મુંબઈ ઈન્ડિયન્સે વુમેન્સ પ્રીમિયર લીગની ટી-શર્ટ સોશિયલ મીડિયા પર કરી લોન્ચ, હરમનપ્રીત કૌર કરી રહી છે ટીમનું નેતૃત્વ


  • Published By :
  • Published Date : 2023-02-25 17:53:45

આ વર્ષે વુમન્સ પ્રીમિયર લીગ 2023 રમાવા જઈ રહી છે. પાંચ ટીમો વચ્ચે આ મેચ ખેલાવાની છે જેમાં મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, યુપી વોરિયર્સ, ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સમાવેશ થાય છે. ત્યારે મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં મહિલા પ્રીમીયર લીગની આગામી સિઝન માટે પોતાની જર્સી લોન્ચ કરી હતી. 4 માર્ચના રોજ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાવાની છે.     

મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં થાય છે હરમનપ્રીતનો સમાવેશ 

છેલ્લાં 16 વર્ષથી આપણે IPL માણતા આવ્યાં છીએ, પરંતુ આ વર્ષથી WPL એટલે મહિલા પ્રિમીયર લીગ યોજાવાની છે જેને લઈ મહિલાઓને પણ આપણે IPLરમતાં જોઈ શકીશું. થોડા દિવસો પહેલા મહિલા પ્રીમિયર લીગ માટે ઓક્શનનું આયોજન થયું હતું જેમાં મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી પણ હાજર રહ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીતનો સમાવેશ થાય છે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ગુજરાત જાયન્ટ્સની સામે મેચ રમશે.આ મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાવાની છે. 

આ ખેલાડીઓનો થાય છે સમાવેશ 

મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો આ ટીમમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીતનો સમાવેશ થાય છે. તે સિવાય નેટ સાઈવર, એમેલિયા, પૂજા વસ્ત્રાકર, યસ્તિકા ભાટિયા, હીથર ગ્રેહામ, ઈસાબેલ વોંગ, અમનજોત કૌર, ધારા ગુજર, સાયકા ઈશાક, હેલી મેથ્યુઝ, કલો ટ્રાયન, હુમૈરા ખાઝી, પ્રિયંકા બાલા, સોનમ યાદવ, જીન્તિમણી કલિતા, નીલમ બિષ્ટ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી છે. ટીમે હરમનપ્રીત કૌરને 1.80 કરોડમાં ખરીદી હતી જ્યારે ઈંગ્લેન્ડની ઓલરાઉન્ડર નેટ સાઈવરને 3.20 કરોડમાં ખરીદી હતી. સોશિયલ મીડિયા પર મુબંઈ ઈન્ડિયન્સે પોતાની ટી-શર્ટ લોન્ચ કરી છે. 

પ્રથમ સિઝનમાં આટલી મેચો રમાશે  

વુમેન્સ પ્રીમિયર લીગ 2023ની પ્રથમ સિઝનમાં કુલ 20 લીગ મેચો રમાશે અને બે પ્લેઓફ મેચ રમાશે. 23 દિવસ સુધી ટુર્નામેન્ટ રમાવાની છે. WPL 2023માં કુલ ચાર ડબલ હેડર મેચ રમાશે. દિવસની પહેલી મેચ 3.30 વાગ્યે રમાશે જ્યારે બીજી મેચની શરૂઆત સાંજે 7.30 વાગ્યથી થવાની છે. 


જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.