નબળા પડતા રૂપિયાને લઈ લોકસભામાં ઉઠેલા સવાલ પર નિર્મલા સીતારમણે આપ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2022-12-12 16:18:53

સંસદમાં શિયાળું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે લોકસભામાં પ્રશ્નોત્તરી કાળમાં જ્યારે નબળા પડતા અર્થતંત્રને લઈ પ્રશ્ન પૂછવામા આવ્યો હતો.આ પ્રશ્નો જવાબ આપતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા દુનિયાનીમાં સૌથી ઝડપતી વધતી અર્થવ્યવસ્થા છે. અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે પરંતુ આનાથી વિપક્ષને તકલીફ છે.


ભારતના વિકાસ પર ગર્વ લેવો જોઈએ - નિર્મલા સીતારમણ

સંસદમાં કોંગ્રેસના સાંસદ અનુમુલા રેવંત રેડ્ડીએ નબળી પડી રહેલી કરન્સીને લઈ પ્રશ્ન પૂછ્યો હતો. દિન-પ્રતિદિન ભારતીય મુદ્રા નબળી પડી રહી છે. જ્યારે અમેરિકી ડોલર પ્રથમ વખત 83 પર પહોંચ્યો છે. આ પ્રશ્નના જવાબમાં નિર્મલા સીતારમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. જવાબમાં સીતારમણે કહ્યું કે દુખની વાત એ છે કે સંસદમાં અનેક સાસંદોને વધતી અર્થવ્યવસ્થાને કારણે દુખી છે. ભારતના વિકાસ પર ગર્વ લેવો જોઈએ, પરંતુ અનેક લોકો આને મજાક સમજે છે. ભારતીય કરન્સી મજબૂત થઈ રહી છે.  




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.