ભાગેડુ નીરવ મોદીની મુશ્કેલી વધી, બ્રિટનની સુપ્રીમ કોર્ટે નીરવ મોદીની અપીલ ફગાવી


  • Published By :
  • Published Date : 2022-12-15 22:00:47

ભારતના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની મુશ્કેલી વધી છે. બ્રિટનની સુપ્રીમ કોર્ટે નિરવ મોદીની ભારતમાં પ્રત્યાર્પણ સામેની છેલ્લી અપીલ ગુરુવારે (15 ડિસેમ્બર)ના રોજ ફગાવી દીધી છે. આ સાથે જ નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ગયા મહિને બ્રિટનની હાઈકોર્ટે પણ ભારતમાં પ્રત્યાર્પણ વિરૂધ્ધ કરવામાં આવેલી તેમની અરજી ફગાવી દીધી હતી.


PNB સાથે 13 હજાર કરોડની છેતરપિંડી


નીરવ મોદી પંજાબ નેશનલ બેંક (PNB) સાથે 13 હજાર કરોડની છેતરપિંડી પ્રકાશમાં આવ્યા પછી નીરવ મોદી 2018માં ભારતથી ભાગી ગયો હતો. છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપમાં ભારતમાં ટ્રાયલનો સામનો ન કરવા ઇચ્છતા નીરવ મોદીએ અપીલ કરી હતી જેની સામે લંડનની હાઇકોર્ટે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં તેના પ્રત્યાર્પણના આદેશ સામે અપીલ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે. આરોપીના વકીલે દલીલ કરી હતી કે જો તેને પ્રત્યાર્પણ કરવામાં આવશે તો આત્મહત્યાનું જોખમ છે. જોકે, નીરવ મોદીની અપીલ હાઈકોર્ટમાં પણ ફગાવી દેવામાં આવી હતી.


લંડનની જેલમાં બંધ છે નીરવ મોદી


લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જાહેર કરાયેલા ચુકાદામાં, લોર્ડ જસ્ટિસ જેરેમી સ્ટુઅર્ટ-સ્મિથ અને જસ્ટિસ રોબર્ટ જેએ જણાવ્યું હતું કે અપીલકર્તા (નીરવ મોદી)ની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની અનુમતિ માટેની અરજી નામંજૂર કરવામાં આવી છે. નીરવ મોદી હાલમાં લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. આ અપીલ ફગાવી દેવાતાં હવે આરોપી પાસે પ્રત્યાર્પણ સામે યુકેમાં કોઈ કાનૂની વિકલ્પ બચ્યો નથી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.