ગુજરાત પહોંચી એનઆઈએની ટીમ, દેશમાં 70 જગ્યા પર દરોડા, કુલવિંદર સિદ્ધુના મિત્રને ત્યાં પણ કરાઈ તપાસ


  • Published By :
  • Published Date : 2023-02-21 14:52:31

ગેંગસ્ટર સિન્ડિકેટ મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી કરી છે જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાં દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી હતી. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તપાસ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર એનઆઈએના ગેંગસ્ટર અને ક્રાઈમ સિન્ડિકેટ સાથે જોડાયેલા કેસમાં પાડવામાં આવી હતી. ગુજરાતના ગાંધીધામમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંદરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. કુલવિંદર ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંકળાયેલા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

 


દેશના અનેક રાજ્યોમાં એનઆઈએ દ્વારા કરાઈ કાર્યવાહી  

મંગળવાર સવારથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં તપાસની કામગીરી કરવામાં આવી રહી છે. 72 જગ્યાઓ પર રેડ પાડવામાં આવી હતી. ગૈંગસ્ટર લારેંસ અને તેમના નજીકના લોકોના ઘરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંડીગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં એક સાથે રેડ પાડવામાં આવી હતી. કચ્છના ગાંધીધામના કિડાણામાં કુલવિંદર સિદ્ધુ નામના શખ્સની તપાસ હાથ ધરી છે.    


પાકિસ્તાન સાથે સંબંધ હોવાનું સામે આવતા કરાઈ કાર્યવાહી 

મળતી માહિતી અનુસાર બિશ્નોઈ અને બવાના ગેંગને પાકિસ્તાનથી ફંડિગ મળતું હતું જેનો ઉપયોગ ભારત વિરોધી કામ કરવામાં કરતા હતા. મૂસેવાલા મર્ડર કેસમાં સજા ભોગવી રહેલા લોરેંસઅને નીરજ બવાનાએ હથિયાર સપ્લાય અને ટેરર ફન્ડિંગની વાત કબૂલી છે. અને રેડ દરમિયાન અનેક જગ્યાઓથી હથિયાર મળી આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગેંગસ્ટરોની પૂછપરછ દરમિયાન ઘણા વધુ ગેંગસ્ટરના નામ સામે આવ્યા હતા. ગેંગસ્ટરોનાં અન્ય દેશોમાં સપંર્ક હોવાનું પણ સામે આવ્યું હતું. જે બાદ એક જ સમયે એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 


અલગ અલગ જગ્યાઓ પર એનઆઈએની તપાસ 

થોડા સમય પહેલા શનિવારે એનઆઈએ દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના રાજ્ય પદાધિકારીઓનાં ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. રાજસ્થાનના જયપુર, કોટા, સવાઈ માધોપુર સહિત અનેક સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા હતા. હરિયાણાના નારનૌલમાં એનઆઈએના ગૈંગસ્ટર સુરેંદર ઉર્ફે ચીકુના ઠેકાણાઓ પર રેડ પાડવામાં આવી હતી. મોહનપુર સ્થિત તેમના સંબંધીના ઘરે રેડ પાડવામાં આવી હતી. તે સિવાય ઉત્તરપ્રદેશના પીલીભીત અને પ્રતાપગઢમાં પણ એનઆઈએએ કાર્યવાહી કરી હતી. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં તપાસ માટે એનઆઈએની ટીમ પહોંચી હતી.       







રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.