મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે આજે યોજાશે NEETની પરીક્ષા, 21 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા, હિંસાગ્રસ્ત મણિપુરમાં પરીક્ષા મોકૂફ


  • Published By :
  • Published Date : 2023-05-07 12:21:05

મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે દેશની સૌથી મોટી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2023 આજે 7 મેના રોજ યોજાશે. NEETની પરીક્ષા દેશના 499 શહેરોમાં 4000 પરીક્ષા કેન્દ્રોમાં યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજીત નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG 2023) આજે રવિવારના રોજ બપોરે 2 થી 5.20 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. પરીક્ષા માટે ઉમેદવારોએ તમામ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું પડશે. 


20.86 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે


NEET UGની પરીક્ષામાં 20 લાખ 86 હજાર વિદ્યાર્થીઓ આપશે. પરીક્ષા બપોરે 2 થી 5.20 દરમિયાન યોજાશે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 582 પરીક્ષા કેન્દ્રો અને બીજા નંબર પર યુપીમાં 451 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજસ્થાનના 24 શહેરોમાં 354 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જ્યારે, હિંસાગ્રસ્ત મણિપુરમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 


પરીક્ષામાં અંગ્રેજી ભાષાનો દબદબો


NTAના ડાયરેક્ટર જનરલ વિનીત જોશીએ જણાવ્યું હતું કે રવિવારે યોજાનારી દેશની સૌથી મોટી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દેશભરના 499 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે NEET UG પરીક્ષામાં લગભગ 16 લાખ 72 હજાર 912 વિદ્યાર્થીઓએ પરીક્ષાના માધ્યમ તરીકે અંગ્રેજી પસંદ કર્યું છે. જ્યારે હિન્દી ભાષાને બે લાખ 76 હજાર 175 ઉમેદવારોએ પસંદ કરી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.