હવે આ નામથી ઓળખાશે નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી, ભાજપે નામ બદલતા કોંગ્રેસના નેતાઓએ દર્શાવ્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-06-16 17:14:17

ભાજપ દ્વારા અનેક જગ્યાઓના નામો બદલવામાં આવ્યા છે. એ પછી શહેરનું નામનું હોય કે પછી સ્ટેડિયમ કે કોઈ જગ્યાનું નામ હોય. ત્યારે ભાજપ દ્વારા નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. નહેરૂના નામથી ઓળખાતું મેમોરિયલ હવે પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી તરીકે ઓળખવામાં આવશે. મ્યુઝિયમનું નામ બદલાતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે.  


નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીનું બદલાયું નામ!

દિલ્હી ખાતે આવેલું નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીને હવેથી પ્રાઈમમિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ સોસાયટી તરીકે ઓળખવામાં આવશે કારણ કે તેનું નામકરણ કરવામાં આવ્યું છે. એનએમએમએલ સોસાયટીની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેની અધ્યક્ષતા રાજનાથસિંહ દ્વારા કરાઈ હતી.  જે નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીનું નામ બદલવામાં આવ્યું છે તે જવાહરલાલ નહેરૂનું નિવાસસ્થાન છે. તે ઘરમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.નામ બદલાતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.


નામ બદલાતા કોંગ્રેસના નેતાઓએ નોંધાવ્યો વિરોધ!

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ દર્શાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે જેમનો કોઈ ઈતિહાસ જ નથી, તે બીજાના ઈતિહાસને ભૂંસવા ચાલ્યા છે. તે સિવાય કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. ટ્વીટ કરતા તેમણે લખ્યું કે, સંકુચિતતા અને બદલો લેવાનું બીજું નામ મોદી છે. 59 વર્ષથી વધુ સમયથી, નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી વૈશ્વિક બૌદ્ધિક એક ઐતિહાસિક સ્થળે પુસ્તકો અને રેકોર્ડ્સનો ખજાનો રહ્યો છે. હવેથી તે વડાપ્રધાન મ્યુઝિયમ અને સોસાયટી કહેવાશે. પીએમ મોદી ભારતીય રાષ્ટ્ર-રાજ્યના શિલ્પકારનું નામ અને વારસાને વિકૃત કરવા, બદનામ કરવા અને નષ્ટ કરવા માટે શું- શું નહીં કરે. પોતાની અસલામતીના બોજ હેઠળ દબાયેલો એક નાના કદનો વ્યક્તિ સ્વયં-ઘોષિત વિશ્વ ગુરુ બનીને ફરી રહ્યા છે.


અનેક જગ્યાઓના બદલાયા છે નામ! 

મહત્વનું છે કે પહેલી વખત નથી જ્યારે ભાજપ દ્વારા નામકરણ કરવામાં આવ્યું હોય. આની પહેલા મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલી શિંદે સરકારે અહિલ્યાનગર રાખવાની જાહેરાત કરી હતી. તે સિવાય શિવરાજ સિંહ ચૌહાણ સરકારે હોશાંગાબાદનું નામ બદલી નર્મદપુરમ કરી દીધું. તે પહેલા યોગી આદિત્યનાથે અલાહબાદનું નામ બદલ્યું હતું. અલાહબાદને આજે પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવે છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.