રાજ્યની નગરપાલિકાઓનો વહીવટ ખાડે, વીજ કંપનીઓએ આ નપાના વીજ કનેક્સન કાપ્યા, લોકોને હાલાકી


  • Published By :
  • Published Date : 2023-01-22 16:14:50

સામાન્ય લોકો વિજ બીલ ન ભરે તો વિજ કંપનીઓ એકી ઝાટકે વીજ જોડાણ કાપી નાખતી હોય છે. જો કે રાજ્યની કેટલીક નગરપાલિકાઓ એવી પણ છે જેને વિજ બિલ નહીં ભરવાનાને લઈ વીજ કંપનીઓએ નોટિસ ફટકારી છે. જ્યારે અન્ય નગરપાલિકાઓના વીજ જોડાણ કાપી નખવામાં આવ્યા છે. રાજ્યની આ નગરપાલિકાઓનો વહીવટી ખાડે ગયો છે અને તેના કારણે જ આ સ્થિતી સર્જાઈ છે.


ગોધરા નગરપાલિકા


પંચમહાલ જિલ્લાની સૌથી મોટી ગોધરા નગરપાલિકાને ધ્ય ગુજરાત વીજ કંપનીને 8.33 કરોડ જેટલી રકમ વીજ બિલ પેટે ચૂકવવાની બાકી છે. વીજ કંપનીએ તાજેતરમાં જ પાલિકાને વીજ જોડાણ કાપી નાખવાની ફરજ પડશે તેવી ચેતવણી આપતી નોટિસ પાઠવી હતી.જો કે નગરપાલિકા પ્રમુખ સંજય સોનીએ વીજ કંપનીને બાકી વીજ બિલના નાણાં ભરપાઈ કરવાની લેખિત ખાતરી આપી વીજ જોડાણ કાપવા કે અન્ય કાર્યવાહી નહીં કરવા જણાવ્યું છે. 


ગોંડલ અને જસદણ નગરપાલિકા


રાજકોટ જિલ્લાની ગોંડલ અને જસદણ નગરપાલિકાના પાસેથી PGVCLએ ઉઘરાણી કરી છે. PGVCLએ બન્ને નગરપાલિકા પાસેથી બીલની રકમ વસૂલી છે. ગોંડલ નગરપાલિકા પાસેથી 20 લાખ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી છે. જ્યારે જસદણ નગરપાલિકા પાસેથી 9 લાખ રૂપિયાની ઉઘરાણી કરી છે. નગરપાલિકાઓએ વીજબીલ ન ભરતાં PGVCLની ટીમ ગઈ કનેક્શન કાપવા ગઈ હતી. કનેક્શન કપાવાના ભયને લઇ નગરપાલિકાએ તાત્કાલિક વીજબીલ ભર્યું હતું.


ધાનેરા નગરપાલિકા


બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકા તેના રેઢીયાળ વહીવટ તથા આંતરિક રાજકારણના કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે.   છેલ્લા ઘણા સમયથી ધાનેરા નગરપાલિકાના વહીવટદારોએ વીજ બીલ ન ભરતા ધાનેરા નગરપાલિકાને અનેક નોટિસ ફટકરવામાં આવી હતી. જો કે તેમ છતાં પાલિકાના વહીવટદારોએ વીજ બીલ ન ભરતા આખરે વીજ કંપનીએ વીજ કનેક્શન કાપી નાખ્યું છે. નગરપાલિકાએ 2.60 કરોડનું વીજ બીલ ન ભરતા વીજ કનેક્શન કપાયું છે. જો કે હજુ પણ બોર સ્ટ્રીટ લાઈટ તેમજ ઓફિસનું વીજ બીલ ભરવાનું બાકી છે. 


બોરીયાવી નગરપાલિકા


આણંદ જિલ્લાની બોરીયાવી નગરપાલિકાનું રૂ.60.15 લાખનું વીજબીલ બાકી છે. નગરપાલિકાની બેદરકારીને કારણે સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કપાવાથી બોરીયાવીના રસ્તાઓ અંધકારમય બન્યા છે અને સ્થાનિકો અંધારામાં ચાલવા મજબૂર બન્યા છે.  વીજ કંપનીએ આ વીજ કનેક્શન કાપવા સાથે હવે ગટર અને પાણીનું જોડાણ કાપવાની ચીમકી ઉચ્ચારી છે. 


સલાયા નગરપાલિકા


દેવભૂમિ દ્વારકાની સલાયા નગરપાલિકાનું 45 લાખ જેટલું વીજ બિલ બાકી છે. PGVCLએ આકરી કાર્યવાહી કરતા સલાયા નગરપાલિકા વોટર વર્કસ શાખાનું વીજ જોડાણ કાપી નાંખ્યુ છે. નગરપાલિકાના વોટર વર્ક્સનું વીજ કનેક્શન કટ થઈ જતાં સલાયા વિસ્તારમાં પાણી વિતરણ ખોરવાયું છે. છેલ્લા ત્રણ દિવસથી નગરપાલિકામાં પાણી વિતરણ બંધ છે. 45 હજારની વસ્તી ધરાવતા સલાયા ગામના લોકો પાણી વગર ટળવળી રહ્યા છે. 


પ્રાંતિજ નગરપાલિકા


સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકાના માથે 82 લાખથી વધારેનું વીજ બિલ બાકી બોલે છે. તેના કારણે છેલ્લા બે વર્ષમાં ચાર વખત વીજ કનેક્શન કપાઈ ચૂક્યું છે. વીજ બિલ ન ચૂકવાતા પ્રાંતિજ વીજ વિભાગ દ્વારા પ્રાંતિજ પાલિકાના સ્ટેટ લાઈટ સહિતના 35થી વધારે કનેક્શન કાપી નાખ્યા હતા. જોકે પાલિકાએ તાત્કાલિક ધોરણે પાંચ લાખ જેટલી રકમ ભરી હાલ વીજ કનેક્શન શરૂ કરાયું છે. જો કે એક તરફ પ્રાંતિજ નગરપાલિકામાં 60 ટકાથી વધારે ટેક્સની રકમ નિયમિત રીતે ભરપાઈ થઈ રહી છે. તો બીજી તરફ વિપક્ષ નગરપાલિકાના વહીવટકર્તાઓ પર અણઘડ વહીવટનો આરોપ લગાવી રહ્યા છે. 


ખેડા જિલ્લાની કેટલી નપાના વિજ બિલ બાકી?


ખેડા જિલ્લાની તમામ 10 નગરપાલિકાના લાઈટ બિલ બાકી છે. તે જ પ્રકારે ખેડા અને મહેમદાવાદ નગરપાલિકાના બિલ બાકી હોવાથી કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જિલ્લાની 10 નગરપાલિકાઓમાં નડિયાદ, મહેમદાવાદ, ઠાસરા, કપડવંજ, ચકલાસી, ડાકોર, મહુધા, કણજરી, કઠલાલ, અને ખેડાનો સમાવેશ થાય છે. આ તમામ નગરપાલિકાના બિલ ચૂકવવાના બાકી હોવાથી વહીવટી તંત્ર અને સત્તાધીશો સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વીજ કંપનીએ અનેક નોટીસ ફટકારી છે પણ પરિણામ શુન્ય છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.