અજિતના બળવા બાદ હવે NCP પર દાવાની લડાઈ, શરદ પવારે કહ્યું 'મારી વિચારધારા સાથે દગો થયો'


  • Published By :
  • Published Date : 2023-07-04 21:45:55

મહારાષ્ટ્રમાં અજિત પવારના બળવા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં ખળભળાટ મચી ગયો છે. અજિત પવાર શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા બાદ NCP બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. એક તરફ અજિત પવાર જૂથ અને બીજી બાજુ શરદ પવાર જૂથ રચાયું છે. બંને પક્ષો હવે NCP પર પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. આને જોતા NCP ચીફ શરદ પવાર અને અજિત પવારે  પોતાની તાકાત બતાવી શકે તે માટે બુધવારે પાર્ટી નેતાઓની બેઠક બોલાવી છે. શરદ પવારે કહ્યું કે તેમની વિચારધારા સાથે 'દગો' થયો છે, આ માટે તેઓ બળવાખોરોને ક્યારેય માફ નહીં કરે.


"મારી વિચારધારા સાથે 'દગો' કર્યો છે"


NCP પ્રમુખ શરદ પવારે મંગળવારે કહ્યું હતું કે તેઓ જે પાર્ટીના અધ્યક્ષ છે અને જયંત પાટીલ, કે જ મહારાષ્ટ્ર એકમના પ્રમુખ છે, તેઓ તેમના ફોટાનો ઉપયોગ કરી શકે છે. પવારે કહ્યું કે જેમણે તેમની વિચારધારા સાથે 'દગો' કર્યો છે તેમણે તેમના ફોટાનો ઉપયોગ ન કરવો જોઈએ. પવારનું નિવેદન તેમના ભત્રીજા અજિત પવાર અને NCPના અન્ય 8 ધારાસભ્યો મહારાષ્ટ્રમાં શિવસેના-ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારમાં જોડાયાના બે દિવસ બાદ આવ્યું છે.


'બળવાખોર જૂથ મારા ફોટાનો ઉપયોગ   કરે'


શરદ પવારે કહ્યું, 'જે પક્ષનો હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને જયંત પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે, તે જ પક્ષ મારા ફોટાનો ઉપયોગ કરી શકે છે. તેમના જીવનકાળ દરમિયાન તેમના ચિત્રનો ઉપયોગ કોણે કરવો તે નક્કી કરવાનો તેમને અધિકાર છે. NCP પ્રમુખે કહ્યું, "જે લોકોએ મારી વિચારધારા સાથે દગો કર્યો છે અને જેમની સાથે મારો વૈચારિક મતભેદ છે તેઓ મારા ફોટાનો ઉપયોગ કરી શકતા નથી." અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ, મંગળવારે દક્ષિણ મુંબઈમાં અજિત પવારની આગેવાની હેઠળના NCP જૂથની નવી ઓફિસમાં શરદ પવારની તસવીર જોવા મળી હતી.



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.