Mumbai Rain : ભારે વરસાદને કારણે મુંબઈમાં જન જીવન અસ્ત વ્યસ્ત.. 6 કલાકની અંદર પડ્યો 12 ઈંચ જેટલો વરસાદ...


  • Published By :
  • Published Date : 2024-07-08 11:51:17

દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે ભારે તબાહી સર્જાઈ છે.. અનેક જગ્યાઓ પર ભારે વરસાદને કારણે લોકોના મોત થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.. મુંબઈમાં આવતો વરસાદ મુંબઈના લોકો માટે આફત બનીને આવે છે.. ત્યાં વરસાદ ચાલુ થાય છે તો અનેક દિવસો સુધી બંધ નથી થતો તેવું કહેવામાં આવે છે.. ત્યારે હમણાં પણ દેશની આર્થિક રાજધાની જળમગ્ન થઈ છે.. મુંબઈમાં વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.. છેલ્લા 6 કલાકની અંદર 12 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

ભારે વરસાદને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત 

મુંબઈમાં ભારે વરસાદને કારણે સામાન્ય માણસને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે... માયા નગર તરીકે ઓળખવામાં આવતી મુંબઈ નગરીના પૈડા વરસાદને કારણે થંભી ગયા છે.થોડા કલાકની અંદર રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. 6 કલાકના સમયગાળા દરમિયાન 11થી 12 ઈંચ જેટલો વરસતા ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે.. ભારે વરસાદને કારણે સ્કૂલો તેમજ કોલેજો બંધ રાખવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. 

આસામમાં પણ પૂર જેવી પરિસ્થિતિ

ભારે વરસાદની સૌથી વધારે અસર ટ્રેનો પર પડી છે.. અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ના માત્ર ટ્રેનોને અસર પહોંચી છે પરંતુ અનેક બસોના રૂટને બદલવાની ફરજ પડી છે.. પુર જેવી સ્થિતિ ના માત્ર મુંબઈમાં છે પરંતુ આસામમાં પણ આવી જ પૂર જેવી સ્થિતિ છે.. અનેક લોકોના મોત થઈ ગયા છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે