અંબાણી પરિવારને મોતની ધમકીનો કોલ કરનારો યુવક બિહારથી ઝડપાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 16:26:15

જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. બિહારના દરભંગા જિલ્લામાંથી આ યુવકની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈમાં સર એચએન રિલાયંસ ફાઉંડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં એક અજાણ્યા નંબરથી બુધવારે ધમકી ભર્યો ફોન કોલ આવ્યો હતો. કોલરે આ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઉપરાંત અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.


કઈ રીતે પકડાયો આરોપી?


અંબાણી પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈના  D.B. માર્ગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. FIR દાખલ થતા જ મુંબઈ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ ધમકી આપનારનું લોકેશન શોધી કાઢ્યું હતું. કે જે બિહારમાં ટ્રેક થયું હતું. જેને લઈને મુંબઈ પોલીસે મધ્યરાત્રિએ બિહાર પોલીસની મદદથી આરોપીને બિહારથી અટકાયતમાં લીધો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.


ઘટનાની વિગત શું છે?


મુકેશ અંબાણીને મળેલી ધમકીના સંદર્ભે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે "બપોરે 12.57 કલાકે એટલે કે 5 ઑક્ટોબરે અને ફરીથી સાંજે 5.04 વાગ્યે, સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના કૉલ સેન્ટર પર કૉલ આવ્યો જેમાં હોસ્પિટલને ઉડાવી દેવાની અને મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી સહિત અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફોન કરનારે એન્ટિલિયાને ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.