જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફરી રચ્યો ઈતિહાસ, ડાયમન્ડ લીગ મીટિંગ ટાઈટલ જીતનારો પ્રથમ ભારતીય બન્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-27 13:04:21

ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ લૌસેન ડાયમન્ડ લીગમાં ઈતિહાસ સર્જયો છે. નીરજે  પહેલા જ થ્રોમાં 89.08 મીટર દૂર ફેંક્યું જેવલિન ફેંકીને જીત નોંધાવી હતી. આ તેમના કેરિયરનો ત્રીજો સૌથી શ્રેષ્ઠ પ્રયાસ હતો. નીરજ ચોપરા આ રીતે ડાયમન્ડ લીગ મીટ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. આ સાથે જ નિરજ ચોપરાએ 7 અને 8 સપ્ટેમ્બરે ઝ્યુરિચમાં ડાયમંડ લીગની ફાઇનલ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. તેણે બુડાપેસ્ટ, હંગેરીમાં 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પણ 85.20 મીટર ક્વોલિફાઇંગ માર્કને તોડીને ક્વોલિફાય કર્યું છે.


વર્લ્ડ એથલેટિક્સમાં જીત્યો હતો સિલ્વર મેડલ


તાજેતરમાં જ નીરજે વર્લ્ડ એથલેટિક્સમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. અંજુ બોબી જ્યોર્જ  (2003) બાદ તે આવું  કરાનારો ત્રીજો એથલીટ બન્યો હતો. ફાઈનલમાં નીરજે  88.13 મીટર સુધી ભાલો ફેંકીને સિલ્વર મેડલ પોતાના નામે કરી લીધો હતો.


કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો ન હતો


નીરજ ચોપરાને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન ફાઈનલ દરમિયાન ઈજા થઈ હતી. ફાઇનલમાં નીરજ પોતાની જાંઘ પર પટ્ટી બાંધીને રમ્યો હતો. ત્યારે પણ તેણે 88.13 મીટર દૂર જેવલિન ફેંક્યું હતું અને સિલ્વર મેડલ જીત્યો હતો. ઈજાના કારણે તે બર્મિઘહમમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો ન હતો 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ઈજાના કારણે 2022માં ભાગ લઈ શક્યો નહોતો.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.