મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે આજે યોજાશે NEETની પરીક્ષા, 21 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા, હિંસાગ્રસ્ત મણિપુરમાં પરીક્ષા મોકૂફ


  • Published By :
  • Published Date : 2023-05-07 12:21:05

મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે દેશની સૌથી મોટી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2023 આજે 7 મેના રોજ યોજાશે. NEETની પરીક્ષા દેશના 499 શહેરોમાં 4000 પરીક્ષા કેન્દ્રોમાં યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજીત નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG 2023) આજે રવિવારના રોજ બપોરે 2 થી 5.20 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. પરીક્ષા માટે ઉમેદવારોએ તમામ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું પડશે. 


20.86 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે


NEET UGની પરીક્ષામાં 20 લાખ 86 હજાર વિદ્યાર્થીઓ આપશે. પરીક્ષા બપોરે 2 થી 5.20 દરમિયાન યોજાશે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 582 પરીક્ષા કેન્દ્રો અને બીજા નંબર પર યુપીમાં 451 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજસ્થાનના 24 શહેરોમાં 354 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જ્યારે, હિંસાગ્રસ્ત મણિપુરમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 


પરીક્ષામાં અંગ્રેજી ભાષાનો દબદબો


NTAના ડાયરેક્ટર જનરલ વિનીત જોશીએ જણાવ્યું હતું કે રવિવારે યોજાનારી દેશની સૌથી મોટી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દેશભરના 499 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે NEET UG પરીક્ષામાં લગભગ 16 લાખ 72 હજાર 912 વિદ્યાર્થીઓએ પરીક્ષાના માધ્યમ તરીકે અંગ્રેજી પસંદ કર્યું છે. જ્યારે હિન્દી ભાષાને બે લાખ 76 હજાર 175 ઉમેદવારોએ પસંદ કરી છે.



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.