ન્યુઝિલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડન આપશે રાજીનામું, કાર્યકાળ પૂર્ણ થવાના આટલા મહિના પહેલા કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-19 11:36:05

ન્યુઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને ગુરૂવારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. ઉપરાંત જેસિન્ડાએ એવી પણ જાહેરાત કરી દીધી છે કે ઓક્ટોબરમાં થનારી ચૂંટણીમાં તેઓ નથી લડવાના. તેમની જાહેરાતને કારણે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થવાનો છે.

 Jacinda Ardern: न्यूजीलैंड की पीएम जैसिंडा अर्डर्न देंगी इस्तीफा, भावुक भाषण में कहा- यही सही समय है

રાજીનામા અંગે આપી માહિતી  

ગુરૂવારના દિવસે મળેલી પાર્ટીની વાર્ષિક કોક્સ મીટિંગમાં ન્યુઝિલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ને એવી જાહેરાત કરી જેને કારણે લોકો નવાઈ પામ્યા છે.  જેસિંડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. જાહેરાત કરતા તેમણે કહ્યું કે તેની પાસે કાર્ય કરવાની શક્તિ નથી રહી. હવે રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે હું જઈ રહી છું કારણ કે આવી વિશેષ ભૂમિકા સાથે જવાબદારી આવે છે. આ જવાબદારી નિભાવવા માટે હવે મારી પાસે પૂરતી તાકાત નથી.  



7 ફેબ્રુઆરીએ પૂર્ણ થાય છે કાર્યકાળ 

વડાપ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ 7 ફેબ્રુઆરીએ પૂરો થાય છે. રાજીનામાની ઘોષણા કરતી વખતે જેસિન્ડા ભાવુક થયા હતા. તેમણે કહ્યું તે હું પણ માણસ છું, રાજનેતા પણ માણસ હોય છે. તેમણે કહ્યું કે ઉનાળા દરમિયાન આવતી રજાઓના સમયે તેમણે આ અંગે વિચાર્યું કે આ પદ પર બેસવા માટે તેમની પાસે તાકાત છે કે નહીં. પરિણામ એ આવ્યું કે તેમની પાસે શક્તિ નથી. તમને જણાવી દઈએ કે જેસિંડા દુનિયાની સૌથી નાની ઉંમરે બનનાર પ્રથમ મહિલા પ્રધાનમંત્રી છે.      



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.