માં આદ્યશક્તિની ઉપાસના કરવાનો પર્વ એટલે નવરાત્રી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 17:27:26

26 સપ્ટેમ્બરથી આસો નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીના 9 દિવસો દરમિયાન નવ દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. પ્રથમ દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે. માં કુષ્માન્ડાની પૂજા ચોથા નોરતે કરવામાં આવે છે. પાંચમા દિવસે સ્કંદમાતાની, છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીની ઉપાસના કરવામાં આવે છે. કાલરાત્રીની ઉપાસના સાતમા દિવસે તેમજ મહાગૌરીની ઉપાસના આઠમના દિવસે કરવામાં આવે છે.  સિદ્ધિદાત્રીની ઉપાસના નવમાં નોરતે કરવામાં આવે છે.    

Explained: Nine Forms of Goddess Durga

મુખ્ય ત્રણ દેવીઓની કરવામાં આવે છે ઉપાસના 

નવરાત્રી દરમિયાન આદ્યશક્તિની ઉપાસના કરવામાં આવે છે. ભક્તો પોતાના ઘરે માતાજીની પધરામણી કરાવે છે. પોતાના ઘરમાં માતાજીની ભક્તિભાવ સાથે ભક્તો આરાધના કરે છે. નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસોમાં માં મહાકાળીની ઉપાસના કરવામાં આવે છે. ચોથથી છઠ્ઠ સુધી માં મહાલક્ષ્મીની ઉપાસના કરવામાં આવે છે જ્યારે છેલ્લા 3 દિવસોમાં મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.  

દિવસ પ્રમાણે કલરનું મહત્વ

પહેલા દિવસે સફેદ રંગનું મહત્વ હોય છે. બીજા દિવસે લાલ રંગનું મહત્વ હોય છે. ત્રીજા દિવસે વાદળી રંગનું મહત્વ હોય છે. ચોથા દિવસે પીળો કલર પહેરવાથી માં પ્રસન્ન થાય છે. પાંચમા દિવસે લીલો રંગ પહેરવામાં આવે છે. છઠ્ઠા દિવસે ભૂરા રંગનો વિશેષ મહત્વ રહેલું છે. સાતમા દિવસે નારંગી, આઠમા દિવસે લીલા રંગનું તેમજ નવમાં દિવસે ગુલાબી રંગનું મહત્વ રહેલું છે.   

Know Your Future In Navratri - Navratri Spl: जौ के रंग से जानें अपना आने  वाला समय - Amar Ujala Hindi News Live


ઘટ સ્થાપના કરવાના મૂહુર્ત

નવરાત્રી દરમિયાન માતાજી સ્થાપનાની સાથે સાથે ઘટ સ્થાપના પણ કરવામાં આવે છે. ઘટ સ્થાપનાના મૂહુર્ત આ પ્રમાણે છે -  સવારે 6થી 7.30 પછી 9 થી 10.30 કલાક સુધી છે. બપોરના સમયે 1.30થી 6.00 વાગ્યા સુધીના મૂહુર્ત છે. આ વખતે કોઈ પણ તિથિનો ક્ષય નથી જેથી આ વખતે પૂરા નવ દિવસ નવરાત્રીનો ઉત્સવ રહેવાનો છે.  



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .