અજિતના બળવા બાદ હવે NCP પર દાવાની લડાઈ, શરદ પવારે કહ્યું 'મારી વિચારધારા સાથે દગો થયો'


  • Published By :
  • Published Date : 2023-07-04 21:45:55

મહારાષ્ટ્રમાં અજિત પવારના બળવા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં ખળભળાટ મચી ગયો છે. અજિત પવાર શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા બાદ NCP બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. એક તરફ અજિત પવાર જૂથ અને બીજી બાજુ શરદ પવાર જૂથ રચાયું છે. બંને પક્ષો હવે NCP પર પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. આને જોતા NCP ચીફ શરદ પવાર અને અજિત પવારે  પોતાની તાકાત બતાવી શકે તે માટે બુધવારે પાર્ટી નેતાઓની બેઠક બોલાવી છે. શરદ પવારે કહ્યું કે તેમની વિચારધારા સાથે 'દગો' થયો છે, આ માટે તેઓ બળવાખોરોને ક્યારેય માફ નહીં કરે.


"મારી વિચારધારા સાથે 'દગો' કર્યો છે"


NCP પ્રમુખ શરદ પવારે મંગળવારે કહ્યું હતું કે તેઓ જે પાર્ટીના અધ્યક્ષ છે અને જયંત પાટીલ, કે જ મહારાષ્ટ્ર એકમના પ્રમુખ છે, તેઓ તેમના ફોટાનો ઉપયોગ કરી શકે છે. પવારે કહ્યું કે જેમણે તેમની વિચારધારા સાથે 'દગો' કર્યો છે તેમણે તેમના ફોટાનો ઉપયોગ ન કરવો જોઈએ. પવારનું નિવેદન તેમના ભત્રીજા અજિત પવાર અને NCPના અન્ય 8 ધારાસભ્યો મહારાષ્ટ્રમાં શિવસેના-ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારમાં જોડાયાના બે દિવસ બાદ આવ્યું છે.


'બળવાખોર જૂથ મારા ફોટાનો ઉપયોગ   કરે'


શરદ પવારે કહ્યું, 'જે પક્ષનો હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને જયંત પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે, તે જ પક્ષ મારા ફોટાનો ઉપયોગ કરી શકે છે. તેમના જીવનકાળ દરમિયાન તેમના ચિત્રનો ઉપયોગ કોણે કરવો તે નક્કી કરવાનો તેમને અધિકાર છે. NCP પ્રમુખે કહ્યું, "જે લોકોએ મારી વિચારધારા સાથે દગો કર્યો છે અને જેમની સાથે મારો વૈચારિક મતભેદ છે તેઓ મારા ફોટાનો ઉપયોગ કરી શકતા નથી." અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ, મંગળવારે દક્ષિણ મુંબઈમાં અજિત પવારની આગેવાની હેઠળના NCP જૂથની નવી ઓફિસમાં શરદ પવારની તસવીર જોવા મળી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે