'મુઘલો ક્રૂર હતા તો તેમનો તાજ મહેલ અને લાલ કિલ્લો પણ તોડી પાડો': નસીરૂદ્દીન શાહ


  • Published By :
  • Published Date : 2023-02-24 18:41:38

બોલિવુડના દિગ્ગજ કલાકાર નસીરૂદ્દીન શાહ તેમના વિચારો નિર્ભિક રીતે રજુ કરવા માટે જાણીતા છે. મુઘલો અંગે આપેલા તેમના એક નિવેદને દેશમાં ખાસ્સી ચર્ચા જગાવી છે. શાહે કહ્યું કે મુઘલોનું અપમાન ન કરવું જોઈએ.



મુઘલો અંગે કરી આ વાત


નસિરૂદ્દીન શાહને જ્યારે પુછવામાં આવ્યું  કે આજે જ્યારે એ માનવામાં આવી રહ્યું છે કે દેશની સાથે જે પણ ખરાબ થયું તે મુઘલોના સમયમાં જ થયું છે આ અંગે તમે શું કહેશો? આ સવાલનો જવાબ આપતા શાહે કહ્યું કે "તેમને આશ્ચર્ય થાય છે કારણ કે આ બાબત જ હાસ્યાસ્પદ છે. મારો કહેવાનો મતલબ છે, કે લોકો અકબર અને નાદિર શાહ કે બાબરના પરદાદા તૈમૂર જેવા આક્રમકો વચ્ચેનું અંતર જ સમજી શકતા નથી." આક્રમકો લૂંટના ઈરાદે આવ્યા હતા, મુઘલો અહીં લૂંટ કરવા નહીં પણ પોતાનું ઘર બનાવવા માટે આવ્યા હતા અને તેમણે તેવું જ કર્યું તેમના યોગદાનને કોણ નકારી શકશે? 


શાહે વધુમાં કહ્યું કે એવું માની લેવું કે "મુઘલોમાં માત્ર ખરાબીઓ જ હતી તે બાબત દેશના ઈતિહાસ અંગેનું અજ્ઞાન દર્શાવે છે. તેવું બની શકે કે ઈતિહાસના પુસ્તકોમાં ભારતની સ્વદેશી સંસ્કૃતિની કિંમતે મુઘલોનું મહિમામંડન કરાયું હોય. પરંતું તેમના શાસનકાળને માત્ર વિનાશકારી સ્વરૂપે જ દર્શાવવો તે યોગ્ય નથી."


લાલ કિલ્લો અને તાજ મહેલ તોડી પાડો


નસિરૂદ્દીન શાહે કહ્યું કે તેમનું સામ્રાજ્ય જો આટલું જ ખરાબ હતું તો તેમના વિરોધ કરનારા લોકો મુઘલો દ્વારા બનાવવામાં આવેલા સ્મારકો ધ્વસ્ત કેમ નથી કરતા?, તાજ મહેલને તોડી પાડો, લાલ કિલ્લાને આપણે પવિત્ર કેમ માનીએ છિએ, જો કે તે પણ મોગલોએ બનાવ્યો  હતો, તેને પણ તોડી પાડવો જોઈએ.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.