છત્તીસગઢમાં થયો નક્સલી હુમલો, ઘટનામાં 11 જવાન થયા શહીદ! આ મામલે સીએમ બઘેલે આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-04-26 17:23:32

છત્તીસગઢમાં નક્સલવાદી હુમલો થયો છે. છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે જેમાં અનેક જવાનો શહીદ થયા છે. આ હુમલામાં નક્સલવાદીઓએ એક વાહનને બોમ્બથી ઉડાવી દીધું છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં 10 જેટલા પોલીસકર્મી શહીદ થયા છે. આ જવાનો ડિસ્ટ્રિક્ટ રિજર્વ ગાર્ડ યૂનિટના હતા. નક્સલવાદીઓએ બારૂદી સુરંગમાં વિસ્ફોટ કર્યો હતો.

   

સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓએ કર્યો હુમલો!

બુધવાર બપોરે છત્તીસગઢમાં એક ઘટના બની હતી. નક્સલવાદી હુમલાની ઘટના સામે આવી છે જેમાં 10 જેટલા પોલીસકર્મીઓ શહીદ થયા છે. નક્સલવાદીઓ હોવાની જાણકારી મળી હતી જેને લઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં  આવ્યું હતું. આ દરમિયાન નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કરી દીધો હતો. આ ઘટનાને લઈ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે પ્રતિક્રિયા આપી છે.  


સીએમએ આ ઘટના બાદ આપી પ્રતિક્રિયા!

ભૂપેશ બાઘેલે કહ્યું કે નક્સલવાદીઓને બક્ષવામાં નહીં આવે. આ ઘટના ખુબ જ દૂખદ છે. નક્સલવાદીઓ સામેની લડાઈ અંતિમ તબક્કામાં છે. નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે. આ ઘટના અંગે રાજ્યના પૂર્વ સીએમ રમણ સિંહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બઘેલ દરેક હુમલા પછી એક જ વાત કહે છે પરંતુ કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. જ્યાં સુધી રાજ્યો સાથે સંકલન કરીને નક્સલવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન નહીં ચલાવવામાં આવે ત્યાં સુધી આ સમસ્યાનો અંત નહીં આવે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.