ભારતની પાકિસ્તાન સામે શાનદાર જીત, રિઝવાન આઉટ થતા પ્રેક્ષકોએ લગાવ્યા જય શ્રી રામના નારા, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-10-15 10:10:02

ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવીને તેનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાયેલી અત્યાર સુધીની તમામ વર્લ્ડ કપ મેચમાં ભારતે તેના કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને હરાવ્યું છે આ વખતે પણ આ સિલસિલો જળવાઈ રહ્યો છે. 14 ઓક્ટોબરે યોજાયેલી મેચમાં પાકિસ્તાનની સમગ્ર ટીમ માત્ર 191 રનમાં ધરાશાઈ થઈ ગઈ હતી, ભારતે 3 વિકેટ ગુમાવીને 30.3 ઓવરમાં 192 રન બનાવી સરળતાથી જીત મેળવી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને સાત વિકેટે હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું, જો કે આ મેચ દરમિયાન પાકિસ્તાની ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન તેની તેની વિકેટ ગુમાવી પવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે ટીમ ઈન્ડિયાના ફેન્સએ સ્ટેડિયમમાં જય શ્રી રામ...જય શ્રી રામના નારા લગાવ્યા હતા. રિઝવાનને ચીડવતા ભારતીય પ્રેક્ષકોનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


શા માટે લગાવ્યા જય શ્રી રામના નારા?


પાકિસ્તાની ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને શ્રીલંકા સામે સદી ફટકાર્યા પછી તે મેન ઓફ ધ મેચ બન્યો હતો અને ત્યાર બાદ તે સદી ગાઝાના લોકોને સમર્પિત કરી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા અને ICCને આ મુદ્દે કડક એક્શન લેવાની માગ કરી હતી. રિઝવાને તેની શાનદાર ઇનિંગ બાદ ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી. તેણે લખ્યું, "આ (ઈનિંગ) ગાઝામાં અમારા ભાઈઓ અને બહેનો માટે હતી. જીતમાં યોગદાન આપીને સારું લાગ્યું. આ જીતનો શ્રેય આખી ટીમ અને ખાસ કરીને અબ્દુલ્લા શફીક અને હસન અલીને જાય છે. "જેમણે તેને સરળ બનાવ્યું. હૈદરાબાદના લોકોના અદ્ભુત આતિથ્ય અને સમર્થન માટે હું ખૂબ આભારી છું."


આ મામલે ICCએ શું કહ્યું? 


મોહમ્મદ રિઝવાને 10 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પોસ્ટ કરી શ્રીલંકા સામેની તેની સદી ગાઝાના લોકોને સમર્પિત કરી હતી. મોહમ્મદ રિઝવાનના આ ટ્વીટ બાદ ICC પાસે કાર્યવાહીની માંગ ઉઠી હતી. મોહમ્મદ રિઝવાનની આ પોસ્ટ પછી ભારતના લોકો ગુસ્સે થઈ ગયા અને સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા કરવા લાગ્યા હતા. ભારતના લોકોએ આઈસીસીને આ મુદ્દે પગલાં લેવા જણાવ્યું હતું. હવે ICCએ આ અંગે નિવેદન આપતા કહ્યું છે કે, "આ મુદ્દો મેદાનની બહારનો છે. તે તેમના વિસ્તારમાં નથી. આ વ્યક્તિગત અને તેના બોર્ડનો મામલો છે."



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.