકોએ કેમ ડાઉનલોડ કરી કેન્ડી ક્રશ ગેમ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-26 15:13:43

એમ.એસ ધોની હંમેશા લાઈમલાઈટથી દૂર પોતાના પરિવાર સાથે સમય વીતાવતા દેખાય છે. કોઈ તેમને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન તરીકે ઓળખે છે તો કોઈ તેમને કૂલ કેપ્ટન તરીકે ઓળખે છે. અનેક યુવાઓ તેમને પોતાનો આઈકોન માને છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ફ્લાઈટની ઈકોનોમી ક્લાસમાં મૂસાફરી કરી રહ્યા છે. યાત્રા દરમિયાન ધોની પાસે એક એર હોસ્ટેસ આવે છે અને તેમને ચોકલેટથી ભરેલી ટ્રે તેમને આપે છે. સાથે જ એક લેટર માહીને આપે છે, જેને વાંચી માહી હસી રહ્યા છે. આ આખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે એ વીડિયોમાં માહી કેન્ડી ક્રશ રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતાં કરોડો લોકોએ કેન્ડી ક્રશ ડાઉન્લોડ કરી લીધી હતી.

  

ભરેલી ચોકલેટની ટ્રેમાંથી માત્ર એક ચોકલેટ લીધી

કંપનીની બ્રાન્ડીંગ કરતા આપણે અનેક કલાકારો, અભિનેતાઓને જોયા હશે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં માહી પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છે. આ દરમિયાન એક એર હોસ્ટેસ ચોકલેટ ભરેલી ટ્રે તેમની સામે લાવે છે. ટ્રેને હોસ્ટેસ ધોનીની બાજુમાં રાખે છે પરંતુ તેમાંથી ધોની માત્ર એક ચોકલેટ લઈ રહ્યા છે. સાથે જ એર હોસ્ટેસનો આભાર પણ માને છે. અને સાથે એક લેટર આપે છે. વાંચીને માહી ખુશ થઈ સ્માઈલ કરે છે. 


લાખો લોકોએ કેન્ડી ક્રશને કરી લીધી ડાઉનલોડ

આ સમગ્ર ઘટનાનું કેપ્ચર એક મુસાફરે કરી લીધું હતું. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ધોની કેન્ડી ક્રશ રમતા દેખાઈ રહ્યા છે. ટેબલ પર ધોની કેન્ડી ક્રશ રમતા જોવા મળી રહ્યા છે. ધોનીના ચાહકો જ્યારે જોયું કે તેમના ધોની ભાઈ કેન્ડી ક્રશ રમી રહ્યા છે તો પછી બીજું જોઈએ શું. લોકોએ ધનાધન કેન્ડી ક્રશ ગેમને ડાઉન્લોડ કરી દીધી. ટ્વિટર પર પણ કેન્ડી ક્રશ ટ્રેન્ડ થવા લાગ્યું અને એક અંદાજ પ્રમાણે વીડિયો વાયરલ થયાના 3 કલાકની અંદર જ લાખો લોકોએ ગેમને ડાઉન્ડલોડ કરી લીધી હતી. 



ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.