નેપાળના પોખરામાં 72 લોકો સાથેનું પેસેન્જર પ્લેન ક્રેશ, ફ્લાઈટ બની આગનો ગોળો


  • Published By :
  • Published Date : 2023-01-15 12:49:13

નેપાળમાં એક પેસેન્જર પ્લેન ક્રેસ થયું છે, કાઠમાંડુથી પોખરા જઈ રહેલા યતિ એરલાઈન્સનાં ATR-72 વિમાનમાં 68 મુસાફરોની સાથે ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. આ ભયાનક દુર્ઘટનામાં તમામ 72 લોકોના મોતની આશંકા છે. 


ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા


યતિ એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ મીડિયાને જણાવ્યું કે જૂના એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા પ્લેનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલી તસવીરો અને વીડિયોમાં અકસ્માત સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે. હજુ આ પ્લેન ક્રેશ વિશે વધુ માહિતી મેળવવાની રાહ જોવાઈ રહી છે. દુર્ઘટના સ્થળે હેલિકોપ્ટર સાથે રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે.


વિમાન ક્રેશ થવાનું કારણ ખરાબ હવામાન


વિમાન ક્રેસ થવાના પાછળના કારણોની તપાસ કરતા પ્રથમ દ્રષ્ટીએ જ ખરાબ હવામાન હોવાનું જણાયું છે. ધુમ્મસ અને ભેજવાળા હવામાનના કારણે પ્લેન એક પહાડ સાથે અથડાયું હતું. ક્રેશ થતાની સાથે જ તેમાં વિસ્ફોટ સાથે આગ લાગી હતી. આગના કારણે લોકોને બહાર કાઢવાની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. દુર્ઘટના સ્થળ નદી પાસે હોવાનું જાણવા મળ્યું છે.


30 મૃતદેહ બહાર કઢાયા


દુર્ઘટનાગ્રસ્ત વિમાન આગનો ગોળા બની ગયું હતું. તેથી મુસાફરોના બચવાની શક્યતા ઓછી છે. અત્યાર સુધીમાં 30 મૃતદેહો બહાર કાઢવામાં આવી ચુક્યા છે. જો કે હજુ સુધી કુલ મૃત્યુઆંક જાણી શકાયો નથી.


નેપાળમાં દુર્ઘટનાઓનો જુનો ઈતિહાસ છે


નેપાળમાં વિમાન દુર્ઘટના એ નવી વાત નથી. નેપાળમાં અત્યાર સુધીમાં માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ જ નહીં પરંતુ વિદેશી ફ્લાઈટ્સમાં પણ અનેક લોકોના મોત થાય છે. નાપાળમાં છેલ્લા 30 વર્ષોમાં લગભગ 30 જેટલી જીવલેણ વિમાન દુર્ઘટનાઓ સર્જાઈ છે, નેપાળના એરપોર્ટમાં યાત્રિકોની સુરક્ષા માટે કોઈ આધુનિક વ્યવસ્થા પણ નથી. મે 2022માં નેપાળના પોખરામાં જ તારા એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 22 લોકોના મોત થયા હતા. અત્રે ઉલ્લેખનિય છે નેપાળના કાઠમંડુ એરપોર્ટ પરથી જ ભારતનું વિમાન આઈ સી 814 વિમાન 24 ડિસેમ્બર 1999ના રોજ હાઈજેક કરવામાં આવ્યું હતું.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .