કોરોના સંકટ વચ્ચે ચીનમાં થશે નવા વર્ષની ઉજવણી, વધી શકે છે કોરોના સંક્રમિતોનો આંકડો


  • Published By :
  • Published Date : 2023-01-16 13:37:50

કોરોનાની ઝપેટમાં ફરી એક વખત દુનિયાના દેશો આવી રહ્યા છે. ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ થઈ રહી છે પરંતુ તેને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટને પરમિશન આપી દેવામાં આવી છે. જેને કારણે એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભીડને કારણે આવનાર સમયમાં કોરોનાનો રાફડો ફાટી શકે છે તેનો ભય નિષ્ણાંતોને સતાવી રહ્યો છે. 


પ્રતિબંધો થઈ રહ્યા છે હળવા

વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેને કારણે મોતને પણ ભેટી રહ્યા છે.અમેરિકા, જાપાન,ભારત સહિતના દેશોમાં વધતા કોરોના કેસને કારણે ચિંતા વધી છે. ચીનમાં જ્યારે કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે પ્રતિબંધો કડક કરવાની જગ્યાએ ચીન સરકારે નવા વર્ષને કારણે પ્રતિબંધો હળવા કરી દીધા છે.  


હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત 

પ્રતિબંધો હળવા થવાને કારણે અને વિદેશીઓને પરવાનગી મળવાને કારણે લોકો ચીનમાં પ્રવેશી રહ્યા છે. જેને કારણે એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે 8 ડિસેમ્બર 2022થી લઈ 12 જાન્યુઆરી 2023 દરમિયાન હોસ્પિટલમાં અંદાજીત 60000 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે.  

 

નવા વર્ષની થવાની છે ઉજવણી

આવનાર સમયમાં ચીનમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવવાની છે. નવા વર્ષની ઉજવણી કરવા લોકો ઘરવાપસી કરી રહ્યા છે અને વિદેશથી પણ લોકો ચીનની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી શકે છે. આવનાર સમયમાં વણસતી પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ અને ક્લીનીક પર દવાઓ તેમજ જરૂરી વસ્તુઓ મોકલી દેવામાં આવી છે.  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.