છત્તીસગઢમાં થયો નક્સલી હુમલો, ઘટનામાં 11 જવાન થયા શહીદ! આ મામલે સીએમ બઘેલે આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-04-26 17:23:32

છત્તીસગઢમાં નક્સલવાદી હુમલો થયો છે. છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે જેમાં અનેક જવાનો શહીદ થયા છે. આ હુમલામાં નક્સલવાદીઓએ એક વાહનને બોમ્બથી ઉડાવી દીધું છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં 10 જેટલા પોલીસકર્મી શહીદ થયા છે. આ જવાનો ડિસ્ટ્રિક્ટ રિજર્વ ગાર્ડ યૂનિટના હતા. નક્સલવાદીઓએ બારૂદી સુરંગમાં વિસ્ફોટ કર્યો હતો.

   

સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓએ કર્યો હુમલો!

બુધવાર બપોરે છત્તીસગઢમાં એક ઘટના બની હતી. નક્સલવાદી હુમલાની ઘટના સામે આવી છે જેમાં 10 જેટલા પોલીસકર્મીઓ શહીદ થયા છે. નક્સલવાદીઓ હોવાની જાણકારી મળી હતી જેને લઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં  આવ્યું હતું. આ દરમિયાન નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કરી દીધો હતો. આ ઘટનાને લઈ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે પ્રતિક્રિયા આપી છે.  


સીએમએ આ ઘટના બાદ આપી પ્રતિક્રિયા!

ભૂપેશ બાઘેલે કહ્યું કે નક્સલવાદીઓને બક્ષવામાં નહીં આવે. આ ઘટના ખુબ જ દૂખદ છે. નક્સલવાદીઓ સામેની લડાઈ અંતિમ તબક્કામાં છે. નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે. આ ઘટના અંગે રાજ્યના પૂર્વ સીએમ રમણ સિંહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બઘેલ દરેક હુમલા પછી એક જ વાત કહે છે પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. જ્યાં સુધી રાજ્યો સાથે સંકલન કરીને નક્સલવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન નહીં ચલાવવામાં આવે ત્યાં સુધી આ સમસ્યાનો અંત નહીં આવે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.