મુંબઈ ક્રિકેટ એસોસિએશન સચિન તેંડુલકરને તેમના જન્મદિવસ પર આપશે અનોખી ભેટ, જાણો શું અપાશે ભેટમાં


  • Published By :
  • Published Date : 2023-02-28 14:03:34

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરને તેમના જન્મદિવસ પર મુંબઈ ક્રિકેટ એસોશિએશન એક ખાસ ગિફ્ટ આપવા જઈ રહ્યું છે. વાનખેડે સ્ટેડિયમની અંદર તેંડુલકરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવશે. સ્ટેડિયમની અંદર પ્રતિમાની સ્થાપના કરવા માટે જગ્યા નક્કી કરવા ગયા હતા. મુંબઈ ક્રિકેટ એસોશિએશન સચિનના 50મા જન્મદિવસના ખાસ અવસર પર તેમને આ ભેટ આપવાનું છે.


વાનખેડે સ્ટેડિયમમાં મૂકાશે સચિનની પ્રતિમા 

ક્રિકેટમાં સચિન તેંડુલકરના યોગદાનને સન્માનિત કરવા મુંબઈ ક્રિકેટ એસોસિએશને એક નિર્ણય કર્યો છે. જે મુજબ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પ્રતિમાને વાનખેડે સ્ટેડિયમમાં સ્થાપિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના એક દાયકા બાદ ભૂતપૂર્વ ક્રિકેટરની આજીવન પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ એજ સ્ટેડિયમ છે જ્યાં સચિન તેંડુલકરે પોતાની છેલ્લી મેચ રમી હતી. કઈ જગ્યા પર પ્રતિમા સ્થાપિત કરવી તેની જગ્યા જોવા સચિન સ્ટેડિયમ ગયા હતા.   


મૂર્તિ અંગે સચિન તેંડુલકરે આપી પ્રતિક્રિયા  

આ અંગે સચિન તેંડુલકરે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું કે આ મારા માટે એક સરપ્રાઈઝ છે. 1998માં મારા માટે વાનખેડે ખાતે શરૂઆત થઈ હતી. હું મારી પહેલી રણજી મેચ આ સ્ટેડિયમમાં રમ્યો હતો. ઘણું બધું શીખ્યો અને એક ક્રિકેટર બન્યો. મારા જીવનની અંતિમ મેચ પણ આ જ સ્ટેડિયમમાં રમ્યો હતો. મારા માટે લાઈફનું એક સર્કલ કમ્પલીટ થયું છે. અહીં બહુ બધી યાદો જોડાયેલી છે અને આ મોમેન્ટ મારા માટે બહુ મોટી છે. નવેમ્બર 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે તેમણે છેલ્લી મેચ રમી હતી. સચિને ભારત માટે 200 ટેસ્ટ, 436 વનડે અને 1 ટી-20 મેચ રમ્યા છે. વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધુ 100 સદી ફટકારવાનો રેકોર્ડ પણ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે બોલે છે.   

 

સચિન તેંડુલકર ભારતનું ગૌરવ છે -  એમસીએ પ્રમુખ 

મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અમોલ કાલેએ જણાવ્યું છે કે તેમને આશા છે કે આ વર્ષના અંતમાં ભારતમાં ઓડીઆઈ વર્લ્ડ કપ દરમિયાન પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. ક્રિકેટમાં સચિનના યોગદાન વિશે આખી દુનિયા જાણે છે તેઓ ક્રિકેટ અને ભારતનું ગૌરવ છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.