કોરોના સંકટ વચ્ચે ચીનમાં થશે નવા વર્ષની ઉજવણી, વધી શકે છે કોરોના સંક્રમિતોનો આંકડો


  • Published By :
  • Published Date : 2023-01-16 13:37:50

કોરોનાની ઝપેટમાં ફરી એક વખત દુનિયાના દેશો આવી રહ્યા છે. ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ થઈ રહી છે પરંતુ તેને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટને પરમિશન આપી દેવામાં આવી છે. જેને કારણે એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભીડને કારણે આવનાર સમયમાં કોરોનાનો રાફડો ફાટી શકે છે તેનો ભય નિષ્ણાંતોને સતાવી રહ્યો છે. 


પ્રતિબંધો થઈ રહ્યા છે હળવા

વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેને કારણે મોતને પણ ભેટી રહ્યા છે.અમેરિકા, જાપાન,ભારત સહિતના દેશોમાં વધતા કોરોના કેસને કારણે ચિંતા વધી છે. ચીનમાં જ્યારે કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે પ્રતિબંધો કડક કરવાની જગ્યાએ ચીન સરકારે નવા વર્ષને કારણે પ્રતિબંધો હળવા કરી દીધા છે.  


હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત 

પ્રતિબંધો હળવા થવાને કારણે અને વિદેશીઓને પરવાનગી મળવાને કારણે લોકો ચીનમાં પ્રવેશી રહ્યા છે. જેને કારણે એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે 8 ડિસેમ્બર 2022થી લઈ 12 જાન્યુઆરી 2023 દરમિયાન હોસ્પિટલમાં અંદાજીત 60000 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે.  

 

નવા વર્ષની થવાની છે ઉજવણી

આવનાર સમયમાં ચીનમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવવાની છે. નવા વર્ષની ઉજવણી કરવા લોકો ઘરવાપસી કરી રહ્યા છે અને વિદેશથી પણ લોકો ચીનની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી શકે છે. આવનાર સમયમાં વણસતી પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ અને ક્લીનીક પર દવાઓ તેમજ જરૂરી વસ્તુઓ મોકલી દેવામાં આવી છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.