નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ બન્યા ભારતના મહેમાન! પીએમ મોદી સાથે કરી બેઠક, પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વની ચર્ચા, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-01 16:12:49

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ ભારતના પ્રવાસે આવ્યા છે. ભારતના પ્રવાસે આવેલા પીએમે હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ભારત અને નેપાળ વચ્ચે અનેક મહત્વના સમજૂતી કરારો થવાના છે. હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠક મળી હતી જેમાં સરહદ વિવાદ પર વાત કરી હતી. પીએમ પ્રચંડ સાથેની બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું આજે હું કહી શકું છું કે અમારો સંબંધ હિટ છે. નેપાળના લોકો માટે નવા રેલ રૂટ શરૂ કરવામાં આવશે.

 


મહાત્મા ગાંધીને અર્પી પુષ્પાંજલિ!    

ભારતના પ્રવાસે નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ આવ્યા છે. પ્રચંડ ચાર દિવસ માટે ભારતના મહેમાન બન્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન પ્રચંડ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ ઉપરાષ્ટ્રપિત જગદીપ ધનખડને પણ મળવાના છે. આજે હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી અને પ્રચંડ વચ્ચે બેઠક થઈ હતી. ભારતના સાંસ્કૃતિક રાજ્યમંત્રીએ નેપાળના પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને મળતા પહેલા પ્રચંડ રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

  

બંને નેતાઓએ લીધા મહત્વપૂર્ણ નિર્ણય!

બેઠક બાદ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે મેં અને પીએમ પ્રચંડે નેપાળ-ભારતની ભાગીદારીને હિટથી સુપરહિટ બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. બેઠક દરમિયાન હાઈડ્રો પાવર ડેવલપમેન્ટ, એગ્રીકલ્ચર સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે ટ્રાન્ઝિટ એગ્રીમેન્ટ પૂર્ણ થયું છે. આમાં નેપાળના લોકો માટે નવા રેલ માર્ગની સાથે ભારતના આંતરદેશીય જળમાર્ગોની સુવિધા માટે પણ જોગવાઈ કરાઈ છે.  

નેપાળ આવવા પીએમ મોદીને મળ્યું આમંત્રણ!

PM મોદીએ કહ્યું કે, ભારત અને નેપાળ વચ્ચેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધો ઘણા જૂના અને મજબૂત છે. રામાયણ સર્કિટ સાથે સંબંધિત પ્રોજેક્ટને ઝડપથી કામગીરી શરૂ કરી દેવી જોઈએ. રામાયણ સર્કિટ એ સ્થળ છે જ્યાં ભગવાન શ્રી રામના ચરણ પડ્યા હતા.નેપાળના પીએમે કહ્યું કે મેં પીએમ મોદીને નેપાળ આવવાનું આમંત્રણ આપ્યું છે. હું નેપાળમાં તેમનું સ્વાગત કરવા ઉત્સુક છું. પીએમ મોદી સાથે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં સીમા મુદ્દાને સોલ્વ કરવાનો આગ્રહ રાખી રહ્યો છું. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.