કોરોના સંકટ વચ્ચે ચીનમાં થશે નવા વર્ષની ઉજવણી, વધી શકે છે કોરોના સંક્રમિતોનો આંકડો


  • Published By :
  • Published Date : 2023-01-16 13:37:50

કોરોનાની ઝપેટમાં ફરી એક વખત દુનિયાના દેશો આવી રહ્યા છે. ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ થઈ રહી છે પરંતુ તેને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટને પરમિશન આપી દેવામાં આવી છે. જેને કારણે એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભીડને કારણે આવનાર સમયમાં કોરોનાનો રાફડો ફાટી શકે છે તેનો ભય નિષ્ણાંતોને સતાવી રહ્યો છે. 


પ્રતિબંધો થઈ રહ્યા છે હળવા

વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેને કારણે મોતને પણ ભેટી રહ્યા છે.અમેરિકા, જાપાન,ભારત સહિતના દેશોમાં વધતા કોરોના કેસને કારણે ચિંતા વધી છે. ચીનમાં જ્યારે કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે પ્રતિબંધો કડક કરવાની જગ્યાએ ચીન સરકારે નવા વર્ષને કારણે પ્રતિબંધો હળવા કરી દીધા છે.  


હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત 

પ્રતિબંધો હળવા થવાને કારણે અને વિદેશીઓને પરવાનગી મળવાને કારણે લોકો ચીનમાં પ્રવેશી રહ્યા છે. જેને કારણે એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે 8 ડિસેમ્બર 2022થી લઈ 12 જાન્યુઆરી 2023 દરમિયાન હોસ્પિટલમાં અંદાજીત 60000 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે.  

 

નવા વર્ષની થવાની છે ઉજવણી

આવનાર સમયમાં ચીનમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવવાની છે. નવા વર્ષની ઉજવણી કરવા લોકો ઘરવાપસી કરી રહ્યા છે અને વિદેશથી પણ લોકો ચીનની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી શકે છે. આવનાર સમયમાં વણસતી પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ અને ક્લીનીક પર દવાઓ તેમજ જરૂરી વસ્તુઓ મોકલી દેવામાં આવી છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .