હવે આ નામથી ઓળખાશે નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી, ભાજપે નામ બદલતા કોંગ્રેસના નેતાઓએ દર્શાવ્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-06-16 17:14:17

ભાજપ દ્વારા અનેક જગ્યાઓના નામો બદલવામાં આવ્યા છે. એ પછી શહેરનું નામનું હોય કે પછી સ્ટેડિયમ કે કોઈ જગ્યાનું નામ હોય. ત્યારે ભાજપ દ્વારા નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. નહેરૂના નામથી ઓળખાતું મેમોરિયલ હવે પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી તરીકે ઓળખવામાં આવશે. મ્યુઝિયમનું નામ બદલાતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે.  


નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીનું બદલાયું નામ!

દિલ્હી ખાતે આવેલું નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીને હવેથી પ્રાઈમમિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ સોસાયટી તરીકે ઓળખવામાં આવશે કારણ કે તેનું નામકરણ કરવામાં આવ્યું છે. એનએમએમએલ સોસાયટીની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેની અધ્યક્ષતા રાજનાથસિંહ દ્વારા કરાઈ હતી.  જે નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરીનું નામ બદલવામાં આવ્યું છે તે જવાહરલાલ નહેરૂનું નિવાસસ્થાન છે. તે ઘરમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.નામ બદલાતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.


નામ બદલાતા કોંગ્રેસના નેતાઓએ નોંધાવ્યો વિરોધ!

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ દર્શાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે જેમનો કોઈ ઈતિહાસ જ નથી, તે બીજાના ઈતિહાસને ભૂંસવા ચાલ્યા છે. તે સિવાય કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. ટ્વીટ કરતા તેમણે લખ્યું કે, સંકુચિતતા અને બદલો લેવાનું બીજું નામ મોદી છે. 59 વર્ષથી વધુ સમયથી, નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી વૈશ્વિક બૌદ્ધિક એક ઐતિહાસિક સ્થળે પુસ્તકો અને રેકોર્ડ્સનો ખજાનો રહ્યો છે. હવેથી તે વડાપ્રધાન મ્યુઝિયમ અને સોસાયટી કહેવાશે. પીએમ મોદી ભારતીય રાષ્ટ્ર-રાજ્યના શિલ્પકારનું નામ અને વારસાને વિકૃત કરવા, બદનામ કરવા અને નષ્ટ કરવા માટે શું- શું નહીં કરે. પોતાની અસલામતીના બોજ હેઠળ દબાયેલો એક નાના કદનો વ્યક્તિ સ્વયં-ઘોષિત વિશ્વ ગુરુ બનીને ફરી રહ્યા છે.


અનેક જગ્યાઓના બદલાયા છે નામ! 

મહત્વનું છે કે પહેલી વખત નથી જ્યારે ભાજપ દ્વારા નામકરણ કરવામાં આવ્યું હોય. આની પહેલા મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલી શિંદે સરકારે અહિલ્યાનગર રાખવાની જાહેરાત કરી હતી. તે સિવાય શિવરાજ સિંહ ચૌહાણ સરકારે હોશાંગાબાદનું નામ બદલી નર્મદપુરમ કરી દીધું. તે પહેલા યોગી આદિત્યનાથે અલાહબાદનું નામ બદલ્યું હતું. અલાહબાદને આજે પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવે છે.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.