નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડની જાહેરાત, મોહમ્મદ શમી સહિત 26ને અર્જુન એવોર્ડ, આ 2 ખેલાડીઓને ખેલ રત્ન


  • Published By :
  • Published Date : 2023-12-20 20:04:59

ખેલ પુરસ્કારો માટે ખેલાડીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ ભારતના બે યુવા બેડમિન્ટન સ્ટાર્સને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ વર્ષનો ખેલ રત્ન પુરસ્કાર ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડીને આપવામાં આવશે. આ બંનેએ વિશ્વભરમાં બેડમિન્ટન ડબલ્સમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. ખેલ મંત્રાલયે આ તમામ નામોની પુષ્ટિ કરી છે.


આ ખેલાડીઓનું થશે સન્માન


તમામ ખેલાડીઓનું જાન્યુઆરીમાં સન્માન કરવામાં આવશે અને આ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન આ સ્પોર્ટ્સ એવોર્ડ આપવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તે ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. ખેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. સન્માનિત થનાર ખેલાડીઓની પસંદગી તે વર્ષના તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવે છે. રમતગમત વિભાગ તેમના નામની ભલામણ કરે છે. અર્જુન એવોર્ડ મેળવનારાઓની યાદીમાં લાંબી કૂદના એથ્લેટ શ્રીશંકર, સ્ટાર પેરા એથ્લેટ શીતલ દેવી, સ્ટાર મહિલા હોકી ખેલાડી સુશીલા ચાનૂ સહિત 26 ખેલાડીઓનો સમાવેશ થાય છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.