અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની નાથદ્વારામાં સગાઈ, રોકા સેરેમનીમાં બંને પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા


  • Published By :
  • Published Date : 2022-12-29 16:06:06

અંબાણી પરિવાર માટે આજે ખુશીનો દિવસ છે, રિલાયન્સ ગૃપના વડા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ થઈ છે. અનંત અંબાણીએ  અને રાધિકા મર્ચન્ટની રોકા સેરેમની (સગાઈ) રાજસ્થાનના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરમાં યોજાઈ છે. તેમની રોકો સેરેમનીની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટિઝ આ યુગલને શુભેચ્છા પાઠવી રહ્યા છે.


રાધિકા મર્ચન્ટ કોણ છે?


રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી એકબીજાને વર્ષોથી ઓળખે છે. રાધિકા અંબાણી પરિવારના વિવિધ કાર્યક્રમોમાં પણ જોવા મળી છે. રાધિકા મર્ચન્ટ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના  CEO અને મુકેશ અંબાણીના સારા મિત્ર છે. રાધિકા અને ઈશા અંબાણી વચ્ચે પણ સારી મિત્રતા છે, અનંત અંબાણીની લેડી લવ એક સારી ક્લાસિકલ ડાન્સર પણ છે.  રાધિકાએ પોતાનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું હતું અને ત્યારપછી અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી. ત્યાં રાધિકાએ પોલિટિક્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી 2017માં તેણે ઈસપ્રાવા ટીમને એક સેલ્સ એક્ઝીક્યૂટીવ તરીકે જોઈન કરી હતી. તેને રિડિંગ, ટ્રેકિંગ અને સ્વિમિંગ કરવાનો શોખ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.