અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની નાથદ્વારામાં સગાઈ, રોકા સેરેમનીમાં બંને પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા


  • Published By :
  • Published Date : 2022-12-29 16:06:06

અંબાણી પરિવાર માટે આજે ખુશીનો દિવસ છે, રિલાયન્સ ગૃપના વડા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ થઈ છે. અનંત અંબાણીએ  અને રાધિકા મર્ચન્ટની રોકા સેરેમની (સગાઈ) રાજસ્થાનના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરમાં યોજાઈ છે. તેમની રોકો સેરેમનીની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટિઝ આ યુગલને શુભેચ્છા પાઠવી રહ્યા છે.


રાધિકા મર્ચન્ટ કોણ છે?


રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી એકબીજાને વર્ષોથી ઓળખે છે. રાધિકા અંબાણી પરિવારના વિવિધ કાર્યક્રમોમાં પણ જોવા મળી છે. રાધિકા મર્ચન્ટ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના  CEO અને મુકેશ અંબાણીના સારા મિત્ર છે. રાધિકા અને ઈશા અંબાણી વચ્ચે પણ સારી મિત્રતા છે, અનંત અંબાણીની લેડી લવ એક સારી ક્લાસિકલ ડાન્સર પણ છે.  રાધિકાએ પોતાનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું હતું અને ત્યારપછી અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી. ત્યાં રાધિકાએ પોલિટિક્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી 2017માં તેણે ઈસપ્રાવા ટીમને એક સેલ્સ એક્ઝીક્યૂટીવ તરીકે જોઈન કરી હતી. તેને રિડિંગ, ટ્રેકિંગ અને સ્વિમિંગ કરવાનો શોખ છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.