નિતિન ગડકરીની BJP સંસદીય બોર્ડમાંથી હકાલપટ્ટીની ઈનસાઈડ સ્ટોરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 16:36:39

રાજકારણમાં ક્યારે શું ઉલટફેર થાય તે કહીં શકાય નહીં અને એટલા માટે જ રાજનિતીને સંભાવનાઓનો ખેલ કહેવામાં આવે છે, જેમ કે ભાજપે એક મહત્વનો નિર્ણય કરતા કેન્દ્રીય સંસદીય બોર્ડમાંથી નિતીન ગડકરીને હટાવીને સૌ કોઈને ચોંકાવી દીધા છે, ગડકરીની CEC માંથી હકાલપટ્ટી થઈ ત્યારથી ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.


મોદી-શાહ સાથે અણબનાવ


નિતીન ગડકરીની ગણના મ્હોંફાટ નેતાઓમાં થાય છે, અને તે ઘણી વખત પાર્ટીની લક્ષ્મણ રેખા ઓળંગીને પણ નિવેદનો આપતા રહે છે, તેમના મનમાં જે આવે તે સ્પષ્ટ અને નિર્ભિકપણે કહીં દેવા માટે જાણીતા નિતીન ગડકરી અનેક વખત મોદી સરકારની કાર્ય પ્રણાલીની પણ ટીકા કરી ચુક્યા છે. ગડકરી અને અમિત શાહ વચ્ચે છત્રીસનો આંકડો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહે ઉંમરનું બહાનું કાઢી ગડકરીને કદ પ્રમાણે વેતરી નાંખ્યા. જો કે ભાજપના આ નિર્ણયથી RSS પણ વાકેફ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  


કોણ છે નિતિન ગડકરી?


મહારાષ્ટ્રના નાગપુરમાં  27 મે, 1957ના દિવસે મધ્યમવર્ગીય બ્રાહ્મણ પરિવારમાં નિતિન ગડકરીનો જન્મ થયો હતો, 2009માં ભાજપ પ્રમુખ બન્યા ત્યારે નિતિન ગડકરી સૌ પ્રથમ નેશનલ મીડિયામાં ચમક્યા હતા. વર્ષ 2014માં તે નાગપુરમાંથી ચુંટણી લડ્યા અને સાંસદ બન્યા હત્યા, કુશળ વહીવટકર્તા મનાતા નિતિન ગડકરી 27 મે, 2014 - 25 મે, 2019 સુધી માર્ગ, પરિવહન,રાજમાર્ગ ને શિપિંગ મિનિસ્ટર રહ્યા હતા. મે, 2019માં 17મી લોકસભા માટે તે ફરીથી નાગપુરમાંથી ચુંટાયા હતા. મોદી 2.0માં બીજી વખત માર્ગ, પરિવહન અને રાજમાર્ગ પ્રધાન બનેલા નિતિન ગડકરીને નરેન્દ્ર મોદી સરકારમાં વિકાસ પુરૂષ કહેવામાં આવે છે, તે જ્યારે 2014માં માર્ગ અને પરિવહન મંત્રી બન્યા ત્યારે દેશમાં હાઈ-વે નિર્ણાણની ગતિ માત્ર બે કિલોમીટર પ્રતિ દિવસની હતી, જે હાલ 30 કિલો મીટર પ્રતિદિનની છે, ગડકરીનું હાઈવે નિર્ણાણનું લક્ષ્યાંક 68 કિલોમીટર પ્રતિદિન દિન સુધી પહોંચાડવાનું છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .