મેરઠ મર્ડર કેસમાં ચોંકાવનારા ખુલાસા આવ્યા સામે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-31 18:00:39

મેરઠનો સૌરભ રાજપૂત  કેસ જેણે સમગ્ર દેશને હલાવી નાખ્યો છે. આ કેસની તપાસ ખુબ જોરદાર રીતે ચાલી રહી છે. આ કેસમાં હવે ફોરેન્સિકની તપાસમાં ખુબ ચોંકાવનારા તારણો સામે આવ્યા જે સાંભળીને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે. આ ઘટનાએ  ન માત્ર સમાજની આત્મા પર કુઠારાઘાત કર્યો છે પરંતુ આખી સમાજ વ્યવસ્થાના અસ્તિત્વને ખુબ મોટી ચેલેન્જ ફેંકી છે . મેરઠમાં સૌરભ રાજપૂતની હત્યાને હવે લગભગ ૨૫ દિવસથી વધારેનો સમય વીતી ચુક્યો છે. આ કેસની તપાસ પોલીસ , ફોરેન્સિક ટિમ અને સાયબર સેલ કરી રહી છે. જોકે હવે ફોરેન્સિક ટીમની તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ફોરેન્સિક ટીમે ૧૮ માર્ચે હત્યાનો ખુલાસો થયો તે દિવસથી ૨૫ માર્ચે સૌરભના રૂમની તપાસ સુધીના ફોરેન્સિક પુરાવા એકઠા કર્યા છે . આ તપાસમાં એક ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે. 

Meerut murder: 'Killer' wife spends first night in prison; shuns jail food

બીજી ચોંકવાનરી બાબત એ સામે આવી છે કે , સૌરભના મૃત્યુ  બાદ સાહિલ અને મુસ્કાને બ્લિચિંગ પાઉડરથી લોહીના ડાઘ સાફ કર્યા હતા . જે ચાદર પર સૌરભની હત્યા કરવામાં આવી હતી તે પણ ધોઈ નાખવામાં આવી હતી . ફોરેન્સિકની ટીમને રૂમથી બાથરૂમ સુધી લગભગ ૨૫ જગ્યાએ લોહીના ડાઘ મળ્યા હતા . જે પ્રકારે લોહીના છાંટા અનેક જગ્યાએ ફેલાયેલા જોવા મળ્યા છે  તેનાથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે , સૌરભનું ગળું કાપવા માટે ૧૦થી વધારે વખત તેના પર ઘા કરવામાં આવ્યા હશે . હવે વાત કરીએ કે જે ચાકુઓથી આ ઘટનાને અંજામ અપાયો તેને ડ્રમમાં જ સિમેન્ટથી સીલ કરવામાં આવ્યા હતા . આ બને ચાકુ સૌરભના શરીરના ટુકડાઓ સાથે ડ્રમમાંથી મળ્યા હતા . મુસ્કાન અને સાહિલના ફિંગરપ્રિન્ટ્સ ચાકુ સાથે મેચ કરવામાં આવ્યા હતા . આ માટે પોલીસે બને ચાકુને ફોરેન્સિક લેબમાં મોકલી દીધા હતા . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર , પ્રાથમિક તપાસમાં ચાકુ પર મુસ્કાન અને સાહિલના ફિંગરપ્રિન્ટસ મળી આવ્યા હતા . ફોરેન્સિક ટીમે સૌરભ અને મુસ્કાનનાં મકાનમાંથી લોહીથી ખરડાયેલા કપડાં , ચાદર , ઓશિકા કવર અને ઓશીકું પણ જપ્ત કર્યા છે. સૌરભના કપડાં પરના લોહીની તપાસ માટે તેના પરિવારના સભ્યોના લોહીના નમૂના પણ લેવામાં આવશે. ફોરેન્સિક ટીમે સાયબર ટિમ સાથે મળીને મુસ્કાન અને સાહિલના મોબાઈલ ફોનમાંથી મહત્વપૂર્ણ સંકેતો એકઠા કરી રહી છે. ટીમે મોબાઈલ લોકેશનનો નકશો તૈયાર કર્યો છે અને તેને કેસ ડાયરીનો ભાગ બનાવવા માટે પોલીસને સોંપ્યો છે. જોકે આ લોકેશનનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ સૌરભ કેસમાં પોલીસ , ફોરેન્સિક અને સાયબર ટીમની તપાસ ખુબ મજબૂત રીતે ચાલી રહી છે. પુરાવા એકઠા કરવામાં કોઈ પણ કસર ના રહી જાય તેની તકેદારી રાખવામાં આવી છે. ફોરેન્સિક ટીમના રિપોર્ટથી લઇને સાયબર ટીમના રિપોર્ટ સુધી આ કેસના તમામ પુરાવા ઈ-એવિડન્સ એપ પર સુરક્ષિત કરવામાં આવ્યા છે જેથી પુરાવાઓને કોર્ટમાં મજબુતીથી રજૂ કરી શકાય અને સજા ઝડપથી આપી શકાય. 

આ કેસમાં જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું .



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.