પવારની હાલત પણ દાભોલકર જેવી થશે - NCP ચીફને સોશિયલ મીડિયા પર મળી મોતની ધમકી, FIR દાખલ


  • Published By :
  • Published Date : 2023-06-09 15:41:35

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના ચીફ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી મળ્યાનો દાવો શુક્રવાર ( 9 જુન)ના રોજ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ અંગે મીડિયાને જણાવવામાં આવ્યું કે આ ધમકી સોશલ મીડિયા પર આપવામાં આવી અને તેનું સંજ્ઞાન લઈને મુંબઈ પોલીસે ફરિયાદ પણ નોંધી છે.


ફેશબુક મારફતે મળી ધમકી


પવારની પુત્રી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વમાં NCPના કાર્યકર્તાઓનું એક પ્રતિનિધી મંડળ મુંબઈ પોલીસના વડા વિવેક ફણસાલકર સાથે મુલાકાત કરીને તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે. પાર્ટી નેતાઓએ પોલીસને જણાવ્યું  કે 82 વર્ષિય પવારને ફેશબુક મેસેજ મળ્યો હતો જેમાં લખ્યું હતું કે તેમની દશા પણ (નરેન્દ્ર) દાભોલકાર જેવી થશે.


પોલીસે શરૂ કરી તપાસ


NCPના પ્રમુખ શરદ પવારને મળેલી ધમકી અંગે પોલીસે જણાવ્યું  કે અમે આ કેસ જોઈ રહ્યા છિએ, અમે આ દિશામાં તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ કહ્યું NCPએ ફરિયાદ નોંધવા માટે પ્રતિનિધી મોકલ્યા હતા. તેમણે કહ્યું, પોલીસ આ દિશામા દક્ષિણ ક્ષેત્ર સાઈબર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી છે.  


કોણ હતા દાભોલકર?


શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે પણ ધમકીભર્યા સંદેશની તસવીર પોલીસને શેર કરી હતી, અત્રે ઉલ્લેખનિય છે કે અંધ વિશ્વાસ સામે લડનારા નરેન્દ્ર દાભોલકરની 20 ઓગસ્ટ 2013ના રોજ પૂણેમાં સવારે બાઈક પર આવેલા કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરીને હત્યા કરી નાખી હતી. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.