મુંબઈ ક્રિકેટ એસોસિએશન સચિન તેંડુલકરને તેમના જન્મદિવસ પર આપશે અનોખી ભેટ, જાણો શું અપાશે ભેટમાં


  • Published By :
  • Published Date : 2023-02-28 14:03:34

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરને તેમના જન્મદિવસ પર મુંબઈ ક્રિકેટ એસોશિએશન એક ખાસ ગિફ્ટ આપવા જઈ રહ્યું છે. વાનખેડે સ્ટેડિયમની અંદર તેંડુલકરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવશે. સ્ટેડિયમની અંદર પ્રતિમાની સ્થાપના કરવા માટે જગ્યા નક્કી કરવા ગયા હતા. મુંબઈ ક્રિકેટ એસોશિએશન સચિનના 50મા જન્મદિવસના ખાસ અવસર પર તેમને આ ભેટ આપવાનું છે.


વાનખેડે સ્ટેડિયમમાં મૂકાશે સચિનની પ્રતિમા 

ક્રિકેટમાં સચિન તેંડુલકરના યોગદાનને સન્માનિત કરવા મુંબઈ ક્રિકેટ એસોસિએશને એક નિર્ણય કર્યો છે. જે મુજબ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પ્રતિમાને વાનખેડે સ્ટેડિયમમાં સ્થાપિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના એક દાયકા બાદ ભૂતપૂર્વ ક્રિકેટરની આજીવન પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ એજ સ્ટેડિયમ છે જ્યાં સચિન તેંડુલકરે પોતાની છેલ્લી મેચ રમી હતી. કઈ જગ્યા પર પ્રતિમા સ્થાપિત કરવી તેની જગ્યા જોવા સચિન સ્ટેડિયમ ગયા હતા.   


મૂર્તિ અંગે સચિન તેંડુલકરે આપી પ્રતિક્રિયા  

આ અંગે સચિન તેંડુલકરે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું કે આ મારા માટે એક સરપ્રાઈઝ છે. 1998માં મારા માટે વાનખેડે ખાતે શરૂઆત થઈ હતી. હું મારી પહેલી રણજી મેચ આ સ્ટેડિયમમાં રમ્યો હતો. ઘણું બધું શીખ્યો અને એક ક્રિકેટર બન્યો. મારા જીવનની અંતિમ મેચ પણ આ જ સ્ટેડિયમમાં રમ્યો હતો. મારા માટે લાઈફનું એક સર્કલ કમ્પલીટ થયું છે. અહીં બહુ બધી યાદો જોડાયેલી છે અને આ મોમેન્ટ મારા માટે બહુ મોટી છે. નવેમ્બર 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે તેમણે છેલ્લી મેચ રમી હતી. સચિને ભારત માટે 200 ટેસ્ટ, 436 વનડે અને 1 ટી-20 મેચ રમ્યા છે. વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધુ 100 સદી ફટકારવાનો રેકોર્ડ પણ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે બોલે છે.   

 

સચિન તેંડુલકર ભારતનું ગૌરવ છે -  એમસીએ પ્રમુખ 

મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમોલ કાલેએ જણાવ્યું છે કે તેમને આશા છે કે આ વર્ષના અંતમાં ભારતમાં ઓડીઆઈ વર્લ્ડ કપ દરમિયાન પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. ક્રિકેટમાં સચિનના યોગદાન વિશે આખી દુનિયા જાણે છે તેઓ ક્રિકેટ અને ભારતનું ગૌરવ છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.