નબળા પડતા રૂપિયાને લઈ લોકસભામાં ઉઠેલા સવાલ પર નિર્મલા સીતારમણે આપ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2022-12-12 16:18:53

સંસદમાં શિયાળું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે લોકસભામાં પ્રશ્નોત્તરી કાળમાં જ્યારે નબળા પડતા અર્થતંત્રને લઈ પ્રશ્ન પૂછવામા આવ્યો હતો.આ પ્રશ્નો જવાબ આપતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા દુનિયાનીમાં સૌથી ઝડપતી વધતી અર્થવ્યવસ્થા છે. અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે પરંતુ આનાથી વિપક્ષને તકલીફ છે.


ભારતના વિકાસ પર ગર્વ લેવો જોઈએ - નિર્મલા સીતારમણ

સંસદમાં કોંગ્રેસના સાંસદ અનુમુલા રેવંત રેડ્ડીએ નબળી પડી રહેલી કરન્સીને લઈ પ્રશ્ન પૂછ્યો હતો. દિન-પ્રતિદિન ભારતીય મુદ્રા નબળી પડી રહી છે. જ્યારે અમેરિકી ડોલર પ્રથમ વખત 83 પર પહોંચ્યો છે. આ પ્રશ્નના જવાબમાં નિર્મલા સીતારમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. જવાબમાં સીતારમણે કહ્યું કે દુખની વાત એ છે કે સંસદમાં અનેક સાસંદોને વધતી અર્થવ્યવસ્થાને કારણે દુખી છે. ભારતના વિકાસ પર ગર્વ લેવો જોઈએ, પરંતુ અનેક લોકો આને મજાક સમજે છે. ભારતીય કરન્સી મજબૂત થઈ રહી છે.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.