અંબાણી પરિવારને મોતની ધમકીનો કોલ કરનારો યુવક બિહારથી ઝડપાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 16:26:15

જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. બિહારના દરભંગા જિલ્લામાંથી આ યુવકની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈમાં સર એચએન રિલાયંસ ફાઉંડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં એક અજાણ્યા નંબરથી બુધવારે ધમકી ભર્યો ફોન કોલ આવ્યો હતો. કોલરે આ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઉપરાંત અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.


કઈ રીતે પકડાયો આરોપી?


અંબાણી પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈના  D.B. માર્ગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. FIR દાખલ થતા જ મુંબઈ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ ધમકી આપનારનું લોકેશન શોધી કાઢ્યું હતું. કે જે બિહારમાં ટ્રેક થયું હતું. જેને લઈને મુંબઈ પોલીસે મધ્યરાત્રિએ બિહાર પોલીસની મદદથી આરોપીને બિહારથી અટકાયતમાં લીધો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.


ઘટનાની વિગત શું છે?


મુકેશ અંબાણીને મળેલી ધમકીના સંદર્ભે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે "બપોરે 12.57 કલાકે એટલે કે 5 ઑક્ટોબરે અને ફરીથી સાંજે 5.04 વાગ્યે, સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના કૉલ સેન્ટર પર કૉલ આવ્યો જેમાં હોસ્પિટલને ઉડાવી દેવાની અને મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી સહિત અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફોન કરનારે એન્ટિલિયાને ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .