કેનેડામાં ભારતીય મૂળના અનિતા આનંદ બન્યા વિદેશમંત્રી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-14 18:39:54

કેનેડામાં માર્ક કાર્નીના નેતૃત્વમાં એક નવી સરકાર આવી ચુકી છે. આ નવી સરકારમાં વિદેશ મંત્રી તરીકે પેહલીવાર ભારતીય મૂળના  અનિતા આનંદની નિમણુંક કરવામાં આવી છે. કેનેડાના પીએમ માર્ક કાર્નીનો પ્રયાસ છે કે ભારત અને કેનેડાના સંબંધોમાં સુધારો આવે સાથે  જ તેમણે ચૂંટણી પ્રચાર દરમ્યાન આ માટે સંકેત પણ આપ્યો હતો . તો આવો જાણીએ ભારતીય મૂળના અનિતા આનંદ કોણ છે અને નવી કેનેડિયન સરકારમાં તેમની શું ભૂમિકા હશે? 

Carney up North - The Hill Times

હાલમાં કેનેડામાં એક નામ ખુબ જ ચર્ચામાં છે તે છે અનિતા આનંદ. તેમની નિમણુંક કેનેડામાં વિદેશપ્રધાન પદે વડાપ્રધાન માર્ક કારની દ્વારા કરવામાં આવી છે.આ બાબતે આપણા વિદેશ પ્રધાન એસ. જયશંકરએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને અનિતા આનંદને શુભકામનાઓ આપી છે. અનિતા આનંદ કે જેઓ હાલમાં લિબરલ પાર્ટીમાંથી ઓકવિલે ઇસ્ટ બેઠકના સાંસદ છે.  અનિતા આનંદે મંત્રી તરીકે શપથ ભગવદ ગીતા પર હાથ મૂકીને લીધા હતા . અનિતા આનંદ રશિયા - યુક્રેન યુદ્ધના પેહલા વર્ષમાં જસ્ટિન ટ્રુડોની સરકારમાં રક્ષા મંત્રી હતા . આપને જણાવી દયિકે , કેનેડાના તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળમાં ભારત અને કેનેડાના સબંધો ખુબ ખરાબ થઇ ગયા હતા . જોકે માર્ક કારનીએ ચૂંટણી પ્રચાર દરમ્યાન એ વાતે ચોક્કસ સંકેત આપ્યા હતા કે , ભારત અને કેનેડા વચ્ચે સબંધો સુધારવામાં આવશે.  વડાપ્રધાન માર્ક કાર્નીએ અન્ય ત્રણ ભારતીયોની પણ પોતાની કેબિનેટમાં જગ્યા આપી છે. મનીનંદર સિદ્ધુ જેમને આતરરાષ્ટ્રીય વ્યાપારના મંત્રી બનાવાયા છે, તેઓ લિબરલ પાર્ટીમાંથી બ્રામ્પ્ટન ઇસ્ટ બેઠક પરથી સાંસદ બન્યા છે.  જયારે રુબી સહોતા અને રણદીપ સરાઈની સેક્રેટરી ઓફ સ્ટેટ પદે નિમણુંક કરવામાં આવી છે. 

Who is Mark Carney? From education to family - All you need to know about  Canada's new prime minister | Today News

વાત અનિતા આનંદની તો , તેઓ ૫૮ વર્ષના છે. તેમના માતા જેઓ તમિલનાડુમાં છે જેમનું નામ છે સરોજ જયારે પિતા પંજાબી છે જેમનું નામ છે એસ વી આનંદ. ૨૦૧૯માં જયારે અનિતા આનંદ ઓકવિલેના સાંસદ પદે ચૂંટાયા ત્યારે તેઓ કેનેડાના નીચલા ગૃહ હોઉસ કોમન્સનમાં પેહલા હિન્દૂ મહિલા સાંસદ હતા . તમે જો અનિતા આનંદની એકેડમિક જર્ની પર નજર નાખશો તો ખબર પડશે કે , તેઓ કવીન્સ યુનિવર્સીટી , ઓક્સફર્ડ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોમાં ભણેલા છે. અનિતા આનંદની કેનેડાના વિદેશમંત્રી પદે નિમણુંક ભારત અને કેનેડાના સંબંધોમાં સુધાર રૂપે જોવામાં આવે છે. કેમ કે તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળમાં ખાલિસ્તાનના મુદ્દે સબંધો બગડી ગયા હતા. વાત કરીએ કેનેડાની ચૂંટણી વ્યવસ્થાની તો તે ભારતની જેમ જ સંસદીય પ્રણાલી ધરાવે છે. સમગ્ર કેનેડામાં ૩૪૨ રાઇડિંગ્સ એટલેકે બેઠકો છે. દરેક સંસદ સભ્ય ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમની રીતે ચૂંટાઈને આવે છે. કેનેડાની સંસદ ભારતની જેમ જ બે ભાગોમાં વહેંચાયેલી છે. તેનું ઉપલું ગૃહ સેનેટ કહેવાય છે જયારે નીચલું હાઉસ ઓફ કોમન્સ કહેવાય છે. કેનેડાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં જે પાર્ટી સૌથી વધારે સીટો જીતે તે સરકાર બનાવે છે. કેનેડામાં ૧૮ વર્ષની ઉમર એ મતદાન કરવાની ઓછામાં ઓછી ઉમર છે. ભારતની જેમ ત્યાં પણ ચૂંટણીઓ ઈલેક્શન કેનેડા નામની તટસ્થ સંસ્થા દ્વારા કરાવવામાં આવે છે.  




ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?

જયારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે , ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ , ખાતર અને કેમિકલની આયાત કરે છે જયારે તમે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતની નિંદા કરો છો તો તમે શું કહેશો? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે , હું આ વિશે કશું જ જાણતો નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા નીક્કી હેલી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાએ ભારત સાથે સબંધો બગાડવા ના જોઈએ .