નિતિન ગડકરીની BJP સંસદીય બોર્ડમાંથી હકાલપટ્ટીની ઈનસાઈડ સ્ટોરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 16:36:39

રાજકારણમાં ક્યારે શું ઉલટફેર થાય તે કહીં શકાય નહીં અને એટલા માટે જ રાજનિતીને સંભાવનાઓનો ખેલ કહેવામાં આવે છે, જેમ કે ભાજપે એક મહત્વનો નિર્ણય કરતા કેન્દ્રીય સંસદીય બોર્ડમાંથી નિતીન ગડકરીને હટાવીને સૌ કોઈને ચોંકાવી દીધા છે, ગડકરીની CEC માંથી હકાલપટ્ટી થઈ ત્યારથી ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.


મોદી-શાહ સાથે અણબનાવ


નિતીન ગડકરીની ગણના મ્હોંફાટ નેતાઓમાં થાય છે, અને તે ઘણી વખત પાર્ટીની લક્ષ્મણ રેખા ઓળંગીને પણ નિવેદનો આપતા રહે છે, તેમના મનમાં જે આવે તે સ્પષ્ટ અને નિર્ભિકપણે કહીં દેવા માટે જાણીતા નિતીન ગડકરી અનેક વખત મોદી સરકારની કાર્ય પ્રણાલીની પણ ટીકા કરી ચુક્યા છે. ગડકરી અને અમિત શાહ વચ્ચે છત્રીસનો આંકડો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહે ઉંમરનું બહાનું કાઢી ગડકરીને કદ પ્રમાણે વેતરી નાંખ્યા. જો કે ભાજપના આ નિર્ણયથી RSS પણ વાકેફ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  


કોણ છે નિતિન ગડકરી?


મહારાષ્ટ્રના નાગપુરમાં  27 મે, 1957ના દિવસે મધ્યમવર્ગીય બ્રાહ્મણ પરિવારમાં નિતિન ગડકરીનો જન્મ થયો હતો, 2009માં ભાજપ પ્રમુખ બન્યા ત્યારે નિતિન ગડકરી સૌ પ્રથમ નેશનલ મીડિયામાં ચમક્યા હતા. વર્ષ 2014માં તે નાગપુરમાંથી ચુંટણી લડ્યા અને સાંસદ બન્યા હત્યા, કુશળ વહીવટકર્તા મનાતા નિતિન ગડકરી 27 મે, 2014 - 25 મે, 2019 સુધી માર્ગ, પરિવહન,રાજમાર્ગ ને શિપિંગ મિનિસ્ટર રહ્યા હતા. મે, 2019માં 17મી લોકસભા માટે તે ફરીથી નાગપુરમાંથી ચુંટાયા હતા. મોદી 2.0માં બીજી વખત માર્ગ, પરિવહન અને રાજમાર્ગ પ્રધાન બનેલા નિતિન ગડકરીને નરેન્દ્ર મોદી સરકારમાં વિકાસ પુરૂષ કહેવામાં આવે છે, તે જ્યારે 2014માં માર્ગ અને પરિવહન મંત્રી બન્યા ત્યારે દેશમાં હાઈ-વે નિર્ણાણની ગતિ માત્ર બે કિલોમીટર પ્રતિ દિવસની હતી, જે હાલ 30 કિલો મીટર પ્રતિદિનની છે, ગડકરીનું હાઈવે નિર્ણાણનું લક્ષ્યાંક 68 કિલોમીટર પ્રતિદિન દિન સુધી પહોંચાડવાનું છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.