ન્યુઝિલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડન આપશે રાજીનામું, કાર્યકાળ પૂર્ણ થવાના આટલા મહિના પહેલા કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-19 11:36:05

ન્યુઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને ગુરૂવારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. ઉપરાંત જેસિન્ડાએ એવી પણ જાહેરાત કરી દીધી છે કે ઓક્ટોબરમાં થનારી ચૂંટણીમાં તેઓ નથી લડવાના. તેમની જાહેરાતને કારણે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થવાનો છે.

 Jacinda Ardern: न्यूजीलैंड की पीएम जैसिंडा अर्डर्न देंगी इस्तीफा, भावुक भाषण में कहा- यही सही समय है

રાજીનામા અંગે આપી માહિતી  

ગુરૂવારના દિવસે મળેલી પાર્ટીની વાર્ષિક કોક્સ મીટિંગમાં ન્યુઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ને એવી જાહેરાત કરી જેને કારણે લોકો નવાઈ પામ્યા છે.  જેસિંડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. જાહેરાત કરતા તેમણે કહ્યું કે તેની પાસે કાર્ય કરવાની શક્તિ નથી રહી. હવે રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે હું જઈ રહી છું કારણ કે આવી વિશેષ ભૂમિકા સાથે જવાબદારી આવે છે. આ જવાબદારી નિભાવવા માટે હવે મારી પાસે પૂરતી તાકાત નથી.  



7 ફેબ્રુઆરીએ પૂર્ણ થાય છે કાર્યકાળ 

વડાપ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ 7 ફેબ્રુઆરીએ પૂરો થાય છે. રાજીનામાની ઘોષણા કરતી વખતે જેસિન્ડા ભાવુક થયા હતા. તેમણે કહ્યું તે હું પણ માણસ છું, રાજનેતા પણ માણસ હોય છે. તેમણે કહ્યું કે ઉનાળા દરમિયાન આવતી રજાઓના સમયે તેમણે આ અંગે વિચાર્યું કે આ પદ પર બેસવા માટે તેમની પાસે તાકાત છે કે નહીં. પરિણામ એ આવ્યું કે તેમની પાસે શક્તિ નથી. તમને જણાવી દઈએ કે જેસિંડા દુનિયાની સૌથી નાની ઉંમરે બનનાર પ્રથમ મહિલા પ્રધાનમંત્રી છે.      



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .