હવે આ નામથી ઓળખાશે નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી, ભાજપે નામ બદલતા કોંગ્રેસના નેતાઓએ દર્શાવ્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-06-16 17:14:17

ભાજપ દ્વારા અનેક જગ્યાઓના નામો બદલવામાં આવ્યા છે. એ પછી શહેરનું નામનું હોય કે પછી સ્ટેડિયમ કે કોઈ જગ્યાનું નામ હોય. ત્યારે ભાજપ દ્વારા નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. નહેરૂના નામથી ઓળખાતું મેમોરિયલ હવે પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી તરીકે ઓળખવામાં આવશે. મ્યુઝિયમનું નામ બદલાતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે.  


નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીનું બદલાયું નામ!

દિલ્હી ખાતે આવેલું નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીને હવેથી પ્રાઈમમિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ સોસાયટી તરીકે ઓળખવામાં આવશે કારણ કે તેનું નામકરણ કરવામાં આવ્યું છે. એનએમએમએલ સોસાયટીની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેની અધ્યક્ષતા રાજનાથસિંહ દ્વારા કરાઈ હતી.  જે નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીનું નામ બદલવામાં આવ્યું છે તે જવાહરલાલ નહેરૂનું નિવાસસ્થાન છે. તે ઘરમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.નામ બદલાતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.


નામ બદલાતા કોંગ્રેસના નેતાઓએ નોંધાવ્યો વિરોધ!

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ દર્શાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે જેમનો કોઈ ઈતિહાસ જ નથી, તે બીજાના ઈતિહાસને ભૂંસવા ચાલ્યા છે. તે સિવાય કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. ટ્વીટ કરતા તેમણે લખ્યું કે, સંકુચિતતા અને બદલો લેવાનું બીજું નામ મોદી છે. 59 વર્ષથી વધુ સમયથી, નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી વૈશ્વિક બૌદ્ધિક એક ઐતિહાસિક સ્થળે પુસ્તકો અને રેકોર્ડ્સનો ખજાનો રહ્યો છે. હવેથી તે વડાપ્રધાન મ્યુઝિયમ અને સોસાયટી કહેવાશે. પીએમ મોદી ભારતીય રાષ્ટ્ર-રાજ્યના શિલ્પકારનું નામ અને વારસાને વિકૃત કરવા, બદનામ કરવા અને નષ્ટ કરવા માટે શું- શું નહીં કરે. પોતાની અસલામતીના બોજ હેઠળ દબાયેલો એક નાના કદનો વ્યક્તિ સ્વયં-ઘોષિત વિશ્વ ગુરુ બનીને ફરી રહ્યા છે.


અનેક જગ્યાઓના બદલાયા છે નામ! 

મહત્વનું છે કે પહેલી વખત નથી જ્યારે ભાજપ દ્વારા નામકરણ કરવામાં આવ્યું હોય. આની પહેલા મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલી શિંદે સરકારે અહિલ્યાનગર રાખવાની જાહેરાત કરી હતી. તે સિવાય શિવરાજ સિંહ ચૌહાણ સરકારે હોશાંગાબાદનું નામ બદલી નર્મદપુરમ કરી દીધું. તે પહેલા યોગી આદિત્યનાથે અલાહબાદનું નામ બદલ્યું હતું. અલાહબાદને આજે પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવે છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.