અંબાણી પરિવારને મોતની ધમકીનો કોલ કરનારો યુવક બિહારથી ઝડપાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 16:26:15

જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. બિહારના દરભંગા જિલ્લામાંથી આ યુવકની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈમાં સર એચએન રિલાયંસ ફાઉંડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં એક અજાણ્યા નંબરથી બુધવારે ધમકી ભર્યો ફોન કોલ આવ્યો હતો. કોલરે આ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઉપરાંત અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.


કઈ રીતે પકડાયો આરોપી?


અંબાણી પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈના  D.B. માર્ગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. FIR દાખલ થતા જ મુંબઈ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ ધમકી આપનારનું લોકેશન શોધી કાઢ્યું હતું. કે જે બિહારમાં ટ્રેક થયું હતું. જેને લઈને મુંબઈ પોલીસે મધ્યરાત્રિએ બિહાર પોલીસની મદદથી આરોપીને બિહારથી અટકાયતમાં લીધો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.


ઘટનાની વિગત શું છે?


મુકેશ અંબાણીને મળેલી ધમકીના સંદર્ભે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે "બપોરે 12.57 કલાકે એટલે કે 5 ઑક્ટોબરે અને ફરીથી સાંજે 5.04 વાગ્યે, સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના કૉલ સેન્ટર પર કૉલ આવ્યો જેમાં હોસ્પિટલને ઉડાવી દેવાની અને મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી સહિત અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફોન કરનારે એન્ટિલિયાને ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી 



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.