પવારની હાલત પણ દાભોલકર જેવી થશે - NCP ચીફને સોશિયલ મીડિયા પર મળી મોતની ધમકી, FIR દાખલ


  • Published By :
  • Published Date : 2023-06-09 15:41:35

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના ચીફ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી મળ્યાનો દાવો શુક્રવાર ( 9 જુન)ના રોજ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ અંગે મીડિયાને જણાવવામાં આવ્યું કે આ ધમકી સોશલ મીડિયા પર આપવામાં આવી અને તેનું સંજ્ઞાન લઈને મુંબઈ પોલીસે ફરિયાદ પણ નોંધી છે.


ફેશબુક મારફતે મળી ધમકી


પવારની પુત્રી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વમાં NCPના કાર્યકર્તાઓનું એક પ્રતિનિધી મંડળ મુંબઈ પોલીસના વડા વિવેક ફણસાલકર સાથે મુલાકાત કરીને તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે. પાર્ટી નેતાઓએ પોલીસને જણાવ્યું  કે 82 વર્ષિય પવારને ફેશબુક મેસેજ મળ્યો હતો જેમાં લખ્યું હતું કે તેમની દશા પણ (નરેન્દ્ર) દાભોલકાર જેવી થશે.


પોલીસે શરૂ કરી તપાસ


NCPના પ્રમુખ શરદ પવારને મળેલી ધમકી અંગે પોલીસે જણાવ્યું  કે અમે આ કેસ જોઈ રહ્યા છિએ, અમે આ દિશામાં તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ કહ્યું NCPએ ફરિયાદ નોંધવા માટે પ્રતિનિધી મોકલ્યા હતા. તેમણે કહ્યું, પોલીસ આ દિશામા દક્ષિણ ક્ષેત્ર સાઈબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી છે.  


કોણ હતા દાભોલકર?


શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે પણ ધમકીભર્યા સંદેશની તસવીર પોલીસને શેર કરી હતી, અત્રે ઉલ્લેખનિય છે કે અંધ વિશ્વાસ સામે લડનારા નરેન્દ્ર દાભોલકરની 20 ઓગસ્ટ 2013ના રોજ પૂણેમાં સવારે બાઈક પર આવેલા કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરીને હત્યા કરી નાખી હતી. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.