મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ સમર્થિત PMMLએ ચૂંટણીમાં ઝંપલાવ્યું, પુત્ર તલ્હા સઈદ પણ ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2023-12-25 23:25:51

પાકિસ્તાનમાં પાર્લામેન્ટની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ કરી લીધી છે. આશ્ચર્યની વાત એ છે કે 2008ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદાના રાજકીય પક્ષે પણ આ ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. હાફિઝ સઈદે પોતાના નવા રાજકીય સંગઠનમાંથી રાષ્ટ્રીય અને પ્રાંતીય એસેમ્બલીમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. લશ્કર-એ-તૈયબા (LeT)ના સ્થાપક હાફિઝ સઈદ પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (JuD)ના કેટલાક અન્ય નેતાઓ સાથે ટેરર ફંડિંગના અનેક કેસમાં દોષિત જાહેર થયા બાદ 2019થી જેલમાં છે. પાકિસ્તાન મિલ્લી મુસ્લિમ લીગ (PMML) પાર્ટીનું કહેવું છે કે તે એક રાજકીય પક્ષ છે, જેનું ચૂંટણી પ્રતીક 'ખુરશી' છે.


હાફિઝ સઈદના પુત્રને ટિકિટ મળી 


PMML પ્રમુખ ખાલિદ મસૂદ સિંધુએ કહ્યું કે તેમની પાર્ટી રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. તેમણે કહ્યું કે અમે ભ્રષ્ટાચાર માટે નહીં પરંતુ લોકોની સેવા કરવા અને પાકિસ્તાનને ઇસ્લામિક કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે સત્તામાં આવવા માંગીએ છીએ. ઉલ્લેખનિય છે કે ખાલિદ મસૂદ સિંધુ NA-130 લાહોરથી ઉમેદવાર છે, જ્યાંથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સુપ્રીમો અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પણ ચૂંટણી લડી રહ્યા છે. હાફિઝ સઈદના પુત્ર તલ્હા સઈદને લાહોરના એનએ-127થી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જોકે, ખાલિદ મસૂદ સિંધુએ સોમવારે દાવો કર્યો હતો કે હાફિઝ સઈદને PMML સાથે કોઈ લેવાદેવા નથી.


હાફિઝ સઈદ પર 10 મિલિયન ડોલરનું ઈનામ  


2024ની ચૂંટણી માટે MML પર પ્રતિબંધના કારણે PMMLની રચના કરવામાં આવી છે. અમેરિકાએ આતંકી હાફિઝ સઈદ પર 10 મિલિયન યુએસ ડોલરનું ઈનામ રાખ્યું છે. હાફિઝ સઈદની જમાત-ઉદ-દાવા લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલી છે, જે 2008ના મુંબઈ હુમલાને અંજામ આપવા માટે જવાબદાર છે. આ હુમલામાં છ અમેરિકન સહિત 166 લોકો માર્યા ગયા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.