ઈતિહાસના પુસ્તકમાંથી મુઘલ દરબારનું પ્રકરણ કેમ હટાવવામાં આવ્યું? NCERTના ડાયરેક્ટરે કર્યો આ ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-04-05 19:28:28

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ 12મા ધોરણના ઈતિહાસ સહિત ઘણા વિષયોના પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરતા મુઘલ શાસન કાળના કેટલાક પ્રકરણો દૂર કર્યા છે, જેના કારણે વિવાદ સર્જાયો છે. આ મુદ્દે રાજકીય હુમલાઓ વચ્ચે NCERTના ડાયરેક્ટર પ્રો. દિનેશ પ્રસાદ સકલાણીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે કોવિડ રોગચાળા પછી દરેક વિષયમાં નિષ્ણાત સમિતિઓની રચના કરવામાં આવી હતી જેથી કરીને બાળકો પર અભ્યાસક્રમનો બોજ ઓછો કરી શકાય.


એક્સપર્ટ કમિટીએ કર્યું હતું સુચન


નિષ્ણાત સમિતિએ દરેક વિષયની સામગ્રી જોઈ અને તે પછી નક્કી કરવામાં આવ્યું કે કયા-કયા પ્રકરણો દૂર કરવામાં આવે. તેમણે કહ્યું કે આ બધું શૈક્ષણિક પ્રક્રિયાના ભાગરૂપે થયું છે. NCERT તરફથી કોઈ ભેદભાવ કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે માત્ર મુગલ ઈતિહાસની જ કેમ વાત કરવામાં આવે છે, પણ તેવું નથી ગણિત, વિજ્ઞાન, ભૂગોળ સહિતના તમામ વિષયોમાં કન્ટેન્ટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 


મુઘલ ઇતિહાસ કેમ હટાવ્યો?


NCERTના પુસ્તરોમાંથી મુઘલ ઇતિહાસ હટાવવાનું કારણ આપતા NCERTના ડાયરેક્ટરે જણાવ્યું કે નિષ્ણાતોની સમિતિએ એવા વિષયો દૂર કર્યા છે જે બાળકોએ અગાઉ ક્યાંક અભ્યાસ કર્યો હોય. અભ્યાસ સામગ્રી પુનરાવર્તિત થઈ રહી હતી અને આ પણ એક સામાન્ય પ્રક્રિયા છે. આ વખતે કોરોનાને કારણે આ પ્રક્રિયા હેઠળ કન્ટેન્ટનો બોજ ઓછો કરવો જરૂરી હતો અને તેના આધારે તે કરવામાં આવ્યું છે. જે બાબત વિદ્યાર્થીઓને એક વર્ગમાં ભણાવવામાં આવ્યું હોય તો તે જ બીજા વર્ગમાં ભણાવવામાં આવે તેનો કોઈ મતલબ નથી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.