નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ બન્યા ભારતના મહેમાન! પીએમ મોદી સાથે કરી બેઠક, પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વની ચર્ચા, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-01 16:12:49

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ ભારતના પ્રવાસે આવ્યા છે. ભારતના પ્રવાસે આવેલા પીએમે હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ભારત અને નેપાળ વચ્ચે અનેક મહત્વના સમજૂતી કરારો થવાના છે. હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠક મળી હતી જેમાં સરહદ વિવાદ પર વાત કરી હતી. પીએમ પ્રચંડ સાથેની બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું આજે હું કહી શકું છું કે અમારો સંબંધ હિટ છે. નેપાળના લોકો માટે નવા રેલ રૂટ શરૂ કરવામાં આવશે.

 


મહાત્મા ગાંધીને અર્પી પુષ્પાંજલિ!    

ભારતના પ્રવાસે નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ આવ્યા છે. પ્રચંડ ચાર દિવસ માટે ભારતના મહેમાન બન્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન પ્રચંડ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ ઉપરાષ્ટ્રપિત જગદીપ ધનખડને પણ મળવાના છે. આજે હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી અને પ્રચંડ વચ્ચે બેઠક થઈ હતી. ભારતના સાંસ્કૃતિક રાજ્યમંત્રીએ નેપાળના પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને મળતા પહેલા પ્રચંડ રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

  

બંને નેતાઓએ લીધા મહત્વપૂર્ણ નિર્ણય!

બેઠક બાદ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે મેં અને પીએમ પ્રચંડે નેપાળ-ભારતની ભાગીદારીને હિટથી સુપરહિટ બનાવવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. બેઠક દરમિયાન હાઈડ્રો પાવર ડેવલપમેન્ટ, એગ્રીકલ્ચર સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે ટ્રાન્ઝિટ એગ્રીમેન્ટ પૂર્ણ થયું છે. આમાં નેપાળના લોકો માટે નવા રેલ માર્ગની સાથે ભારતના આંતરદેશીય જળમાર્ગોની સુવિધા માટે પણ જોગવાઈ કરાઈ છે.  

નેપાળ આવવા પીએમ મોદીને મળ્યું આમંત્રણ!

PM મોદીએ કહ્યું કે, ભારત અને નેપાળ વચ્ચેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધો ઘણા જૂના અને મજબૂત છે. રામાયણ સર્કિટ સાથે સંબંધિત પ્રોજેક્ટને ઝડપથી કામગીરી શરૂ કરી દેવી જોઈએ. રામાયણ સર્કિટ એ સ્થળ છે જ્યાં ભગવાન શ્રી રામના ચરણ પડ્યા હતા.નેપાળના પીએમે કહ્યું કે મેં પીએમ મોદીને નેપાળ આવવાનું આમંત્રણ આપ્યું છે. હું નેપાળમાં તેમનું સ્વાગત કરવા ઉત્સુક છું. પીએમ મોદી સાથે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં સીમા મુદ્દાને સોલ્વ કરવાનો આગ્રહ રાખી રહ્યો છું. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.