પવારની હાલત પણ દાભોલકર જેવી થશે - NCP ચીફને સોશિયલ મીડિયા પર મળી મોતની ધમકી, FIR દાખલ


  • Published By :
  • Published Date : 2023-06-09 15:41:35

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના ચીફ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી મળ્યાનો દાવો શુક્રવાર ( 9 જુન)ના રોજ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ અંગે મીડિયાને જણાવવામાં આવ્યું કે આ ધમકી સોશલ મીડિયા પર આપવામાં આવી અને તેનું સંજ્ઞાન લઈને મુંબઈ પોલીસે ફરિયાદ પણ નોંધી છે.


ફેશબુક મારફતે મળી ધમકી


પવારની પુત્રી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વમાં NCPના કાર્યકર્તાઓનું એક પ્રતિનિધી મંડળ મુંબઈ પોલીસના વડા વિવેક ફણસાલકર સાથે મુલાકાત કરીને તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે. પાર્ટી નેતાઓએ પોલીસને જણાવ્યું  કે 82 વર્ષિય પવારને ફેશબુક મેસેજ મળ્યો હતો જેમાં લખ્યું હતું કે તેમની દશા પણ (નરેન્દ્ર) દાભોલકાર જેવી થશે.


પોલીસે શરૂ કરી તપાસ


NCPના પ્રમુખ શરદ પવારને મળેલી ધમકી અંગે પોલીસે જણાવ્યું  કે અમે આ કેસ જોઈ રહ્યા છિએ, અમે આ દિશામાં તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ કહ્યું NCPએ ફરિયાદ નોંધવા માટે પ્રતિનિધી મોકલ્યા હતા. તેમણે કહ્યું, પોલીસ આ દિશામા દક્ષિણ ક્ષેત્ર સાઈબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી છે.  


કોણ હતા દાભોલકર?


શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે પણ ધમકીભર્યા સંદેશની તસવીર પોલીસને શેર કરી હતી, અત્રે ઉલ્લેખનિય છે કે અંધ વિશ્વાસ સામે લડનારા નરેન્દ્ર દાભોલકરની 20 ઓગસ્ટ 2013ના રોજ પૂણેમાં સવારે બાઈક પર આવેલા કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરીને હત્યા કરી નાખી હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.