અંબાણી પરિવારને મોતની ધમકીનો કોલ કરનારો યુવક બિહારથી ઝડપાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 16:26:15

જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. બિહારના દરભંગા જિલ્લામાંથી આ યુવકની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈમાં સર એચએન રિલાયંસ ફાઉંડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં એક અજાણ્યા નંબરથી બુધવારે ધમકી ભર્યો ફોન કોલ આવ્યો હતો. કોલરે આ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઉપરાંત અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.


કઈ રીતે પકડાયો આરોપી?


અંબાણી પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈના  D.B. માર્ગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. FIR દાખલ થતા જ મુંબઈ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ ધમકી આપનારનું લોકેશન શોધી કાઢ્યું હતું. કે જે બિહારમાં ટ્રેક થયું હતું. જેને લઈને મુંબઈ પોલીસે મધ્યરાત્રિએ બિહાર પોલીસની મદદથી આરોપીને બિહારથી અટકાયતમાં લીધો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.


ઘટનાની વિગત શું છે?


મુકેશ અંબાણીને મળેલી ધમકીના સંદર્ભે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે "બપોરે 12.57 કલાકે એટલે કે 5 ઑક્ટોબરે અને ફરીથી સાંજે 5.04 વાગ્યે, સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના કૉલ સેન્ટર પર કૉલ આવ્યો જેમાં હોસ્પિટલને ઉડાવી દેવાની અને મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી સહિત અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફોન કરનારે એન્ટિલિયાને ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે