રાજ્યની નગરપાલિકાઓનો વહીવટ ખાડે, વીજ કંપનીઓએ આ નપાના વીજ કનેક્સન કાપ્યા, લોકોને હાલાકી


  • Published By :
  • Published Date : 2023-01-22 16:14:50

સામાન્ય લોકો વિજ બીલ ન ભરે તો વિજ કંપનીઓ એકી ઝાટકે વીજ જોડાણ કાપી નાખતી હોય છે. જો કે રાજ્યની કેટલીક નગરપાલિકાઓ એવી પણ છે જેને વિજ બિલ નહીં ભરવાનાને લઈ વીજ કંપનીઓએ નોટિસ ફટકારી છે. જ્યારે અન્ય નગરપાલિકાઓના વીજ જોડાણ કાપી નખવામાં આવ્યા છે. રાજ્યની આ નગરપાલિકાઓનો વહીવટી ખાડે ગયો છે અને તેના કારણે જ આ સ્થિતી સર્જાઈ છે.


ગોધરા નગરપાલિકા


પંચમહાલ જિલ્લાની સૌથી મોટી ગોધરા નગરપાલિકાને ધ્ય ગુજરાત વીજ કંપનીને 8.33 કરોડ જેટલી રકમ વીજ બિલ પેટે ચૂકવવાની બાકી છે. વીજ કંપનીએ તાજેતરમાં જ પાલિકાને વીજ જોડાણ કાપી નાખવાની ફરજ પડશે તેવી ચેતવણી આપતી નોટિસ પાઠવી હતી.જો કે નગરપાલિકા પ્રમુખ સંજય સોનીએ વીજ કંપનીને બાકી વીજ બિલના નાણાં ભરપાઈ કરવાની લેખિત ખાતરી આપી વીજ જોડાણ કાપવા કે અન્ય કાર્યવાહી નહીં કરવા જણાવ્યું છે. 


ગોંડલ અને જસદણ નગરપાલિકા


રાજકોટ જિલ્લાની ગોંડલ અને જસદણ નગરપાલિકાના પાસેથી PGVCLએ ઉઘરાણી કરી છે. PGVCLએ બન્ને નગરપાલિકા પાસેથી બીલની રકમ વસૂલી છે. ગોંડલ નગરપાલિકા પાસેથી 20 લાખ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી છે. જ્યારે જસદણ નગરપાલિકા પાસેથી 9 લાખ રૂપિયાની ઉઘરાણી કરી છે. નગરપાલિકાઓએ વીજબીલ ન ભરતાં PGVCLની ટીમ ગઈ કનેક્શન કાપવા ગઈ હતી. કનેક્શન કપાવાના ભયને લઇ નગરપાલિકાએ તાત્કાલિક વીજબીલ ભર્યું હતું.


ધાનેરા નગરપાલિકા


બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકા તેના રેઢીયાળ વહીવટ તથા આંતરિક રાજકારણના કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે.   છેલ્લા ઘણા સમયથી ધાનેરા નગરપાલિકાના વહીવટદારોએ વીજ બીલ ન ભરતા ધાનેરા નગરપાલિકાને અનેક નોટિસ ફટકરવામાં આવી હતી. જો કે તેમ છતાં પાલિકાના વહીવટદારોએ વીજ બીલ ન ભરતા આખરે વીજ કંપનીએ વીજ કનેક્શન કાપી નાખ્યું છે. નગરપાલિકાએ 2.60 કરોડનું વીજ બીલ ન ભરતા વીજ કનેક્શન કપાયું છે. જો કે હજુ પણ બોર સ્ટ્રીટ લાઈટ તેમજ ઓફિસનું વીજ બીલ ભરવાનું બાકી છે. 


બોરીયાવી નગરપાલિકા


આણંદ જિલ્લાની બોરીયાવી નગરપાલિકાનું રૂ.60.15 લાખનું વીજબીલ બાકી છે. નગરપાલિકાની બેદરકારીને કારણે સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કપાવાથી બોરીયાવીના રસ્તાઓ અંધકારમય બન્યા છે અને સ્થાનિકો અંધારામાં ચાલવા મજબૂર બન્યા છે.  વીજ કંપનીએ આ વીજ કનેક્શન કાપવા સાથે હવે ગટર અને પાણીનું જોડાણ કાપવાની ચીમકી ઉચ્ચારી છે. 


સલાયા નગરપાલિકા


દેવભૂમિ દ્વારકાની સલાયા નગરપાલિકાનું 45 લાખ જેટલું વીજ બિલ બાકી છે. PGVCLએ આકરી કાર્યવાહી કરતા સલાયા નગરપાલિકા વોટર વર્કસ શાખાનું વીજ જોડાણ કાપી નાંખ્યુ છે. નગરપાલિકાના વોટર વર્ક્સનું વીજ કનેક્શન કટ થઈ જતાં સલાયા વિસ્તારમાં પાણી વિતરણ ખોરવાયું છે. છેલ્લા ત્રણ દિવસથી નગરપાલિકામાં પાણી વિતરણ બંધ છે. 45 હજારની વસ્તી ધરાવતા સલાયા ગામના લોકો પાણી વગર ટળવળી રહ્યા છે. 


પ્રાંતિજ નગરપાલિકા


સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકાના માથે 82 લાખથી વધારેનું વીજ બિલ બાકી બોલે છે. તેના કારણે છેલ્લા બે વર્ષમાં ચાર વખત વીજ કનેક્શન કપાઈ ચૂક્યું છે. વીજ બિલ ન ચૂકવાતા પ્રાંતિજ વીજ વિભાગ દ્વારા પ્રાંતિજ પાલિકાના સ્ટેટ લાઈટ સહિતના 35થી વધારે કનેક્શન કાપી નાખ્યા હતા. જોકે પાલિકાએ તાત્કાલિક ધોરણે પાંચ લાખ જેટલી રકમ ભરી હાલ વીજ કનેક્શન શરૂ કરાયું છે. જો કે એક તરફ પ્રાંતિજ નગરપાલિકામાં 60 ટકાથી વધારે ટેક્સની રકમ નિયમિત રીતે ભરપાઈ થઈ રહી છે. તો બીજી તરફ વિપક્ષ નગરપાલિકાના વહીવટકર્તાઓ પર અણઘડ વહીવટનો આરોપ લગાવી રહ્યા છે. 


ખેડા જિલ્લાની કેટલી નપાના વિજ બિલ બાકી?


ખેડા જિલ્લાની તમામ 10 નગરપાલિકાના લાઈટ બિલ બાકી છે. તે જ પ્રકારે ખેડા અને મહેમદાવાદ નગરપાલિકાના બિલ બાકી હોવાથી કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જિલ્લાની 10 નગરપાલિકાઓમાં નડિયાદ, મહેમદાવાદ, ઠાસરા, કપડવંજ, ચકલાસી, ડાકોર, મહુધા, કણજરી, કઠલાલ, અને ખેડાનો સમાવેશ થાય છે. આ તમામ નગરપાલિકાના બિલ ચૂકવવાના બાકી હોવાથી વહીવટી તંત્ર અને સત્તાધીશો સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વીજ કંપનીએ અનેક નોટીસ ફટકારી છે પણ પરિણામ શુન્ય છે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .