Navsari : ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નૈષદ દેસાઈએ મતદારોને કરી વોટ સાથે નોટ આપવાની અપીલ? આની પહેલા આ ઉમેદવારો કરી ચૂક્યા છે આવી અપીલ


  • Published By :
  • Published Date : 2024-04-29 10:16:36

કોંગ્રેસના અનેક ઉમેદવારોએ મતદાતાઓને યથાશક્તિ પૈસા આપવાની અપીલ કરી છે એ પછી ગેનીબેન ઠાકોર, લલિત વસોયા હોય કે પછી રામજી ઠાકોર... અનેક ઉમેદવારોએ વોટની સાથે નોટ આપવાની અપીલ કરી ત્યારે હવે આ લિસ્ટમાં નવસારી બેઠકના ઈન્ડિયા ગઠબંધનમાં ઉમેદવાર નૈષદ દેસાઈ પણ જોડાઈ ગયા છે... તેમણે પણ મતદાતાઓને યથાશક્તિ પૈસા આપી તેમને ચૂંટણી લડવામાં સહયોગ કરવા વિનંતી કરી છે... મળતી માહિતી અનુસાર નૈષદ દેસાઈ દ્વારા પણ ક્યુઆર કોડ તેમજ બેન્ક ડિટેલ આપવામાં આવી છે. એક વીડિયો તેમના દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં તેમણે ભાજપ પર પ્રહાર પણ કર્યા છે...      

ઉમેદવારો કરી રહ્યા છે વોટ સાથે નોટની અપીલ 

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે.. કોંગ્રેસનું બેન્ક અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે... બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થતા ઉમેદવારોને ચૂંટણી લડવામાં મુશ્કેલી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.... ગુજરાતમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે પૈસા આપવાની અપીલ મતદાતાઓને કરી છે.... કોંગ્રેસના ઉમેદવારો દ્વારા બેન્ક ડિટેલ શેર કરવામાં આવી રહી  છે તેમજ ક્યુઆર કોડ પણ શેર કરવામાં આવે છે...


નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈષદ દેસાઈએ બેન્ક ડિટેલ કરી શેર 

ગેનીબેન ઠાકોર, લલિત વસોયા, રામજી ઠાકોર દ્વારા  મતદાતાઓને અપીલ કરવામાં આવી છે કે વોટ સાથે નોટ પણ આપવામાં આવે.... આ બધા વચ્ચે નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈષદ દેસાઈ દ્વારા પણ બેંક ડિટેલ શેર કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે....મહત્વનું છે કે નવસારી લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી તરફ સી.આર.પાટીલ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નૈષદ દેસાઈને ટિકીટ આપવામાં આવી છે.... 


લલિત વસોયાએ શેર કર્યો હતો આ પ્રકારની અપીલ કરતો વીડિયો 

થોડા સમય પહેલા પોરબંદરના ઉમેદવાર લલિત વસોયા દ્વારા આવી માગ કરવામાં આવી હતી તે પહેલા બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી.  નૈષદ દેસાઈ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે... વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે ચૂંટણીને ભાજપે ખૂબ ખર્ચાળ બનાવી દીધું છે. માટે નાછુટકે તમને નમ્ર પ્રાર્થના કરવાની ફરજ પડી છે.. 


કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે ગઠબંધન 

મહત્વનું છે કે ગુજરાતમાં લોકસભા બેઠકો માટે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે... ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.... ત્યારે ગુજરાતમાં કેટલી બેઠકો કોને ફાળે જાય છે તે તો પરિણામના દિવસે ખબર પડશે....          



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .