ગુજરાત પહોંચી એનઆઈએની ટીમ, દેશમાં 70 જગ્યા પર દરોડા, કુલવિંદર સિદ્ધુના મિત્રને ત્યાં પણ કરાઈ તપાસ


  • Published By :
  • Published Date : 2023-02-21 14:52:31

ગેંગસ્ટર સિન્ડિકેટ મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી કરી છે જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાં દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી હતી. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તપાસ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર એનઆઈએના ગેંગસ્ટર અને ક્રાઈમ સિન્ડિકેટ સાથે જોડાયેલા કેસમાં પાડવામાં આવી હતી. ગુજરાતના ગાંધીધામમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંદરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. કુલવિંદર ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંકળાયેલા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

 


દેશના અનેક રાજ્યોમાં એનઆઈએ દ્વારા કરાઈ કાર્યવાહી  

મંગળવાર સવારથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં તપાસની કામગીરી કરવામાં આવી રહી છે. 72 જગ્યાઓ પર રેડ પાડવામાં આવી હતી. ગૈંગસ્ટર લારેંસ અને તેમના નજીકના લોકોના ઘરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંડીગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં એક સાથે રેડ પાડવામાં આવી હતી. કચ્છના ગાંધીધામના કિડાણામાં કુલવિંદર સિદ્ધુ નામના શખ્સની તપાસ હાથ ધરી છે.    


પાકિસ્તાન સાથે સંબંધ હોવાનું સામે આવતા કરાઈ કાર્યવાહી 

મળતી માહિતી અનુસાર બિશ્નોઈ અને બવાના ગેંગને પાકિસ્તાનથી ફંડિગ મળતું હતું જેનો ઉપયોગ ભારત વિરોધી કામ કરવામાં કરતા હતા. મૂસેવાલા મર્ડર કેસમાં સજા ભોગવી રહેલા લોરેંસઅને નીરજ બવાનાએ હથિયાર સપ્લાય અને ટેરર ફન્ડિંગની વાત કબૂલી છે. અને રેડ દરમિયાન અનેક જગ્યાઓથી હથિયાર મળી આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગેંગસ્ટરોની પૂછપરછ દરમિયાન ઘણા વધુ ગેંગસ્ટરના નામ સામે આવ્યા હતા. ગેંગસ્ટરોનાં અન્ય દેશોમાં સપંર્ક હોવાનું પણ સામે આવ્યું હતું. જે બાદ એક જ સમયે એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 


અલગ અલગ જગ્યાઓ પર એનઆઈએની તપાસ 

થોડા સમય પહેલા શનિવારે એનઆઈએ દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના રાજ્ય પદાધિકારીઓનાં ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. રાજસ્થાનના જયપુર, કોટા, સવાઈ માધોપુર સહિત અનેક સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા હતા. હરિયાણાના નારનૌલમાં એનઆઈએના ગૈંગસ્ટર સુરેંદર ઉર્ફે ચીકુના ઠેકાણાઓ પર રેડ પાડવામાં આવી હતી. મોહનપુર સ્થિત તેમના સંબંધીના ઘરે રેડ પાડવામાં આવી હતી. તે સિવાય ઉત્તરપ્રદેશના પીલીભીત અને પ્રતાપગઢમાં પણ એનઆઈએએ કાર્યવાહી કરી હતી. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં તપાસ માટે એનઆઈએની ટીમ પહોંચી હતી.       







ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.