નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ બન્યા ભારતના મહેમાન! પીએમ મોદી સાથે કરી બેઠક, પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વની ચર્ચા, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-01 16:12:49

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ ભારતના પ્રવાસે આવ્યા છે. ભારતના પ્રવાસે આવેલા પીએમે હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ભારત અને નેપાળ વચ્ચે અનેક મહત્વના સમજૂતી કરારો થવાના છે. હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠક મળી હતી જેમાં સરહદ વિવાદ પર વાત કરી હતી. પીએમ પ્રચંડ સાથેની બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું આજે હું કહી શકું છું કે અમારો સંબંધ હિટ છે. નેપાળના લોકો માટે નવા રેલ રૂટ શરૂ કરવામાં આવશે.

 


મહાત્મા ગાંધીને અર્પી પુષ્પાંજલિ!    

ભારતના પ્રવાસે નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ આવ્યા છે. પ્રચંડ ચાર દિવસ માટે ભારતના મહેમાન બન્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન પ્રચંડ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ ઉપરાષ્ટ્રપિત જગદીપ ધનખડને પણ મળવાના છે. આજે હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી અને પ્રચંડ વચ્ચે બેઠક થઈ હતી. ભારતના સાંસ્કૃતિક રાજ્યમંત્રીએ નેપાળના પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને મળતા પહેલા પ્રચંડ રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

  

બંને નેતાઓએ લીધા મહત્વપૂર્ણ નિર્ણય!

બેઠક બાદ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે મેં અને પીએમ પ્રચંડે નેપાળ-ભારતની ભાગીદારીને હિટથી સુપરહિટ બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. બેઠક દરમિયાન હાઈડ્રો પાવર ડેવલપમેન્ટ, એગ્રીકલ્ચર સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે ટ્રાન્ઝિટ એગ્રીમેન્ટ પૂર્ણ થયું છે. આમાં નેપાળના લોકો માટે નવા રેલ માર્ગની સાથે ભારતના આંતરદેશીય જળમાર્ગોની સુવિધા માટે પણ જોગવાઈ કરાઈ છે.  

નેપાળ આવવા પીએમ મોદીને મળ્યું આમંત્રણ!

PM મોદીએ કહ્યું કે, ભારત અને નેપાળ વચ્ચેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધો ઘણા જૂના અને મજબૂત છે. રામાયણ સર્કિટ સાથે સંબંધિત પ્રોજેક્ટને ઝડપથી કામગીરી શરૂ કરી દેવી જોઈએ. રામાયણ સર્કિટ એ સ્થળ છે જ્યાં ભગવાન શ્રી રામના ચરણ પડ્યા હતા.નેપાળના પીએમે કહ્યું કે મેં પીએમ મોદીને નેપાળ આવવાનું આમંત્રણ આપ્યું છે. હું નેપાળમાં તેમનું સ્વાગત કરવા ઉત્સુક છું. પીએમ મોદી સાથે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં સીમા મુદ્દાને સોલ્વ કરવાનો આગ્રહ રાખી રહ્યો છું. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.