હિમાચલની 2.31 લાખ મહિલાઓને જૂનથી મળશે 1,500 રૂપિયા, સરકાર જાહેર કરશે નોટિફિકેશન


  • Published By :
  • Published Date : 2023-05-11 15:29:22

હિમાચલ પ્રદેશની 2.31 લાખ મહિલાઓને જુન મહિનાના પ્રારંભથી 1500 રૂપિયા મળવાના શરૂ થઈ જશે.અનુસુચિત જાતિ, ઓબીસી, લઘુમતી અને વિશેષરૂપથી સક્ષમના સશક્તિકરણ વિભાગે નિયમોમાં સુધારો કરી પ્રસ્તાવ સરકારને સોંપી દીધો છે. હવે આ બાબતે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. પ્રદેશમાં પહેલા તબક્કામાં 1,000 અને 1,150 રૂપિયા પેન્શન લઈ રહેલી મહિલાઓને 1500 રૂપિયા આપવામાં આવશે. આ યોજનામાં 18થી 59 વર્ષની અન્ય મહિલાઓનો પણ તબક્કાવાર રીતે યોજનામાં સામેલ કરવામાં આવશે.


416 કરોડ રૂપિયા ફાળવાયા


આ યોજના માટે ગ્રામ પંચાયતે આવકનું પ્રમાણપત્ર લાવવાની જોગવાઈ દુર કરી દીધી છે. વર્તમાનમાં વિધવા,ત્યક્તા, દિવ્યાંગ અને કુષ્ટરોગી મહિલાઓને 1,000 અને 1,150 રૂપિયાની માસિક પેન્શન યોજનાનો લાભ મળી રહ્યો છે. દિવ્યાંગ પેન્શન હેઠળ કેટલીક મહિલાઓની આવક 60 વર્ષથી પણ વધુ છે. પહેલા તબક્કામાં નારી સન્માન સહાય માટે સરકારે 416 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરી છે. બીજી તરફ સ્પિતીની મહિલાઓને 1500 રૂપિયા આપવા માટે વિભાગને પ્રસ્તાવ તૈયાર કરીને સરકારને મોકલી દીધો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.