જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફરી રચ્યો ઈતિહાસ, ડાયમન્ડ લીગ મીટિંગ ટાઈટલ જીતનારો પ્રથમ ભારતીય બન્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-27 13:04:21

ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ લૌસેન ડાયમન્ડ લીગમાં ઈતિહાસ સર્જયો છે. નીરજે  પહેલા જ થ્રોમાં 89.08 મીટર દૂર ફેંક્યું જેવલિન ફેંકીને જીત નોંધાવી હતી. આ તેમના કેરિયરનો ત્રીજો સૌથી શ્રેષ્ઠ પ્રયાસ હતો. નીરજ ચોપરા આ રીતે ડાયમન્ડ લીગ મીટ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. આ સાથે જ નિરજ ચોપરાએ 7 અને 8 સપ્ટેમ્બરે ઝ્યુરિચમાં ડાયમંડ લીગની ફાઇનલ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. તેણે બુડાપેસ્ટ, હંગેરીમાં 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પણ 85.20 મીટર ક્વોલિફાઇંગ માર્કને તોડીને ક્વોલિફાય કર્યું છે.


વર્લ્ડ એથલેટિક્સમાં જીત્યો હતો સિલ્વર મેડલ


તાજેતરમાં જ નીરજે વર્લ્ડ એથલેટિક્સમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. અંજુ બોબી જ્યોર્જ  (2003) બાદ તે આવું  કરાનારો ત્રીજો એથલીટ બન્યો હતો. ફાઈનલમાં નીરજે  88.13 મીટર સુધી ભાલો ફેંકીને સિલ્વર મેડલ પોતાના નામે કરી લીધો હતો.


કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો ન હતો


નીરજ ચોપરાને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન ફાઈનલ દરમિયાન ઈજા થઈ હતી. ફાઇનલમાં નીરજ પોતાની જાંઘ પર પટ્ટી બાંધીને રમ્યો હતો. ત્યારે પણ તેણે 88.13 મીટર દૂર જેવલિન ફેંક્યું હતું અને સિલ્વર મેડલ જીત્યો હતો. ઈજાના કારણે તે બર્મિઘહમમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો ન હતો 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ઈજાના કારણે 2022માં ભાગ લઈ શક્યો નહોતો.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.