હિમાચલની 2.31 લાખ મહિલાઓને જૂનથી મળશે 1,500 રૂપિયા, સરકાર જાહેર કરશે નોટિફિકેશન


  • Published By :
  • Published Date : 2023-05-11 15:29:22

હિમાચલ પ્રદેશની 2.31 લાખ મહિલાઓને જુન મહિનાના પ્રારંભથી 1500 રૂપિયા મળવાના શરૂ થઈ જશે.અનુસુચિત જાતિ, ઓબીસી, લઘુમતી અને વિશેષરૂપથી સક્ષમના સશક્તિકરણ વિભાગે નિયમોમાં સુધારો કરી પ્રસ્તાવ સરકારને સોંપી દીધો છે. હવે આ બાબતે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. પ્રદેશમાં પહેલા તબક્કામાં 1,000 અને 1,150 રૂપિયા પેન્શન લઈ રહેલી મહિલાઓને 1500 રૂપિયા આપવામાં આવશે. આ યોજનામાં 18થી 59 વર્ષની અન્ય મહિલાઓનો પણ તબક્કાવાર રીતે યોજનામાં સામેલ કરવામાં આવશે.


416 કરોડ રૂપિયા ફાળવાયા


આ યોજના માટે ગ્રામ પંચાયતે આવકનું પ્રમાણપત્ર લાવવાની જોગવાઈ દુર કરી દીધી છે. વર્તમાનમાં વિધવા,ત્યક્તા, દિવ્યાંગ અને કુષ્ટરોગી મહિલાઓને 1,000 અને 1,150 રૂપિયાની માસિક પેન્શન યોજનાનો લાભ મળી રહ્યો છે. દિવ્યાંગ પેન્શન હેઠળ કેટલીક મહિલાઓની આવક 60 વર્ષથી પણ વધુ છે. પહેલા તબક્કામાં નારી સન્માન સહાય માટે સરકારે 416 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરી છે. બીજી તરફ સ્પિતીની મહિલાઓને 1500 રૂપિયા આપવા માટે વિભાગને પ્રસ્તાવ તૈયાર કરીને સરકારને મોકલી દીધો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.