ભારતની પાકિસ્તાન સામે શાનદાર જીત, રિઝવાન આઉટ થતા પ્રેક્ષકોએ લગાવ્યા જય શ્રી રામના નારા, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-10-15 10:10:02

ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવીને તેનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાયેલી અત્યાર સુધીની તમામ વર્લ્ડ કપ મેચમાં ભારતે તેના કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને હરાવ્યું છે આ વખતે પણ આ સિલસિલો જળવાઈ રહ્યો છે. 14 ઓક્ટોબરે યોજાયેલી મેચમાં પાકિસ્તાનની સમગ્ર ટીમ માત્ર 191 રનમાં ધરાશાઈ થઈ ગઈ હતી, ભારતે 3 વિકેટ ગુમાવીને 30.3 ઓવરમાં 192 રન બનાવી સરળતાથી જીત મેળવી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને સાત વિકેટે હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું, જો કે આ મેચ દરમિયાન પાકિસ્તાની ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન તેની તેની વિકેટ ગુમાવી પવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે ટીમ ઈન્ડિયાના ફેન્સએ સ્ટેડિયમમાં જય શ્રી રામ...જય શ્રી રામના નારા લગાવ્યા હતા. રિઝવાનને ચીડવતા ભારતીય પ્રેક્ષકોનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


શા માટે લગાવ્યા જય શ્રી રામના નારા?


પાકિસ્તાની ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને શ્રીલંકા સામે સદી ફટકાર્યા પછી તે મેન ઓફ ધ મેચ બન્યો હતો અને ત્યાર બાદ તે સદી ગાઝાના લોકોને સમર્પિત કરી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા અને ICCને આ મુદ્દે કડક એક્શન લેવાની માગ કરી હતી. રિઝવાને તેની શાનદાર ઇનિંગ બાદ ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી. તેણે લખ્યું, "આ (ઈનિંગ) ગાઝામાં અમારા ભાઈઓ અને બહેનો માટે હતી. જીતમાં યોગદાન આપીને સારું લાગ્યું. આ જીતનો શ્રેય આખી ટીમ અને ખાસ કરીને અબ્દુલ્લા શફીક અને હસન અલીને જાય છે. "જેમણે તેને સરળ બનાવ્યું. હૈદરાબાદના લોકોના અદ્ભુત આતિથ્ય અને સમર્થન માટે હું ખૂબ આભારી છું."


આ મામલે ICCએ શું કહ્યું? 


મોહમ્મદ રિઝવાને 10 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પોસ્ટ કરી શ્રીલંકા સામેની તેની સદી ગાઝાના લોકોને સમર્પિત કરી હતી. મોહમ્મદ રિઝવાનના આ ટ્વીટ બાદ ICC પાસે કાર્યવાહીની માંગ ઉઠી હતી. મોહમ્મદ રિઝવાનની આ પોસ્ટ પછી ભારતના લોકો ગુસ્સે થઈ ગયા અને સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા કરવા લાગ્યા હતા. ભારતના લોકોએ આઈસીસીને આ મુદ્દે પગલાં લેવા જણાવ્યું હતું. હવે ICCએ આ અંગે નિવેદન આપતા કહ્યું છે કે, "આ મુદ્દો મેદાનની બહારનો છે. તે તેમના વિસ્તારમાં નથી. આ વ્યક્તિગત અને તેના બોર્ડનો મામલો છે."



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .