હિમાચલની 2.31 લાખ મહિલાઓને જૂનથી મળશે 1,500 રૂપિયા, સરકાર જાહેર કરશે નોટિફિકેશન


  • Published By :
  • Published Date : 2023-05-11 15:29:22

હિમાચલ પ્રદેશની 2.31 લાખ મહિલાઓને જુન મહિનાના પ્રારંભથી 1500 રૂપિયા મળવાના શરૂ થઈ જશે.અનુસુચિત જાતિ, ઓબીસી, લઘુમતી અને વિશેષરૂપથી સક્ષમના સશક્તિકરણ વિભાગે નિયમોમાં સુધારો કરી પ્રસ્તાવ સરકારને સોંપી દીધો છે. હવે આ બાબતે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. પ્રદેશમાં પહેલા તબક્કામાં 1,000 અને 1,150 રૂપિયા પેન્શન લઈ રહેલી મહિલાઓને 1500 રૂપિયા આપવામાં આવશે. આ યોજનામાં 18થી 59 વર્ષની અન્ય મહિલાઓનો પણ તબક્કાવાર રીતે યોજનામાં સામેલ કરવામાં આવશે.


416 કરોડ રૂપિયા ફાળવાયા


આ યોજના માટે ગ્રામ પંચાયતે આવકનું પ્રમાણપત્ર લાવવાની જોગવાઈ દુર કરી દીધી છે. વર્તમાનમાં વિધવા,ત્યક્તા, દિવ્યાંગ અને કુષ્ટરોગી મહિલાઓને 1,000 અને 1,150 રૂપિયાની માસિક પેન્શન યોજનાનો લાભ મળી રહ્યો છે. દિવ્યાંગ પેન્શન હેઠળ કેટલીક મહિલાઓની આવક 60 વર્ષથી પણ વધુ છે. પહેલા તબક્કામાં નારી સન્માન સહાય માટે સરકારે 416 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરી છે. બીજી તરફ સ્પિતીની મહિલાઓને 1500 રૂપિયા આપવા માટે વિભાગને પ્રસ્તાવ તૈયાર કરીને સરકારને મોકલી દીધો છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.