અમેરિકાના અલબામામાં ચક્રવાતને કારણે નવ લોકોના મોત, ઘરોને થયું છે નુકસાન


  • Published By :
  • Published Date : 2023-01-14 16:14:29

ચક્રવાતને કારણે અમેરિકામાં પરિસ્થિતિ વણસી રહી છે. ચક્રવાતે અલબામા રાજ્યમાં ભારે નુકસાન પહોંચાડયું છે. ચક્રવાતને કારણે અનેક લોકોના મોત થઈ ગયા છે. જેનો આંકડો હજી સુધી સામે નથી આવ્યો. રાહતકાર્ય ચાલી રહ્યું છે. ચક્રવાતને કારણે જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ ગયું છે. 

यह तस्वीर अमेरिका में आए तेज रफ्तार टॉरनेडो की है।

यह तस्वीर एक घर की है जिसकी छत उखड़ गई और अंदर रखा सारा सामान खराब हो गया।


અલબામાના ઓટોગા, ડલાસ, એલમોર અને તલ્લાપોસા ક્ષેત્રમાં આ ચક્રવાતને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. આ ચક્રવાતને કારણે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. આ ક્ષેત્રોમાં બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. મૃતકોને શોધવા રેસ્ક્યુની ટીમ ઘરે ઘરે જઈ તપાસ કરી રહ્યા છે.  આ ચક્રવાતને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ચક્રવાતને કારણે અનેક જગ્યાઓ પર અંધારપટ છવાઈ ગયો હતો. લાઈટો જતી રહેવાને કારણે અંધારામાં રહેવા લોકો મજબૂર બન્યા છે. મળતી માહિતી અનુસાર આ ચક્રવાતમાં 50 જેટલા ઘરોને નુકસાન પહોંચ્યું છે.  




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .