નેપાળના પોખરામાં 72 લોકો સાથેનું પેસેન્જર પ્લેન ક્રેશ, ફ્લાઈટ બની આગનો ગોળો


  • Published By :
  • Published Date : 2023-01-15 12:49:13

નેપાળમાં એક પેસેન્જર પ્લેન ક્રેસ થયું છે, કાઠમાંડુથી પોખરા જઈ રહેલા યતિ એરલાઈન્સનાં ATR-72 વિમાનમાં 68 મુસાફરોની સાથે ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. આ ભયાનક દુર્ઘટનામાં તમામ 72 લોકોના મોતની આશંકા છે. 


ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા


યતિ એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ મીડિયાને જણાવ્યું કે જૂના એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા પ્લેનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલી તસવીરો અને વીડિયોમાં અકસ્માત સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે. હજુ આ પ્લેન ક્રેશ વિશે વધુ માહિતી મેળવવાની રાહ જોવાઈ રહી છે. દુર્ઘટના સ્થળે હેલિકોપ્ટર સાથે રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે.


વિમાન ક્રેશ થવાનું કારણ ખરાબ હવામાન


વિમાન ક્રેસ થવાના પાછળના કારણોની તપાસ કરતા પ્રથમ દ્રષ્ટીએ જ ખરાબ હવામાન હોવાનું જણાયું છે. ધુમ્મસ અને ભેજવાળા હવામાનના કારણે પ્લેન એક પહાડ સાથે અથડાયું હતું. ક્રેશ થતાની સાથે જ તેમાં વિસ્ફોટ સાથે આગ લાગી હતી. આગના કારણે લોકોને બહાર કાઢવાની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. દુર્ઘટના સ્થળ નદી પાસે હોવાનું જાણવા મળ્યું છે.


30 મૃતદેહ બહાર કઢાયા


દુર્ઘટનાગ્રસ્ત વિમાન આગનો ગોળા બની ગયું હતું. તેથી મુસાફરોના બચવાની શક્યતા ઓછી છે. અત્યાર સુધીમાં 30 મૃતદેહો બહાર કાઢવામાં આવી ચુક્યા છે. જો કે હજુ સુધી કુલ મૃત્યુઆંક જાણી શકાયો નથી.


નેપાળમાં દુર્ઘટનાઓનો જુનો ઈતિહાસ છે


નેપાળમાં વિમાન દુર્ઘટના એ નવી વાત નથી. નેપાળમાં અત્યાર સુધીમાં માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ જ નહીં પરંતુ વિદેશી ફ્લાઈટ્સમાં પણ અનેક લોકોના મોત થાય છે. નાપાળમાં છેલ્લા 30 વર્ષોમાં લગભગ 30 જેટલી જીવલેણ વિમાન દુર્ઘટનાઓ સર્જાઈ છે, નેપાળના એરપોર્ટમાં યાત્રિકોની સુરક્ષા માટે કોઈ આધુનિક વ્યવસ્થા પણ નથી. મે 2022માં નેપાળના પોખરામાં જ તારા એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 22 લોકોના મોત થયા હતા. અત્રે ઉલ્લેખનિય છે નેપાળના કાઠમંડુ એરપોર્ટ પરથી જ ભારતનું વિમાન આઈ સી 814 વિમાન 24 ડિસેમ્બર 1999ના રોજ હાઈજેક કરવામાં આવ્યું હતું.




નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે