અજિતના બળવા બાદ હવે NCP પર દાવાની લડાઈ, શરદ પવારે કહ્યું 'મારી વિચારધારા સાથે દગો થયો'


  • Published By :
  • Published Date : 2023-07-04 21:45:55

મહારાષ્ટ્રમાં અજિત પવારના બળવા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં ખળભળાટ મચી ગયો છે. અજિત પવાર શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા બાદ NCP બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. એક તરફ અજિત પવાર જૂથ અને બીજી બાજુ શરદ પવાર જૂથ રચાયું છે. બંને પક્ષો હવે NCP પર પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. આને જોતા NCP ચીફ શરદ પવાર અને અજિત પવારે  પોતાની તાકાત બતાવી શકે તે માટે બુધવારે પાર્ટી નેતાઓની બેઠક બોલાવી છે. શરદ પવારે કહ્યું કે તેમની વિચારધારા સાથે 'દગો' થયો છે, આ માટે તેઓ બળવાખોરોને ક્યારેય માફ નહીં કરે.


"મારી વિચારધારા સાથે 'દગો' કર્યો છે"


NCP પ્રમુખ શરદ પવારે મંગળવારે કહ્યું હતું કે તેઓ જે પાર્ટીના અધ્યક્ષ છે અને જયંત પાટીલ, કે જ મહારાષ્ટ્ર એકમના પ્રમુખ છે, તેઓ તેમના ફોટાનો ઉપયોગ કરી શકે છે. પવારે કહ્યું કે જેમણે તેમની વિચારધારા સાથે 'દગો' કર્યો છે તેમણે તેમના ફોટાનો ઉપયોગ ન કરવો જોઈએ. પવારનું નિવેદન તેમના ભત્રીજા અજિત પવાર અને NCPના અન્ય 8 ધારાસભ્યો મહારાષ્ટ્રમાં શિવસેના-ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારમાં જોડાયાના બે દિવસ બાદ આવ્યું છે.


'બળવાખોર જૂથ મારા ફોટાનો ઉપયોગ   કરે'


શરદ પવારે કહ્યું, 'જે પક્ષનો હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને જયંત પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે, તે જ પક્ષ મારા ફોટાનો ઉપયોગ કરી શકે છે. તેમના જીવનકાળ દરમિયાન તેમના ચિત્રનો ઉપયોગ કોણે કરવો તે નક્કી કરવાનો તેમને અધિકાર છે. NCP પ્રમુખે કહ્યું, "જે લોકોએ મારી વિચારધારા સાથે દગો કર્યો છે અને જેમની સાથે મારો વૈચારિક મતભેદ છે તેઓ મારા ફોટાનો ઉપયોગ કરી શકતા નથી." અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ, મંગળવારે દક્ષિણ મુંબઈમાં અજિત પવારની આગેવાની હેઠળના NCP જૂથની નવી ઓફિસમાં શરદ પવારની તસવીર જોવા મળી હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.