'મુઘલો ક્રૂર હતા તો તેમનો તાજ મહેલ અને લાલ કિલ્લો પણ તોડી પાડો': નસીરૂદ્દીન શાહ


  • Published By :
  • Published Date : 2023-02-24 18:41:38

બોલિવુડના દિગ્ગજ કલાકાર નસીરૂદ્દીન શાહ તેમના વિચારો નિર્ભિક રીતે રજુ કરવા માટે જાણીતા છે. મુઘલો અંગે આપેલા તેમના એક નિવેદને દેશમાં ખાસ્સી ચર્ચા જગાવી છે. શાહે કહ્યું કે મુઘલોનું અપમાન ન કરવું જોઈએ.



મુઘલો અંગે કરી આ વાત


નસિરૂદ્દીન શાહને જ્યારે પુછવામાં આવ્યું  કે આજે જ્યારે એ માનવામાં આવી રહ્યું છે કે દેશની સાથે જે પણ ખરાબ થયું તે મુઘલોના સમયમાં જ થયું છે આ અંગે તમે શું કહેશો? આ સવાલનો જવાબ આપતા શાહે કહ્યું કે "તેમને આશ્ચર્ય થાય છે કારણ કે આ બાબત જ હાસ્યાસ્પદ છે. મારો કહેવાનો મતલબ છે, કે લોકો અકબર અને નાદિર શાહ કે બાબરના પરદાદા તૈમૂર જેવા આક્રમકો વચ્ચેનું અંતર જ સમજી શકતા નથી." આક્રમકો લૂંટના ઈરાદે આવ્યા હતા, મુઘલો અહીં લૂંટ કરવા નહીં પણ પોતાનું ઘર બનાવવા માટે આવ્યા હતા અને તેમણે તેવું જ કર્યું તેમના યોગદાનને કોણ નકારી શકશે? 


શાહે વધુમાં કહ્યું કે એવું માની લેવું કે "મુઘલોમાં માત્ર ખરાબીઓ જ હતી તે બાબત દેશના ઈતિહાસ અંગેનું અજ્ઞાન દર્શાવે છે. તેવું બની શકે કે ઈતિહાસના પુસ્તકોમાં ભારતની સ્વદેશી સંસ્કૃતિની કિંમતે મુઘલોનું મહિમામંડન કરાયું હોય. પરંતું તેમના શાસનકાળને માત્ર વિનાશકારી સ્વરૂપે જ દર્શાવવો તે યોગ્ય નથી."


લાલ કિલ્લો અને તાજ મહેલ તોડી પાડો


નસિરૂદ્દીન શાહે કહ્યું કે તેમનું સામ્રાજ્ય જો આટલું જ ખરાબ હતું તો તેમના વિરોધ કરનારા લોકો મુઘલો દ્વારા બનાવવામાં આવેલા સ્મારકો ધ્વસ્ત કેમ નથી કરતા?, તાજ મહેલને તોડી પાડો, લાલ કિલ્લાને આપણે પવિત્ર કેમ માનીએ છિએ, જો કે તે પણ મોગલોએ બનાવ્યો  હતો, તેને પણ તોડી પાડવો જોઈએ.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.