ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, ચમોલીમાં નમામી ગંગે પ્રોજેક્ટના સ્થળે વીજ કરંટ લાગતા 16ના મોત, ઈન્સ્પેક્ટર સહિત 11 દાઝી ગયા


  • Published By :
  • Published Date : 2023-07-19 17:37:55

ઉત્તરાખંડના ચમોલીમાં બુધવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ચમોલી બજાર નજીક અલકનંદા નદીના કિનારે નમામિ ગંગે પ્રોજેક્ટની સાઈટ પર અચાનક જ કરંટ લાગતા 16 લોકોના મોત થયા છે અને 11 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.  ઘાયલોને 6 લોકોને એઈમ્સ ઋષિકેશમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 5 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નમામી ગંગે પ્રોજેક્ટની સાઈટ પર કામ ચાલી રહ્યું છે, બુધવારે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ તે સમયે 24 લોકો ઘટના સ્થળે હાજર હતા જેમાંથી લગભગ 16 લોકોના મોત થયા છે.

મીટર વાયર દ્વારા કરંટ ફેલાયો 


ચમોલીના એનર્જી કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત સક્સેનાએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે વીજળીનો ત્રીજો ફેઝ ડાઉન થઈ ગયો હતો. બુધવારે ત્રીજો ફેઝ જોડવામાં આવ્યો હતો, ત્યાર બાદ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરિસરમાં કરંટ દોડી ગયો હતો. ટ્રાન્સફોર્મરથી લઈને મીટર સુધી એલટી અને એસટી વાયર ક્યાંય તૂટેલા નથી, મીટર બાદ વાયરોમાં કરંટ દોડી ગયો હતો. સમાચાર મળતાની સાથે જ પરિવારના સભ્યો સાથે ઘણા ગામલોકો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યારે તે અહીં પહોંચ્યા ત્યારે પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી. આ દરમિયાન ત્યાં ફરી કરંટ ફેલાઈ ગયો હતો. ઘણા લોકો આની ઝપેટમાં આવી ગયા.


5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત


મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચમોલી ઘટનામાં મૃતકોના આશ્રિતોને પાંચ-પાંચ લાખ રૂપિયા અને ઘાયલોને એક-એક લાખ રૂપિયાની રાહત રકમ આપવાની સૂચના આપી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને ફોન કરીને ચમોલીની ઘટના વિશે પૂછપરછ કરી હતી. સ્થિતિ વિશે માહિતી આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .