નેપાળના પોખરામાં 72 લોકો સાથેનું પેસેન્જર પ્લેન ક્રેશ, ફ્લાઈટ બની આગનો ગોળો


  • Published By :
  • Published Date : 2023-01-15 12:49:13

નેપાળમાં એક પેસેન્જર પ્લેન ક્રેસ થયું છે, કાઠમાંડુથી પોખરા જઈ રહેલા યતિ એરલાઈન્સનાં ATR-72 વિમાનમાં 68 મુસાફરોની સાથે ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. આ ભયાનક દુર્ઘટનામાં તમામ 72 લોકોના મોતની આશંકા છે. 


ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા


યતિ એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ મીડિયાને જણાવ્યું કે જૂના એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા પ્લેનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલી તસવીરો અને વીડિયોમાં અકસ્માત સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે. હજુ આ પ્લેન ક્રેશ વિશે વધુ માહિતી મેળવવાની રાહ જોવાઈ રહી છે. દુર્ઘટના સ્થળે હેલિકોપ્ટર સાથે રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે.


વિમાન ક્રેશ થવાનું કારણ ખરાબ હવામાન


વિમાન ક્રેસ થવાના પાછળના કારણોની તપાસ કરતા પ્રથમ દ્રષ્ટીએ જ ખરાબ હવામાન હોવાનું જણાયું છે. ધુમ્મસ અને ભેજવાળા હવામાનના કારણે પ્લેન એક પહાડ સાથે અથડાયું હતું. ક્રેશ થતાની સાથે જ તેમાં વિસ્ફોટ સાથે આગ લાગી હતી. આગના કારણે લોકોને બહાર કાઢવાની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. દુર્ઘટના સ્થળ નદી પાસે હોવાનું જાણવા મળ્યું છે.


30 મૃતદેહ બહાર કઢાયા


દુર્ઘટનાગ્રસ્ત વિમાન આગનો ગોળા બની ગયું હતું. તેથી મુસાફરોના બચવાની શક્યતા ઓછી છે. અત્યાર સુધીમાં 30 મૃતદેહો બહાર કાઢવામાં આવી ચુક્યા છે. જો કે હજુ સુધી કુલ મૃત્યુઆંક જાણી શકાયો નથી.


નેપાળમાં દુર્ઘટનાઓનો જુનો ઈતિહાસ છે


નેપાળમાં વિમાન દુર્ઘટના એ નવી વાત નથી. નેપાળમાં અત્યાર સુધીમાં માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ જ નહીં પરંતુ વિદેશી ફ્લાઈટ્સમાં પણ અનેક લોકોના મોત થાય છે. નાપાળમાં છેલ્લા 30 વર્ષોમાં લગભગ 30 જેટલી જીવલેણ વિમાન દુર્ઘટનાઓ સર્જાઈ છે, નેપાળના એરપોર્ટમાં યાત્રિકોની સુરક્ષા માટે કોઈ આધુનિક વ્યવસ્થા પણ નથી. મે 2022માં નેપાળના પોખરામાં જ તારા એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 22 લોકોના મોત થયા હતા. અત્રે ઉલ્લેખનિય છે નેપાળના કાઠમંડુ એરપોર્ટ પરથી જ ભારતનું વિમાન આઈ સી 814 વિમાન 24 ડિસેમ્બર 1999ના રોજ હાઈજેક કરવામાં આવ્યું હતું.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .