Mumbai Rain : ભારે વરસાદને કારણે મુંબઈમાં જન જીવન અસ્ત વ્યસ્ત.. 6 કલાકની અંદર પડ્યો 12 ઈંચ જેટલો વરસાદ...


  • Published By :
  • Published Date : 2024-07-08 11:51:17

દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે ભારે તબાહી સર્જાઈ છે.. અનેક જગ્યાઓ પર ભારે વરસાદને કારણે લોકોના મોત થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.. મુંબઈમાં આવતો વરસાદ મુંબઈના લોકો માટે આફત બનીને આવે છે.. ત્યાં વરસાદ ચાલુ થાય છે તો અનેક દિવસો સુધી બંધ નથી થતો તેવું કહેવામાં આવે છે.. ત્યારે હમણાં પણ દેશની આર્થિક રાજધાની જળમગ્ન થઈ છે.. મુંબઈમાં વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.. છેલ્લા 6 કલાકની અંદર 12 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

ભારે વરસાદને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત 

મુંબઈમાં ભારે વરસાદને કારણે સામાન્ય માણસને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે... માયા નગર તરીકે ઓળખવામાં આવતી મુંબઈ નગરીના પૈડા વરસાદને કારણે થંભી ગયા છે.થોડા કલાકની અંદર રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. 6 કલાકના સમયગાળા દરમિયાન 11થી 12 ઈંચ જેટલો વરસતા ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે.. ભારે વરસાદને કારણે સ્કૂલો તેમજ કોલેજો બંધ રાખવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. 

આસામમાં પણ પૂર જેવી પરિસ્થિતિ

ભારે વરસાદની સૌથી વધારે અસર ટ્રેનો પર પડી છે.. અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ના માત્ર ટ્રેનોને અસર પહોંચી છે પરંતુ અનેક બસોના રૂટને બદલવાની ફરજ પડી છે.. પુર જેવી સ્થિતિ ના માત્ર મુંબઈમાં છે પરંતુ આસામમાં પણ આવી જ પૂર જેવી સ્થિતિ છે.. અનેક લોકોના મોત થઈ ગયા છે.     



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.