ઈતિહાસના પુસ્તકમાંથી મુઘલ દરબારનું પ્રકરણ કેમ હટાવવામાં આવ્યું? NCERTના ડાયરેક્ટરે કર્યો આ ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-04-05 19:28:28

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ 12મા ધોરણના ઈતિહાસ સહિત ઘણા વિષયોના પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરતા મુઘલ શાસન કાળના કેટલાક પ્રકરણો દૂર કર્યા છે, જેના કારણે વિવાદ સર્જાયો છે. આ મુદ્દે રાજકીય હુમલાઓ વચ્ચે NCERTના ડાયરેક્ટર પ્રો. દિનેશ પ્રસાદ સકલાણીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે કોવિડ રોગચાળા પછી દરેક વિષયમાં નિષ્ણાત સમિતિઓની રચના કરવામાં આવી હતી જેથી કરીને બાળકો પર અભ્યાસક્રમનો બોજ ઓછો કરી શકાય.


એક્સપર્ટ કમિટીએ કર્યું હતું સુચન


નિષ્ણાત સમિતિએ દરેક વિષયની સામગ્રી જોઈ અને તે પછી નક્કી કરવામાં આવ્યું કે કયા-કયા પ્રકરણો દૂર કરવામાં આવે. તેમણે કહ્યું કે આ બધું શૈક્ષણિક પ્રક્રિયાના ભાગરૂપે થયું છે. NCERT તરફથી કોઈ ભેદભાવ કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે માત્ર મુગલ ઈતિહાસની જ કેમ વાત કરવામાં આવે છે, પણ તેવું નથી ગણિત, વિજ્ઞાન, ભૂગોળ સહિતના તમામ વિષયોમાં કન્ટેન્ટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 


મુઘલ ઇતિહાસ કેમ હટાવ્યો?


NCERTના પુસ્તરોમાંથી મુઘલ ઇતિહાસ હટાવવાનું કારણ આપતા NCERTના ડાયરેક્ટરે જણાવ્યું કે નિષ્ણાતોની સમિતિએ એવા વિષયો દૂર કર્યા છે જે બાળકોએ અગાઉ ક્યાંક અભ્યાસ કર્યો હોય. અભ્યાસ સામગ્રી પુનરાવર્તિત થઈ રહી હતી અને આ પણ એક સામાન્ય પ્રક્રિયા છે. આ વખતે કોરોનાને કારણે આ પ્રક્રિયા હેઠળ કન્ટેન્ટનો બોજ ઓછો કરવો જરૂરી હતો અને તેના આધારે તે કરવામાં આવ્યું છે. જે બાબત વિદ્યાર્થીઓને એક વર્ગમાં ભણાવવામાં આવ્યું હોય તો તે જ બીજા વર્ગમાં ભણાવવામાં આવે તેનો કોઈ મતલબ નથી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.