માં આદ્યશક્તિની ઉપાસના કરવાનો પર્વ એટલે નવરાત્રી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 17:27:26

26 સપ્ટેમ્બરથી આસો નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીના 9 દિવસો દરમિયાન નવ દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. પ્રથમ દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે. માં કુષ્માન્ડાની પૂજા ચોથા નોરતે કરવામાં આવે છે. પાંચમા દિવસે સ્કંદમાતાની, છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીની ઉપાસના કરવામાં આવે છે. કાલરાત્રીની ઉપાસના સાતમા દિવસે તેમજ મહાગૌરીની ઉપાસના આઠમના દિવસે કરવામાં આવે છે.  સિદ્ધિદાત્રીની ઉપાસના નવમાં નોરતે કરવામાં આવે છે.    

Explained: Nine Forms of Goddess Durga

મુખ્ય ત્રણ દેવીઓની કરવામાં આવે છે ઉપાસના 

નવરાત્રી દરમિયાન આદ્યશક્તિની ઉપાસના કરવામાં આવે છે. ભક્તો પોતાના ઘરે માતાજીની પધરામણી કરાવે છે. પોતાના ઘરમાં માતાજીની ભક્તિભાવ સાથે ભક્તો આરાધના કરે છે. નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસોમાં માં મહાકાળીની ઉપાસના કરવામાં આવે છે. ચોથથી છઠ્ઠ સુધી માં મહાલક્ષ્મીની ઉપાસના કરવામાં આવે છે જ્યારે છેલ્લા 3 દિવસોમાં મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.  

દિવસ પ્રમાણે કલરનું મહત્વ

પહેલા દિવસે સફેદ રંગનું મહત્વ હોય છે. બીજા દિવસે લાલ રંગનું મહત્વ હોય છે. ત્રીજા દિવસે વાદળી રંગનું મહત્વ હોય છે. ચોથા દિવસે પીળો કલર પહેરવાથી માં પ્રસન્ન થાય છે. પાંચમા દિવસે લીલો રંગ પહેરવામાં આવે છે. છઠ્ઠા દિવસે ભૂરા રંગનો વિશેષ મહત્વ રહેલું છે. સાતમા દિવસે નારંગી, આઠમા દિવસે લીલા રંગનું તેમજ નવમાં દિવસે ગુલાબી રંગનું મહત્વ રહેલું છે.   

Know Your Future In Navratri - Navratri Spl: जौ के रंग से जानें अपना आने  वाला समय - Amar Ujala Hindi News Live


ઘટ સ્થાપના કરવાના મૂહુર્ત

નવરાત્રી દરમિયાન માતાજી સ્થાપનાની સાથે સાથે ઘટ સ્થાપના પણ કરવામાં આવે છે. ઘટ સ્થાપનાના મૂહુર્ત આ પ્રમાણે છે -  સવારે 6થી 7.30 પછી 9 થી 10.30 કલાક સુધી છે. બપોરના સમયે 1.30થી 6.00 વાગ્યા સુધીના મૂહુર્ત છે. આ વખતે કોઈ પણ તિથિનો ક્ષય નથી જેથી આ વખતે પૂરા નવ દિવસ નવરાત્રીનો ઉત્સવ રહેવાનો છે.  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.