Navsari : ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નૈષદ દેસાઈએ મતદારોને કરી વોટ સાથે નોટ આપવાની અપીલ? આની પહેલા આ ઉમેદવારો કરી ચૂક્યા છે આવી અપીલ


  • Published By :
  • Published Date : 2024-04-29 10:16:36

કોંગ્રેસના અનેક ઉમેદવારોએ મતદાતાઓને યથાશક્તિ પૈસા આપવાની અપીલ કરી છે એ પછી ગેનીબેન ઠાકોર, લલિત વસોયા હોય કે પછી રામજી ઠાકોર... અનેક ઉમેદવારોએ વોટની સાથે નોટ આપવાની અપીલ કરી ત્યારે હવે આ લિસ્ટમાં નવસારી બેઠકના ઈન્ડિયા ગઠબંધનમાં ઉમેદવાર નૈષદ દેસાઈ પણ જોડાઈ ગયા છે... તેમણે પણ મતદાતાઓને યથાશક્તિ પૈસા આપી તેમને ચૂંટણી લડવામાં સહયોગ કરવા વિનંતી કરી છે... મળતી માહિતી અનુસાર નૈષદ દેસાઈ દ્વારા પણ ક્યુઆર કોડ તેમજ બેન્ક ડિટેલ આપવામાં આવી છે. એક વીડિયો તેમના દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં તેમણે ભાજપ પર પ્રહાર પણ કર્યા છે...      

ઉમેદવારો કરી રહ્યા છે વોટ સાથે નોટની અપીલ 

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે.. કોંગ્રેસનું બેન્ક અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે... બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થતા ઉમેદવારોને ચૂંટણી લડવામાં મુશ્કેલી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.... ગુજરાતમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે પૈસા આપવાની અપીલ મતદાતાઓને કરી છે.... કોંગ્રેસના ઉમેદવારો દ્વારા બેન્ક ડિટેલ શેર કરવામાં આવી રહી  છે તેમજ ક્યુઆર કોડ પણ શેર કરવામાં આવે છે...


નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈષદ દેસાઈએ બેન્ક ડિટેલ કરી શેર 

ગેનીબેન ઠાકોર, લલિત વસોયા, રામજી ઠાકોર દ્વારા  મતદાતાઓને અપીલ કરવામાં આવી છે કે વોટ સાથે નોટ પણ આપવામાં આવે.... આ બધા વચ્ચે નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈષદ દેસાઈ દ્વારા પણ બેંક ડિટેલ શેર કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે....મહત્વનું છે કે નવસારી લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી તરફ સી.આર.પાટીલ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નૈષદ દેસાઈને ટિકીટ આપવામાં આવી છે.... 


લલિત વસોયાએ શેર કર્યો હતો આ પ્રકારની અપીલ કરતો વીડિયો 

થોડા સમય પહેલા પોરબંદરના ઉમેદવાર લલિત વસોયા દ્વારા આવી માગ કરવામાં આવી હતી તે પહેલા બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી.  નૈષદ દેસાઈ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે... વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે ચૂંટણીને ભાજપે ખૂબ ખર્ચાળ બનાવી દીધું છે. માટે નાછુટકે તમને નમ્ર પ્રાર્થના કરવાની ફરજ પડી છે.. 


કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે ગઠબંધન 

મહત્વનું છે કે ગુજરાતમાં લોકસભા બેઠકો માટે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે... ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.... ત્યારે ગુજરાતમાં કેટલી બેઠકો કોને ફાળે જાય છે તે તો પરિણામના દિવસે ખબર પડશે....          



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."