મુંબઈ ઈન્ડિયન્સે વુમેન્સ પ્રીમિયર લીગની ટી-શર્ટ સોશિયલ મીડિયા પર કરી લોન્ચ, હરમનપ્રીત કૌર કરી રહી છે ટીમનું નેતૃત્વ


  • Published By :
  • Published Date : 2023-02-25 17:53:45

આ વર્ષે વુમન્સ પ્રીમિયર લીગ 2023 રમાવા જઈ રહી છે. પાંચ ટીમો વચ્ચે આ મેચ ખેલાવાની છે જેમાં મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, યુપી વોરિયર્સ, ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સમાવેશ થાય છે. ત્યારે મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં મહિલા પ્રીમીયર લીગની આગામી સિઝન માટે પોતાની જર્સી લોન્ચ કરી હતી. 4 માર્ચના રોજ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાવાની છે.     

મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં થાય છે હરમનપ્રીતનો સમાવેશ 

છેલ્લાં 16 વર્ષથી આપણે IPL માણતા આવ્યાં છીએ, પરંતુ આ વર્ષથી WPL એટલે મહિલા પ્રિમીયર લીગ યોજાવાની છે જેને લઈ મહિલાઓને પણ આપણે IPLરમતાં જોઈ શકીશું. થોડા દિવસો પહેલા મહિલા પ્રીમિયર લીગ માટે ઓક્શનનું આયોજન થયું હતું જેમાં મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી પણ હાજર રહ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીતનો સમાવેશ થાય છે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ગુજરાત જાયન્ટ્સની સામે મેચ રમશે.આ મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાવાની છે. 

આ ખેલાડીઓનો થાય છે સમાવેશ 

મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો આ ટીમમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીતનો સમાવેશ થાય છે. તે સિવાય નેટ સાઈવર, એમેલિયા, પૂજા વસ્ત્રાકર, યસ્તિકા ભાટિયા, હીથર ગ્રેહામ, ઈસાબેલ વોંગ, અમનજોત કૌર, ધારા ગુજર, સાયકા ઈશાક, હેલી મેથ્યુઝ, કલો ટ્રાયન, હુમૈરા ખાઝી, પ્રિયંકા બાલા, સોનમ યાદવ, જીન્તિમણી કલિતા, નીલમ બિષ્ટ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી છે. ટીમે હરમનપ્રીત કૌરને 1.80 કરોડમાં ખરીદી હતી જ્યારે ઈંગ્લેન્ડની ઓલરાઉન્ડર નેટ સાઈવરને 3.20 કરોડમાં ખરીદી હતી. સોશિયલ મીડિયા પર મુબંઈ ઈન્ડિયન્સે પોતાની ટી-શર્ટ લોન્ચ કરી છે. 

પ્રથમ સિઝનમાં આટલી મેચો રમાશે  

વુમેન્સ પ્રીમિયર લીગ 2023ની પ્રથમ સિઝનમાં કુલ 20 લીગ મેચો રમાશે અને બે પ્લેઓફ મેચ રમાશે. 23 દિવસ સુધી ટુર્નામેન્ટ રમાવાની છે. WPL 2023માં કુલ ચાર ડબલ હેડર મેચ રમાશે. દિવસની પહેલી મેચ 3.30 વાગ્યે રમાશે જ્યારે બીજી મેચની શરૂઆત સાંજે 7.30 વાગ્યથી થવાની છે. 


ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.