નબળા પડતા રૂપિયાને લઈ લોકસભામાં ઉઠેલા સવાલ પર નિર્મલા સીતારમણે આપ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2022-12-12 16:18:53

સંસદમાં શિયાળું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે લોકસભામાં પ્રશ્નોત્તરી કાળમાં જ્યારે નબળા પડતા અર્થતંત્રને લઈ પ્રશ્ન પૂછવામા આવ્યો હતો.આ પ્રશ્નો જવાબ આપતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા દુનિયાનીમાં સૌથી ઝડપતી વધતી અર્થવ્યવસ્થા છે. અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે પરંતુ આનાથી વિપક્ષને તકલીફ છે.


ભારતના વિકાસ પર ગર્વ લેવો જોઈએ - નિર્મલા સીતારમણ

સંસદમાં કોંગ્રેસના સાંસદ અનુમુલા રેવંત રેડ્ડીએ નબળી પડી રહેલી કરન્સીને લઈ પ્રશ્ન પૂછ્યો હતો. દિન-પ્રતિદિન ભારતીય મુદ્રા નબળી પડી રહી છે. જ્યારે અમેરિકી ડોલર પ્રથમ વખત 83 પર પહોંચ્યો છે. આ પ્રશ્નના જવાબમાં નિર્મલા સીતારમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. જવાબમાં સીતારમણે કહ્યું કે દુખની વાત એ છે કે સંસદમાં અનેક સાસંદોને વધતી અર્થવ્યવસ્થાને કારણે દુખી છે. ભારતના વિકાસ પર ગર્વ લેવો જોઈએ, પરંતુ અનેક લોકો આને મજાક સમજે છે. ભારતીય કરન્સી મજબૂત થઈ રહી છે.  




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.