ભાગેડુ નીરવ મોદીની મુશ્કેલી વધી, બ્રિટનની સુપ્રીમ કોર્ટે નીરવ મોદીની અપીલ ફગાવી


  • Published By :
  • Published Date : 2022-12-15 22:00:47

ભારતના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની મુશ્કેલી વધી છે. બ્રિટનની સુપ્રીમ કોર્ટે નિરવ મોદીની ભારતમાં પ્રત્યાર્પણ સામેની છેલ્લી અપીલ ગુરુવારે (15 ડિસેમ્બર)ના રોજ ફગાવી દીધી છે. આ સાથે જ નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ગયા મહિને બ્રિટનની હાઈકોર્ટે પણ ભારતમાં પ્રત્યાર્પણ વિરૂધ્ધ કરવામાં આવેલી તેમની અરજી ફગાવી દીધી હતી.


PNB સાથે 13 હજાર કરોડની છેતરપિંડી


નીરવ મોદી પંજાબ નેશનલ બેંક (PNB) સાથે 13 હજાર કરોડની છેતરપિંડી પ્રકાશમાં આવ્યા પછી નીરવ મોદી 2018માં ભારતથી ભાગી ગયો હતો. છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપમાં ભારતમાં ટ્રાયલનો સામનો ન કરવા ઇચ્છતા નીરવ મોદીએ અપીલ કરી હતી જેની સામે લંડનની હાઇકોર્ટે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં તેના પ્રત્યાર્પણના આદેશ સામે અપીલ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે. આરોપીના વકીલે દલીલ કરી હતી કે જો તેને પ્રત્યાર્પણ કરવામાં આવશે તો આત્મહત્યાનું જોખમ છે. જોકે, નીરવ મોદીની અપીલ હાઈકોર્ટમાં પણ ફગાવી દેવામાં આવી હતી.


લંડનની જેલમાં બંધ છે નીરવ મોદી


લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જાહેર કરાયેલા ચુકાદામાં, લોર્ડ જસ્ટિસ જેરેમી સ્ટુઅર્ટ-સ્મિથ અને જસ્ટિસ રોબર્ટ જેએ જણાવ્યું હતું કે અપીલકર્તા (નીરવ મોદી)ની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની અનુમતિ માટેની અરજી નામંજૂર કરવામાં આવી છે. નીરવ મોદી હાલમાં લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. આ અપીલ ફગાવી દેવાતાં હવે આરોપી પાસે પ્રત્યાર્પણ સામે યુકેમાં કોઈ કાનૂની વિકલ્પ બચ્યો નથી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.