નબળા પડતા રૂપિયાને લઈ લોકસભામાં ઉઠેલા સવાલ પર નિર્મલા સીતારમણે આપ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2022-12-12 16:18:53

સંસદમાં શિયાળું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે લોકસભામાં પ્રશ્નોત્તરી કાળમાં જ્યારે નબળા પડતા અર્થતંત્રને લઈ પ્રશ્ન પૂછવામા આવ્યો હતો.આ પ્રશ્નો જવાબ આપતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા દુનિયાનીમાં સૌથી ઝડપતી વધતી અર્થવ્યવસ્થા છે. અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે પરંતુ આનાથી વિપક્ષને તકલીફ છે.


ભારતના વિકાસ પર ગર્વ લેવો જોઈએ - નિર્મલા સીતારમણ

સંસદમાં કોંગ્રેસના સાંસદ અનુમુલા રેવંત રેડ્ડીએ નબળી પડી રહેલી કરન્સીને લઈ પ્રશ્ન પૂછ્યો હતો. દિન-પ્રતિદિન ભારતીય મુદ્રા નબળી પડી રહી છે. જ્યારે અમેરિકી ડોલર પ્રથમ વખત 83 પર પહોંચ્યો છે. આ પ્રશ્નના જવાબમાં નિર્મલા સીતારમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. જવાબમાં સીતારમણે કહ્યું કે દુખની વાત એ છે કે સંસદમાં અનેક સાસંદોને વધતી અર્થવ્યવસ્થાને કારણે દુખી છે. ભારતના વિકાસ પર ગર્વ લેવો જોઈએ, પરંતુ અનેક લોકો આને મજાક સમજે છે. ભારતીય કરન્સી મજબૂત થઈ રહી છે.  




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.