મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે આજે યોજાશે NEETની પરીક્ષા, 21 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા, હિંસાગ્રસ્ત મણિપુરમાં પરીક્ષા મોકૂફ


  • Published By :
  • Published Date : 2023-05-07 12:21:05

મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે દેશની સૌથી મોટી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) 2023 આજે 7 મેના રોજ યોજાશે. NEETની પરીક્ષા દેશના 499 શહેરોમાં 4000 પરીક્ષા કેન્દ્રોમાં યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજીત નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG 2023) આજે રવિવારના રોજ બપોરે 2 થી 5.20 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. પરીક્ષા માટે ઉમેદવારોએ તમામ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું પડશે. 


20.86 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે


NEET UGની પરીક્ષામાં 20 લાખ 86 હજાર વિદ્યાર્થીઓ આપશે. પરીક્ષા બપોરે 2 થી 5.20 દરમિયાન યોજાશે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 582 પરીક્ષા કેન્દ્રો અને બીજા નંબર પર યુપીમાં 451 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજસ્થાનના 24 શહેરોમાં 354 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જ્યારે, હિંસાગ્રસ્ત મણિપુરમાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 


પરીક્ષામાં અંગ્રેજી ભાષાનો દબદબો


NTAના ડાયરેક્ટર જનરલ વિનીત જોશીએ જણાવ્યું હતું કે રવિવારે યોજાનારી દેશની સૌથી મોટી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દેશભરના 499 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે NEET UG પરીક્ષામાં લગભગ 16 લાખ 72 હજાર 912 વિદ્યાર્થીઓએ પરીક્ષાના માધ્યમ તરીકે અંગ્રેજી પસંદ કર્યું છે. જ્યારે હિન્દી ભાષાને બે લાખ 76 હજાર 175 ઉમેદવારોએ પસંદ કરી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.