હિમાચલની 2.31 લાખ મહિલાઓને જૂનથી મળશે 1,500 રૂપિયા, સરકાર જાહેર કરશે નોટિફિકેશન


  • Published By :
  • Published Date : 2023-05-11 15:29:22

હિમાચલ પ્રદેશની 2.31 લાખ મહિલાઓને જુન મહિનાના પ્રારંભથી 1500 રૂપિયા મળવાના શરૂ થઈ જશે.અનુસુચિત જાતિ, ઓબીસી, લઘુમતી અને વિશેષરૂપથી સક્ષમના સશક્તિકરણ વિભાગે નિયમોમાં સુધારો કરી પ્રસ્તાવ સરકારને સોંપી દીધો છે. હવે આ બાબતે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. પ્રદેશમાં પહેલા તબક્કામાં 1,000 અને 1,150 રૂપિયા પેન્શન લઈ રહેલી મહિલાઓને 1500 રૂપિયા આપવામાં આવશે. આ યોજનામાં 18થી 59 વર્ષની અન્ય મહિલાઓનો પણ તબક્કાવાર રીતે યોજનામાં સામેલ કરવામાં આવશે.


416 કરોડ રૂપિયા ફાળવાયા


આ યોજના માટે ગ્રામ પંચાયતે આવકનું પ્રમાણપત્ર લાવવાની જોગવાઈ દુર કરી દીધી છે. વર્તમાનમાં વિધવા,ત્યક્તા, દિવ્યાંગ અને કુષ્ટરોગી મહિલાઓને 1,000 અને 1,150 રૂપિયાની માસિક પેન્શન યોજનાનો લાભ મળી રહ્યો છે. દિવ્યાંગ પેન્શન હેઠળ કેટલીક મહિલાઓની આવક 60 વર્ષથી પણ વધુ છે. પહેલા તબક્કામાં નારી સન્માન સહાય માટે સરકારે 416 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરી છે. બીજી તરફ સ્પિતીની મહિલાઓને 1500 રૂપિયા આપવા માટે વિભાગને પ્રસ્તાવ તૈયાર કરીને સરકારને મોકલી દીધો છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.