કોરોના સંકટ વચ્ચે ચીનમાં થશે નવા વર્ષની ઉજવણી, વધી શકે છે કોરોના સંક્રમિતોનો આંકડો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-16 13:37:50

કોરોનાની ઝપેટમાં ફરી એક વખત દુનિયાના દેશો આવી રહ્યા છે. ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ થઈ રહી છે પરંતુ તેને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટને પરમિશન આપી દેવામાં આવી છે. જેને કારણે એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભીડને કારણે આવનાર સમયમાં કોરોનાનો રાફડો ફાટી શકે છે તેનો ભય નિષ્ણાંતોને સતાવી રહ્યો છે. 


પ્રતિબંધો થઈ રહ્યા છે હળવા

વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેને કારણે મોતને પણ ભેટી રહ્યા છે.અમેરિકા, જાપાન,ભારત સહિતના દેશોમાં વધતા કોરોના કેસને કારણે ચિંતા વધી છે. ચીનમાં જ્યારે કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે પ્રતિબંધો કડક કરવાની જગ્યાએ ચીન સરકારે નવા વર્ષને કારણે પ્રતિબંધો હળવા કરી દીધા છે.  


હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત 

પ્રતિબંધો હળવા થવાને કારણે અને વિદેશીઓને પરવાનગી મળવાને કારણે લોકો ચીનમાં પ્રવેશી રહ્યા છે. જેને કારણે એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે 8 ડિસેમ્બર 2022થી લઈ 12 જાન્યુઆરી 2023 દરમિયાન હોસ્પિટલમાં અંદાજીત 60000 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે.  

 

નવા વર્ષની થવાની છે ઉજવણી

આવનાર સમયમાં ચીનમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવવાની છે. નવા વર્ષની ઉજવણી કરવા લોકો ઘરવાપસી કરી રહ્યા છે અને વિદેશથી પણ લોકો ચીનની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી શકે છે. આવનાર સમયમાં વણસતી પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ અને ક્લીનીક પર દવાઓ તેમજ જરૂરી વસ્તુઓ મોકલી દેવામાં આવી છે.  



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે