ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, ચમોલીમાં નમામી ગંગે પ્રોજેક્ટના સ્થળે વીજ કરંટ લાગતા 16ના મોત, ઈન્સ્પેક્ટર સહિત 11 દાઝી ગયા


  • Published By :
  • Published Date : 2023-07-19 17:37:55

ઉત્તરાખંડના ચમોલીમાં બુધવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ચમોલી બજાર નજીક અલકનંદા નદીના કિનારે નમામિ ગંગે પ્રોજેક્ટની સાઈટ પર અચાનક જ કરંટ લાગતા 16 લોકોના મોત થયા છે અને 11 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.  ઘાયલોને 6 લોકોને એઈમ્સ ઋષિકેશમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 5 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નમામી ગંગે પ્રોજેક્ટની સાઈટ પર કામ ચાલી રહ્યું છે, બુધવારે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ તે સમયે 24 લોકો ઘટના સ્થળે હાજર હતા જેમાંથી લગભગ 16 લોકોના મોત થયા છે.

મીટર વાયર દ્વારા કરંટ ફેલાયો 


ચમોલીના એનર્જી કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત સક્સેનાએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે વીજળીનો ત્રીજો ફેઝ ડાઉન થઈ ગયો હતો. બુધવારે ત્રીજો ફેઝ જોડવામાં આવ્યો હતો, ત્યાર બાદ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરિસરમાં કરંટ દોડી ગયો હતો. ટ્રાન્સફોર્મરથી લઈને મીટર સુધી એલટી અને એસટી વાયર ક્યાંય તૂટેલા નથી, મીટર બાદ વાયરોમાં કરંટ દોડી ગયો હતો. સમાચાર મળતાની સાથે જ પરિવારના સભ્યો સાથે ઘણા ગામલોકો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યારે તે અહીં પહોંચ્યા ત્યારે પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી. આ દરમિયાન ત્યાં ફરી કરંટ ફેલાઈ ગયો હતો. ઘણા લોકો આની ઝપેટમાં આવી ગયા.


5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત


મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચમોલી ઘટનામાં મૃતકોના આશ્રિતોને પાંચ-પાંચ લાખ રૂપિયા અને ઘાયલોને એક-એક લાખ રૂપિયાની રાહત રકમ આપવાની સૂચના આપી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને ફોન કરીને ચમોલીની ઘટના વિશે પૂછપરછ કરી હતી. સ્થિતિ વિશે માહિતી આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.