અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની નાથદ્વારામાં સગાઈ, રોકા સેરેમનીમાં બંને પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા


  • Published By :
  • Published Date : 2022-12-29 16:06:06

અંબાણી પરિવાર માટે આજે ખુશીનો દિવસ છે, રિલાયન્સ ગૃપના વડા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ થઈ છે. અનંત અંબાણીએ  અને રાધિકા મર્ચન્ટની રોકા સેરેમની (સગાઈ) રાજસ્થાનના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરમાં યોજાઈ છે. તેમની રોકો સેરેમનીની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટિઝ આ યુગલને શુભેચ્છા પાઠવી રહ્યા છે.


રાધિકા મર્ચન્ટ કોણ છે?


રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી એકબીજાને વર્ષોથી ઓળખે છે. રાધિકા અંબાણી પરિવારના વિવિધ કાર્યક્રમોમાં પણ જોવા મળી છે. રાધિકા મર્ચન્ટ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના  CEO અને મુકેશ અંબાણીના સારા મિત્ર છે. રાધિકા અને ઈશા અંબાણી વચ્ચે પણ સારી મિત્રતા છે, અનંત અંબાણીની લેડી લવ એક સારી ક્લાસિકલ ડાન્સર પણ છે.  રાધિકાએ પોતાનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું હતું અને ત્યારપછી અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી. ત્યાં રાધિકાએ પોલિટિક્સ અને ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી 2017માં તેણે ઈસપ્રાવા ટીમને એક સેલ્સ એક્ઝીક્યૂટીવ તરીકે જોઈન કરી હતી. તેને રિડિંગ, ટ્રેકિંગ અને સ્વિમિંગ કરવાનો શોખ છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.