જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફરી રચ્યો ઈતિહાસ, ડાયમન્ડ લીગ મીટિંગ ટાઈટલ જીતનારો પ્રથમ ભારતીય બન્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-27 13:04:21

ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ લૌસેન ડાયમન્ડ લીગમાં ઈતિહાસ સર્જયો છે. નીરજે  પહેલા જ થ્રોમાં 89.08 મીટર દૂર ફેંક્યું જેવલિન ફેંકીને જીત નોંધાવી હતી. આ તેમના કેરિયરનો ત્રીજો સૌથી શ્રેષ્ઠ પ્રયાસ હતો. નીરજ ચોપરા આ રીતે ડાયમન્ડ લીગ મીટ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. આ સાથે જ નિરજ ચોપરાએ 7 અને 8 સપ્ટેમ્બરે ઝ્યુરિચમાં ડાયમંડ લીગની ફાઇનલ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. તેણે બુડાપેસ્ટ, હંગેરીમાં 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પણ 85.20 મીટર ક્વોલિફાઇંગ માર્કને તોડીને ક્વોલિફાય કર્યું છે.


વર્લ્ડ એથલેટિક્સમાં જીત્યો હતો સિલ્વર મેડલ


તાજેતરમાં જ નીરજે વર્લ્ડ એથલેટિક્સમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. અંજુ બોબી જ્યોર્જ  (2003) બાદ તે આવું  કરાનારો ત્રીજો એથલીટ બન્યો હતો. ફાઈનલમાં નીરજે  88.13 મીટર સુધી ભાલો ફેંકીને સિલ્વર મેડલ પોતાના નામે કરી લીધો હતો.


કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો ન હતો


નીરજ ચોપરાને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન ફાઈનલ દરમિયાન ઈજા થઈ હતી. ફાઇનલમાં નીરજ પોતાની જાંઘ પર પટ્ટી બાંધીને રમ્યો હતો. ત્યારે પણ તેણે 88.13 મીટર દૂર જેવલિન ફેંક્યું હતું અને સિલ્વર મેડલ જીત્યો હતો. ઈજાના કારણે તે બર્મિઘહમમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો ન હતો 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ઈજાના કારણે 2022માં ભાગ લઈ શક્યો નહોતો.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી