Mumbai Rain : ભારે વરસાદને કારણે મુંબઈમાં જન જીવન અસ્ત વ્યસ્ત.. 6 કલાકની અંદર પડ્યો 12 ઈંચ જેટલો વરસાદ...


  • Published By :
  • Published Date : 2024-07-08 11:51:17

દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે ભારે તબાહી સર્જાઈ છે.. અનેક જગ્યાઓ પર ભારે વરસાદને કારણે લોકોના મોત થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.. મુંબઈમાં આવતો વરસાદ મુંબઈના લોકો માટે આફત બનીને આવે છે.. ત્યાં વરસાદ ચાલુ થાય છે તો અનેક દિવસો સુધી બંધ નથી થતો તેવું કહેવામાં આવે છે.. ત્યારે હમણાં પણ દેશની આર્થિક રાજધાની જળમગ્ન થઈ છે.. મુંબઈમાં વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.. છેલ્લા 6 કલાકની અંદર 12 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

ભારે વરસાદને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત 

મુંબઈમાં ભારે વરસાદને કારણે સામાન્ય માણસને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે... માયા નગર તરીકે ઓળખવામાં આવતી મુંબઈ નગરીના પૈડા વરસાદને કારણે થંભી ગયા છે.થોડા કલાકની અંદર રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. 6 કલાકના સમયગાળા દરમિયાન 11થી 12 ઈંચ જેટલો વરસતા ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે.. ભારે વરસાદને કારણે સ્કૂલો તેમજ કોલેજો બંધ રાખવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. 

આસામમાં પણ પૂર જેવી પરિસ્થિતિ

ભારે વરસાદની સૌથી વધારે અસર ટ્રેનો પર પડી છે.. અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ના માત્ર ટ્રેનોને અસર પહોંચી છે પરંતુ અનેક બસોના રૂટને બદલવાની ફરજ પડી છે.. પુર જેવી સ્થિતિ ના માત્ર મુંબઈમાં છે પરંતુ આસામમાં પણ આવી જ પૂર જેવી સ્થિતિ છે.. અનેક લોકોના મોત થઈ ગયા છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.