અજિતના બળવા બાદ હવે NCP પર દાવાની લડાઈ, શરદ પવારે કહ્યું 'મારી વિચારધારા સાથે દગો થયો'


  • Published By :
  • Published Date : 2023-07-04 21:45:55

મહારાષ્ટ્રમાં અજિત પવારના બળવા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં ખળભળાટ મચી ગયો છે. અજિત પવાર શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા બાદ NCP બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. એક તરફ અજિત પવાર જૂથ અને બીજી બાજુ શરદ પવાર જૂથ રચાયું છે. બંને પક્ષો હવે NCP પર પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. આને જોતા NCP ચીફ શરદ પવાર અને અજિત પવારે  પોતાની તાકાત બતાવી શકે તે માટે બુધવારે પાર્ટી નેતાઓની બેઠક બોલાવી છે. શરદ પવારે કહ્યું કે તેમની વિચારધારા સાથે 'દગો' થયો છે, આ માટે તેઓ બળવાખોરોને ક્યારેય માફ નહીં કરે.


"મારી વિચારધારા સાથે 'દગો' કર્યો છે"


NCP પ્રમુખ શરદ પવારે મંગળવારે કહ્યું હતું કે તેઓ જે પાર્ટીના અધ્યક્ષ છે અને જયંત પાટીલ, કે જ મહારાષ્ટ્ર એકમના પ્રમુખ છે, તેઓ તેમના ફોટાનો ઉપયોગ કરી શકે છે. પવારે કહ્યું કે જેમણે તેમની વિચારધારા સાથે 'દગો' કર્યો છે તેમણે તેમના ફોટાનો ઉપયોગ ન કરવો જોઈએ. પવારનું નિવેદન તેમના ભત્રીજા અજિત પવાર અને NCPના અન્ય 8 ધારાસભ્યો મહારાષ્ટ્રમાં શિવસેના-ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારમાં જોડાયાના બે દિવસ બાદ આવ્યું છે.


'બળવાખોર જૂથ મારા ફોટાનો ઉપયોગ   કરે'


શરદ પવારે કહ્યું, 'જે પક્ષનો હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને જયંત પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે, તે જ પક્ષ મારા ફોટાનો ઉપયોગ કરી શકે છે. તેમના જીવનકાળ દરમિયાન તેમના ચિત્રનો ઉપયોગ કોણે કરવો તે નક્કી કરવાનો તેમને અધિકાર છે. NCP પ્રમુખે કહ્યું, "જે લોકોએ મારી વિચારધારા સાથે દગો કર્યો છે અને જેમની સાથે મારો વૈચારિક મતભેદ છે તેઓ મારા ફોટાનો ઉપયોગ કરી શકતા નથી." અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ, મંગળવારે દક્ષિણ મુંબઈમાં અજિત પવારની આગેવાની હેઠળના NCP જૂથની નવી ઓફિસમાં શરદ પવારની તસવીર જોવા મળી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.