માં આદ્યશક્તિની ઉપાસના કરવાનો પર્વ એટલે નવરાત્રી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 17:27:26

26 સપ્ટેમ્બરથી આસો નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીના 9 દિવસો દરમિયાન નવ દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. પ્રથમ દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટાની ઉપાસના કરવામાં આવે છે. માં કુષ્માન્ડાની પૂજા ચોથા નોરતે કરવામાં આવે છે. પાંચમા દિવસે સ્કંદમાતાની, છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીની ઉપાસના કરવામાં આવે છે. કાલરાત્રીની ઉપાસના સાતમા દિવસે તેમજ મહાગૌરીની ઉપાસના આઠમના દિવસે કરવામાં આવે છે.  સિદ્ધિદાત્રીની ઉપાસના નવમાં નોરતે કરવામાં આવે છે.    

Explained: Nine Forms of Goddess Durga

મુખ્ય ત્રણ દેવીઓની કરવામાં આવે છે ઉપાસના 

નવરાત્રી દરમિયાન આદ્યશક્તિની ઉપાસના કરવામાં આવે છે. ભક્તો પોતાના ઘરે માતાજીની પધરામણી કરાવે છે. પોતાના ઘરમાં માતાજીની ભક્તિભાવ સાથે ભક્તો આરાધના કરે છે. નવરાત્રીના પ્રથમ ત્રણ દિવસોમાં માં મહાકાળીની ઉપાસના કરવામાં આવે છે. ચોથથી છઠ્ઠ સુધી માં મહાલક્ષ્મીની ઉપાસના કરવામાં આવે છે જ્યારે છેલ્લા 3 દિવસોમાં મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.  

દિવસ પ્રમાણે કલરનું મહત્વ

પહેલા દિવસે સફેદ રંગનું મહત્વ હોય છે. બીજા દિવસે લાલ રંગનું મહત્વ હોય છે. ત્રીજા દિવસે વાદળી રંગનું મહત્વ હોય છે. ચોથા દિવસે પીળો કલર પહેરવાથી માં પ્રસન્ન થાય છે. પાંચમા દિવસે લીલો રંગ પહેરવામાં આવે છે. છઠ્ઠા દિવસે ભૂરા રંગનો વિશેષ મહત્વ રહેલું છે. સાતમા દિવસે નારંગી, આઠમા દિવસે લીલા રંગનું તેમજ નવમાં દિવસે ગુલાબી રંગનું મહત્વ રહેલું છે.   

Know Your Future In Navratri - Navratri Spl: जौ के रंग से जानें अपना आने  वाला समय - Amar Ujala Hindi News Live


ઘટ સ્થાપના કરવાના મૂહુર્ત

નવરાત્રી દરમિયાન માતાજી સ્થાપનાની સાથે સાથે ઘટ સ્થાપના પણ કરવામાં આવે છે. ઘટ સ્થાપનાના મૂહુર્ત આ પ્રમાણે છે -  સવારે 6થી 7.30 પછી 9 થી 10.30 કલાક સુધી છે. બપોરના સમયે 1.30થી 6.00 વાગ્યા સુધીના મૂહુર્ત છે. આ વખતે કોઈ પણ તિથિનો ક્ષય નથી જેથી આ વખતે પૂરા નવ દિવસ નવરાત્રીનો ઉત્સવ રહેવાનો છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.