ભાગેડુ નીરવ મોદીની મુશ્કેલી વધી, બ્રિટનની સુપ્રીમ કોર્ટે નીરવ મોદીની અપીલ ફગાવી


  • Published By :
  • Published Date : 2022-12-15 22:00:47

ભારતના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની મુશ્કેલી વધી છે. બ્રિટનની સુપ્રીમ કોર્ટે નિરવ મોદીની ભારતમાં પ્રત્યાર્પણ સામેની છેલ્લી અપીલ ગુરુવારે (15 ડિસેમ્બર)ના રોજ ફગાવી દીધી છે. આ સાથે જ નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ગયા મહિને બ્રિટનની હાઈકોર્ટે પણ ભારતમાં પ્રત્યાર્પણ વિરૂધ્ધ કરવામાં આવેલી તેમની અરજી ફગાવી દીધી હતી.


PNB સાથે 13 હજાર કરોડની છેતરપિંડી


નીરવ મોદી પંજાબ નેશનલ બેંક (PNB) સાથે 13 હજાર કરોડની છેતરપિંડી પ્રકાશમાં આવ્યા પછી નીરવ મોદી 2018માં ભારતથી ભાગી ગયો હતો. છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપમાં ભારતમાં ટ્રાયલનો સામનો ન કરવા ઇચ્છતા નીરવ મોદીએ અપીલ કરી હતી જેની સામે લંડનની હાઇકોર્ટે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં તેના પ્રત્યાર્પણના આદેશ સામે અપીલ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે. આરોપીના વકીલે દલીલ કરી હતી કે જો તેને પ્રત્યાર્પણ કરવામાં આવશે તો આત્મહત્યાનું જોખમ છે. જોકે, નીરવ મોદીની અપીલ હાઈકોર્ટમાં પણ ફગાવી દેવામાં આવી હતી.


લંડનની જેલમાં બંધ છે નીરવ મોદી


લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જાહેર કરાયેલા ચુકાદામાં, લોર્ડ જસ્ટિસ જેરેમી સ્ટુઅર્ટ-સ્મિથ અને જસ્ટિસ રોબર્ટ જેએ જણાવ્યું હતું કે અપીલકર્તા (નીરવ મોદી)ની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની અનુમતિ માટેની અરજી નામંજૂર કરવામાં આવી છે. નીરવ મોદી હાલમાં લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. આ અપીલ ફગાવી દેવાતાં હવે આરોપી પાસે પ્રત્યાર્પણ સામે યુકેમાં કોઈ કાનૂની વિકલ્પ બચ્યો નથી.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.