નારાયણ મૂર્તિએ કરીના કપૂરને ઘમંડી ગણાવી, વર્ણવ્યો તેમનો અનુભવ, વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-07-26 19:00:16

આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિનો એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મૂર્તિએ બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન પર ઘમંડી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ફ્લાઇટમાં એકસાથે મુસાફરી કરવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં મૂર્તિએ કહ્યું કે કરીનાએ ત્યાં હાજર તેના ચાહકોનું સન્માન કર્યું નહોતું. તેમણે IIT-કાનપુરના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા આ વાત કહી હતી. જોકે તેમની સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નારાયણ મૂર્તિના પત્ની સુધાએ તરત જ પતિની વાત કાપી નાખી હતી.


IIT કાનપુરમાં આપ્યું હતું નિવેદન


નારાયણ મૂર્તિ તેમની પત્ની સાથે મુખ્ય અતિથિ તરીકે IIT કાનપુરમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સમક્ષ પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે, 'એક દિવસ હું લંડનથી આવી રહ્યો હતો અને કરીના કપૂર મારી બાજુની સીટ પર બેઠી હતી. ઘણા લોકો તેની પાસે આવ્યા અને હેલો કહ્યું. તેણે જવાબ આપવાની પણ તસ્દી લીધી નહીં. મને થોડું આશ્ચર્ય થયું. જે પણ મારી પાસે આવ્યો, હું ઊભો થયો અને અમે એક મિનિટ કે અડધી મિનિટ ચર્ચા કરી. ચાહકો આ પ્રકારની જ અપેક્ષા રાખતા હતા."


સુધા મૂર્તિએ મામલો શાંત પાડ્યો


નારાયણ મૂર્તિ આ વક્તવ્ય દરમિયાન સુધા મૂર્તિએ તેમને અટકાવ્યા અને કહ્યું, 'તેના લાખો ચાહકો છે. તે થાકી ગઈ હશે. સોફ્ટવેર કંપનીના માલિક તરીકે મૂર્તિના 10,000 ફોલોઅર્સ હશે પરંતુ એક ફિલ્મ એક્ટ્રેસના લાખો ફોલોઅર્સ હોય છે. પત્નીના આ નિવેદન પર ત્યાં હાજર વિદ્યાર્થીઓ હસી પડ્યા અને ખૂબ તાળીઓ પાડી હતી. આમ છતાં નારાયણ મૂર્તિએ પોતાની વાત આગળ વધારતા કહ્યું,  કે, ‘તે મુદ્દો નથી. મુદ્દો એ છે કે જયારે કોઈ તમારા પ્રત્‍યે પ્રેમ અથવા લાગણી દર્શાવે છે, ત્‍યારે ભલે અલગ રીતે પણ તમારે તેને પ્રેમ દર્શાવવો મહત્‍વપૂર્ણ છે. મને લાગે છે કે તે ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. આ તમારા અહંકારને ઘટાડવાના રસ્‍તાઓ છે, બસ આટલું જ'.


નેટીઝન્સે કરીનાની ઝાટકણી કાઢી


આ વાયરલ વીડિયો બાદ અનેક લોકો નારાયણના સમર્થનમાં બહાર આવ્યા છે. નેટીઝન્સ સોશિયલ મીડિયા પર વિવિધ   પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું, "એટલે જ કરીનાનું ગ્લેમર ગયા પછી કોઈને યાદ પણ નહીં હોય કે કરીના કોણ છે. બીજી તરફ, એ લોકો છે જે તમને આજથી સો વર્ષ પછી પણ યાદ કરશે" એક યુઝરે એમ પણ કહ્યું, "બસ આ સાબિત કરે છે કે શિક્ષણ અને ઉછેર અને કૌટુંબિક પૃષ્ઠભૂમિ મુખ્ય ભૂમિકા ભજવે છે."



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.