ગુજરાત પહોંચી એનઆઈએની ટીમ, દેશમાં 70 જગ્યા પર દરોડા, કુલવિંદર સિદ્ધુના મિત્રને ત્યાં પણ કરાઈ તપાસ


  • Published By :
  • Published Date : 2023-02-21 14:52:31

ગેંગસ્ટર સિન્ડિકેટ મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી કરી છે જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાં દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી હતી. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તપાસ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર એનઆઈએના ગેંગસ્ટર અને ક્રાઈમ સિન્ડિકેટ સાથે જોડાયેલા કેસમાં પાડવામાં આવી હતી. ગુજરાતના ગાંધીધામમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંદરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. કુલવિંદર ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંકળાયેલા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

 


દેશના અનેક રાજ્યોમાં એનઆઈએ દ્વારા કરાઈ કાર્યવાહી  

મંગળવાર સવારથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં તપાસની કામગીરી કરવામાં આવી રહી છે. 72 જગ્યાઓ પર રેડ પાડવામાં આવી હતી. ગૈંગસ્ટર લારેંસ અને તેમના નજીકના લોકોના ઘરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંડીગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં એક સાથે રેડ પાડવામાં આવી હતી. કચ્છના ગાંધીધામના કિડાણામાં કુલવિંદર સિદ્ધુ નામના શખ્સની તપાસ હાથ ધરી છે.    


પાકિસ્તાન સાથે સંબંધ હોવાનું સામે આવતા કરાઈ કાર્યવાહી 

મળતી માહિતી અનુસાર બિશ્નોઈ અને બવાના ગેંગને પાકિસ્તાનથી ફંડિગ મળતું હતું જેનો ઉપયોગ ભારત વિરોધી કામ કરવામાં કરતા હતા. મૂસેવાલા મર્ડર કેસમાં સજા ભોગવી રહેલા લોરેંસઅને નીરજ બવાનાએ હથિયાર સપ્લાય અને ટેરર ફન્ડિંગની વાત કબૂલી છે. અને રેડ દરમિયાન અનેક જગ્યાઓથી હથિયાર મળી આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગેંગસ્ટરોની પૂછપરછ દરમિયાન ઘણા વધુ ગેંગસ્ટરના નામ સામે આવ્યા હતા. ગેંગસ્ટરોનાં અન્ય દેશોમાં સપંર્ક હોવાનું પણ સામે આવ્યું હતું. જે બાદ એક જ સમયે એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 


અલગ અલગ જગ્યાઓ પર એનઆઈએની તપાસ 

થોડા સમય પહેલા શનિવારે એનઆઈએ દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના રાજ્ય પદાધિકારીઓનાં ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. રાજસ્થાનના જયપુર, કોટા, સવાઈ માધોપુર સહિત અનેક સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા હતા. હરિયાણાના નારનૌલમાં એનઆઈએના ગૈંગસ્ટર સુરેંદર ઉર્ફે ચીકુના ઠેકાણાઓ પર રેડ પાડવામાં આવી હતી. મોહનપુર સ્થિત તેમના સંબંધીના ઘરે રેડ પાડવામાં આવી હતી. તે સિવાય ઉત્તરપ્રદેશના પીલીભીત અને પ્રતાપગઢમાં પણ એનઆઈએએ કાર્યવાહી કરી હતી. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં તપાસ માટે એનઆઈએની ટીમ પહોંચી હતી.       







ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે