Navsari : ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નૈષદ દેસાઈએ મતદારોને કરી વોટ સાથે નોટ આપવાની અપીલ? આની પહેલા આ ઉમેદવારો કરી ચૂક્યા છે આવી અપીલ


  • Published By :
  • Published Date : 2024-04-29 10:16:36

કોંગ્રેસના અનેક ઉમેદવારોએ મતદાતાઓને યથાશક્તિ પૈસા આપવાની અપીલ કરી છે એ પછી ગેનીબેન ઠાકોર, લલિત વસોયા હોય કે પછી રામજી ઠાકોર... અનેક ઉમેદવારોએ વોટની સાથે નોટ આપવાની અપીલ કરી ત્યારે હવે આ લિસ્ટમાં નવસારી બેઠકના ઈન્ડિયા ગઠબંધનમાં ઉમેદવાર નૈષદ દેસાઈ પણ જોડાઈ ગયા છે... તેમણે પણ મતદાતાઓને યથાશક્તિ પૈસા આપી તેમને ચૂંટણી લડવામાં સહયોગ કરવા વિનંતી કરી છે... મળતી માહિતી અનુસાર નૈષદ દેસાઈ દ્વારા પણ ક્યુઆર કોડ તેમજ બેન્ક ડિટેલ આપવામાં આવી છે. એક વીડિયો તેમના દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં તેમણે ભાજપ પર પ્રહાર પણ કર્યા છે...      

ઉમેદવારો કરી રહ્યા છે વોટ સાથે નોટની અપીલ 

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે.. કોંગ્રેસનું બેન્ક અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે... બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થતા ઉમેદવારોને ચૂંટણી લડવામાં મુશ્કેલી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.... ગુજરાતમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે પૈસા આપવાની અપીલ મતદાતાઓને કરી છે.... કોંગ્રેસના ઉમેદવારો દ્વારા બેન્ક ડિટેલ શેર કરવામાં આવી રહી  છે તેમજ ક્યુઆર કોડ પણ શેર કરવામાં આવે છે...


નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈષદ દેસાઈએ બેન્ક ડિટેલ કરી શેર 

ગેનીબેન ઠાકોર, લલિત વસોયા, રામજી ઠાકોર દ્વારા  મતદાતાઓને અપીલ કરવામાં આવી છે કે વોટ સાથે નોટ પણ આપવામાં આવે.... આ બધા વચ્ચે નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈષદ દેસાઈ દ્વારા પણ બેંક ડિટેલ શેર કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે....મહત્વનું છે કે નવસારી લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી તરફ સી.આર.પાટીલ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તો ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નૈષદ દેસાઈને ટિકીટ આપવામાં આવી છે.... 


લલિત વસોયાએ શેર કર્યો હતો આ પ્રકારની અપીલ કરતો વીડિયો 

થોડા સમય પહેલા પોરબંદરના ઉમેદવાર લલિત વસોયા દ્વારા આવી માગ કરવામાં આવી હતી તે પહેલા બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી.  નૈષદ દેસાઈ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે... વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે ચૂંટણીને ભાજપે ખૂબ ખર્ચાળ બનાવી દીધું છે. માટે નાછુટકે તમને નમ્ર પ્રાર્થના કરવાની ફરજ પડી છે.. 


કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે ગઠબંધન 

મહત્વનું છે કે ગુજરાતમાં લોકસભા બેઠકો માટે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે... ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.... ત્યારે ગુજરાતમાં કેટલી બેઠકો કોને ફાળે જાય છે તે તો પરિણામના દિવસે ખબર પડશે....          



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.