મેરઠ મર્ડર કેસમાં ચોંકાવનારા ખુલાસા આવ્યા સામે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-31 18:00:39

મેરઠનો સૌરભ રાજપૂત  કેસ જેણે સમગ્ર દેશને હલાવી નાખ્યો છે. આ કેસની તપાસ ખુબ જોરદાર રીતે ચાલી રહી છે. આ કેસમાં હવે ફોરેન્સિકની તપાસમાં ખુબ ચોંકાવનારા તારણો સામે આવ્યા જે સાંભળીને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે. આ ઘટનાએ  ન માત્ર સમાજની આત્મા પર કુઠારાઘાત કર્યો છે પરંતુ આખી સમાજ વ્યવસ્થાના અસ્તિત્વને ખુબ મોટી ચેલેન્જ ફેંકી છે . મેરઠમાં સૌરભ રાજપૂતની હત્યાને હવે લગભગ ૨૫ દિવસથી વધારેનો સમય વીતી ચુક્યો છે. આ કેસની તપાસ પોલીસ , ફોરેન્સિક ટિમ અને સાયબર સેલ કરી રહી છે. જોકે હવે ફોરેન્સિક ટીમની તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ફોરેન્સિક ટીમે ૧૮ માર્ચે હત્યાનો ખુલાસો થયો તે દિવસથી ૨૫ માર્ચે સૌરભના રૂમની તપાસ સુધીના ફોરેન્સિક પુરાવા એકઠા કર્યા છે . આ તપાસમાં એક ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે. 

Meerut murder: 'Killer' wife spends first night in prison; shuns jail food

બીજી ચોંકવાનરી બાબત એ સામે આવી છે કે , સૌરભના મૃત્યુ  બાદ સાહિલ અને મુસ્કાને બ્લિચિંગ પાઉડરથી લોહીના ડાઘ સાફ કર્યા હતા . જે ચાદર પર સૌરભની હત્યા કરવામાં આવી હતી તે પણ ધોઈ નાખવામાં આવી હતી . ફોરેન્સિકની ટીમને રૂમથી બાથરૂમ સુધી લગભગ ૨૫ જગ્યાએ લોહીના ડાઘ મળ્યા હતા . જે પ્રકારે લોહીના છાંટા અનેક જગ્યાએ ફેલાયેલા જોવા મળ્યા છે  તેનાથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે , સૌરભનું ગળું કાપવા માટે ૧૦થી વધારે વખત તેના પર ઘા કરવામાં આવ્યા હશે . હવે વાત કરીએ કે જે ચાકુઓથી આ ઘટનાને અંજામ અપાયો તેને ડ્રમમાં જ સિમેન્ટથી સીલ કરવામાં આવ્યા હતા . આ બને ચાકુ સૌરભના શરીરના ટુકડાઓ સાથે ડ્રમમાંથી મળ્યા હતા . મુસ્કાન અને સાહિલના ફિંગરપ્રિન્ટ્સ ચાકુ સાથે મેચ કરવામાં આવ્યા હતા . આ માટે પોલીસે બને ચાકુને ફોરેન્સિક લેબમાં મોકલી દીધા હતા . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર , પ્રાથમિક તપાસમાં ચાકુ પર મુસ્કાન અને સાહિલના ફિંગરપ્રિન્ટસ મળી આવ્યા હતા . ફોરેન્સિક ટીમે સૌરભ અને મુસ્કાનનાં મકાનમાંથી લોહીથી ખરડાયેલા કપડાં , ચાદર , ઓશિકા કવર અને ઓશીકું પણ જપ્ત કર્યા છે. સૌરભના કપડાં પરના લોહીની તપાસ માટે તેના પરિવારના સભ્યોના લોહીના નમૂના પણ લેવામાં આવશે. ફોરેન્સિક ટીમે સાયબર ટિમ સાથે મળીને મુસ્કાન અને સાહિલના મોબાઈલ ફોનમાંથી મહત્વપૂર્ણ સંકેતો એકઠા કરી રહી છે. ટીમે મોબાઈલ લોકેશનનો નકશો તૈયાર કર્યો છે અને તેને કેસ ડાયરીનો ભાગ બનાવવા માટે પોલીસને સોંપ્યો છે. જોકે આ લોકેશનનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ સૌરભ કેસમાં પોલીસ , ફોરેન્સિક અને સાયબર ટીમની તપાસ ખુબ મજબૂત રીતે ચાલી રહી છે. પુરાવા એકઠા કરવામાં કોઈ પણ કસર ના રહી જાય તેની તકેદારી રાખવામાં આવી છે. ફોરેન્સિક ટીમના રિપોર્ટથી લઇને સાયબર ટીમના રિપોર્ટ સુધી આ કેસના તમામ પુરાવા ઈ-એવિડન્સ એપ પર સુરક્ષિત કરવામાં આવ્યા છે જેથી પુરાવાઓને કોર્ટમાં મજબુતીથી રજૂ કરી શકાય અને સજા ઝડપથી આપી શકાય. 

આ કેસમાં જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું .



દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી

વિસાવદરની પેટાચૂંટણીમાં વિજય પછી આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહનો માહોલ છે. થોડાક સમય પેહલા , આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવ્યા હતા . તેમણે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવડાવી હતી . આમ આદમી પાર્ટીની રણનીતિ છે કે , આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પેહલા , પોતાનું સંગઠન મજબૂત કરે. હવે , BJP અને કોંગ્રેસમાંથી ગાબડાં પડવાની શરૂઆત થઈ ચુકી છે. જૂનાગઢ જિલ્લામાં કેશોદ ખાતે, MLA ગોપાલ ઇટાલિયાની હાજરીમાં BJP અને કોંગ્રેસના હોદ્દેદારો ખુબ મોટા પાયે , આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તે પેહલા , આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં મહેસાણામાં BJP અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.