રાજ્યની નગરપાલિકાઓનો વહીવટ ખાડે, વીજ કંપનીઓએ આ નપાના વીજ કનેક્સન કાપ્યા, લોકોને હાલાકી


  • Published By :
  • Published Date : 2023-01-22 16:14:50

સામાન્ય લોકો વિજ બીલ ન ભરે તો વિજ કંપનીઓ એકી ઝાટકે વીજ જોડાણ કાપી નાખતી હોય છે. જો કે રાજ્યની કેટલીક નગરપાલિકાઓ એવી પણ છે જેને વિજ બિલ નહીં ભરવાનાને લઈ વીજ કંપનીઓએ નોટિસ ફટકારી છે. જ્યારે અન્ય નગરપાલિકાઓના વીજ જોડાણ કાપી નખવામાં આવ્યા છે. રાજ્યની આ નગરપાલિકાઓનો વહીવટી ખાડે ગયો છે અને તેના કારણે જ આ સ્થિતી સર્જાઈ છે.


ગોધરા નગરપાલિકા


પંચમહાલ જિલ્લાની સૌથી મોટી ગોધરા નગરપાલિકાને ધ્ય ગુજરાત વીજ કંપનીને 8.33 કરોડ જેટલી રકમ વીજ બિલ પેટે ચૂકવવાની બાકી છે. વીજ કંપનીએ તાજેતરમાં જ પાલિકાને વીજ જોડાણ કાપી નાખવાની ફરજ પડશે તેવી ચેતવણી આપતી નોટિસ પાઠવી હતી.જો કે નગરપાલિકા પ્રમુખ સંજય સોનીએ વીજ કંપનીને બાકી વીજ બિલના નાણાં ભરપાઈ કરવાની લેખિત ખાતરી આપી વીજ જોડાણ કાપવા કે અન્ય કાર્યવાહી નહીં કરવા જણાવ્યું છે. 


ગોંડલ અને જસદણ નગરપાલિકા


રાજકોટ જિલ્લાની ગોંડલ અને જસદણ નગરપાલિકાના પાસેથી PGVCLએ ઉઘરાણી કરી છે. PGVCLએ બન્ને નગરપાલિકા પાસેથી બીલની રકમ વસૂલી છે. ગોંડલ નગરપાલિકા પાસેથી 20 લાખ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી છે. જ્યારે જસદણ નગરપાલિકા પાસેથી 9 લાખ રૂપિયાની ઉઘરાણી કરી છે. નગરપાલિકાઓએ વીજબીલ ન ભરતાં PGVCLની ટીમ ગઈ કનેક્શન કાપવા ગઈ હતી. કનેક્શન કપાવાના ભયને લઇ નગરપાલિકાએ તાત્કાલિક વીજબીલ ભર્યું હતું.


ધાનેરા નગરપાલિકા


બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકા તેના રેઢીયાળ વહીવટ તથા આંતરિક રાજકારણના કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે.   છેલ્લા ઘણા સમયથી ધાનેરા નગરપાલિકાના વહીવટદારોએ વીજ બીલ ન ભરતા ધાનેરા નગરપાલિકાને અનેક નોટિસ ફટકરવામાં આવી હતી. જો કે તેમ છતાં પાલિકાના વહીવટદારોએ વીજ બીલ ન ભરતા આખરે વીજ કંપનીએ વીજ કનેક્શન કાપી નાખ્યું છે. નગરપાલિકાએ 2.60 કરોડનું વીજ બીલ ન ભરતા વીજ કનેક્શન કપાયું છે. જો કે હજુ પણ બોર સ્ટ્રીટ લાઈટ તેમજ ઓફિસનું વીજ બીલ ભરવાનું બાકી છે. 


બોરીયાવી નગરપાલિકા


આણંદ જિલ્લાની બોરીયાવી નગરપાલિકાનું રૂ.60.15 લાખનું વીજબીલ બાકી છે. નગરપાલિકાની બેદરકારીને કારણે સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કપાવાથી બોરીયાવીના રસ્તાઓ અંધકારમય બન્યા છે અને સ્થાનિકો અંધારામાં ચાલવા મજબૂર બન્યા છે.  વીજ કંપનીએ આ વીજ કનેક્શન કાપવા સાથે હવે ગટર અને પાણીનું જોડાણ કાપવાની ચીમકી ઉચ્ચારી છે. 


સલાયા નગરપાલિકા


દેવભૂમિ દ્વારકાની સલાયા નગરપાલિકાનું 45 લાખ જેટલું વીજ બિલ બાકી છે. PGVCLએ આકરી કાર્યવાહી કરતા સલાયા નગરપાલિકા વોટર વર્કસ શાખાનું વીજ જોડાણ કાપી નાંખ્યુ છે. નગરપાલિકાના વોટર વર્ક્સનું વીજ કનેક્શન કટ થઈ જતાં સલાયા વિસ્તારમાં પાણી વિતરણ ખોરવાયું છે. છેલ્લા ત્રણ દિવસથી નગરપાલિકામાં પાણી વિતરણ બંધ છે. 45 હજારની વસ્તી ધરાવતા સલાયા ગામના લોકો પાણી વગર ટળવળી રહ્યા છે. 


પ્રાંતિજ નગરપાલિકા


સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકાના માથે 82 લાખથી વધારેનું વીજ બિલ બાકી બોલે છે. તેના કારણે છેલ્લા બે વર્ષમાં ચાર વખત વીજ કનેક્શન કપાઈ ચૂક્યું છે. વીજ બિલ ન ચૂકવાતા પ્રાંતિજ વીજ વિભાગ દ્વારા પ્રાંતિજ પાલિકાના સ્ટેટ લાઈટ સહિતના 35થી વધારે કનેક્શન કાપી નાખ્યા હતા. જોકે પાલિકાએ તાત્કાલિક ધોરણે પાંચ લાખ જેટલી રકમ ભરી હાલ વીજ કનેક્શન શરૂ કરાયું છે. જો કે એક તરફ પ્રાંતિજ નગરપાલિકામાં 60 ટકાથી વધારે ટેક્સની રકમ નિયમિત રીતે ભરપાઈ થઈ રહી છે. તો બીજી તરફ વિપક્ષ નગરપાલિકાના વહીવટકર્તાઓ પર અણઘડ વહીવટનો આરોપ લગાવી રહ્યા છે. 


ખેડા જિલ્લાની કેટલી નપાના વિજ બિલ બાકી?


ખેડા જિલ્લાની તમામ 10 નગરપાલિકાના લાઈટ બિલ બાકી છે. તે જ પ્રકારે ખેડા અને મહેમદાવાદ નગરપાલિકાના બિલ બાકી હોવાથી કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જિલ્લાની 10 નગરપાલિકાઓમાં નડિયાદ, મહેમદાવાદ, ઠાસરા, કપડવંજ, ચકલાસી, ડાકોર, મહુધા, કણજરી, કઠલાલ, અને ખેડાનો સમાવેશ થાય છે. આ તમામ નગરપાલિકાના બિલ ચૂકવવાના બાકી હોવાથી વહીવટી તંત્ર અને સત્તાધીશો સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વીજ કંપનીએ અનેક નોટીસ ફટકારી છે પણ પરિણામ શુન્ય છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.