નિતિન ગડકરીની BJP સંસદીય બોર્ડમાંથી હકાલપટ્ટીની ઈનસાઈડ સ્ટોરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-25 16:36:39

રાજકારણમાં ક્યારે શું ઉલટફેર થાય તે કહીં શકાય નહીં અને એટલા માટે જ રાજનિતીને સંભાવનાઓનો ખેલ કહેવામાં આવે છે, જેમ કે ભાજપે એક મહત્વનો નિર્ણય કરતા કેન્દ્રીય સંસદીય બોર્ડમાંથી નિતીન ગડકરીને હટાવીને સૌ કોઈને ચોંકાવી દીધા છે, ગડકરીની CEC માંથી હકાલપટ્ટી થઈ ત્યારથી ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.


મોદી-શાહ સાથે અણબનાવ


નિતીન ગડકરીની ગણના મ્હોંફાટ નેતાઓમાં થાય છે, અને તે ઘણી વખત પાર્ટીની લક્ષ્મણ રેખા ઓળંગીને પણ નિવેદનો આપતા રહે છે, તેમના મનમાં જે આવે તે સ્પષ્ટ અને નિર્ભિકપણે કહીં દેવા માટે જાણીતા નિતીન ગડકરી અનેક વખત મોદી સરકારની કાર્ય પ્રણાલીની પણ ટીકા કરી ચુક્યા છે. ગડકરી અને અમિત શાહ વચ્ચે છત્રીસનો આંકડો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહે ઉંમરનું બહાનું કાઢી ગડકરીને કદ પ્રમાણે વેતરી નાંખ્યા. જો કે ભાજપના આ નિર્ણયથી RSS પણ વાકેફ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  


કોણ છે નિતિન ગડકરી?


મહારાષ્ટ્રના નાગપુરમાં  27 મે, 1957ના દિવસે મધ્યમવર્ગીય બ્રાહ્મણ પરિવારમાં નિતિન ગડકરીનો જન્મ થયો હતો, 2009માં ભાજપ પ્રમુખ બન્યા ત્યારે નિતિન ગડકરી સૌ પ્રથમ નેશનલ મીડિયામાં ચમક્યા હતા. વર્ષ 2014માં તે નાગપુરમાંથી ચુંટણી લડ્યા અને સાંસદ બન્યા હત્યા, કુશળ વહીવટકર્તા મનાતા નિતિન ગડકરી 27 મે, 2014 - 25 મે, 2019 સુધી માર્ગ, પરિવહન,રાજમાર્ગ ને શિપિંગ મિનિસ્ટર રહ્યા હતા. મે, 2019માં 17મી લોકસભા માટે તે ફરીથી નાગપુરમાંથી ચુંટાયા હતા. મોદી 2.0માં બીજી વખત માર્ગ, પરિવહન અને રાજમાર્ગ પ્રધાન બનેલા નિતિન ગડકરીને નરેન્દ્ર મોદી સરકારમાં વિકાસ પુરૂષ કહેવામાં આવે છે, તે જ્યારે 2014માં માર્ગ અને પરિવહન મંત્રી બન્યા ત્યારે દેશમાં હાઈ-વે નિર્ણાણની ગતિ માત્ર બે કિલોમીટર પ્રતિ દિવસની હતી, જે હાલ 30 કિલો મીટર પ્રતિદિનની છે, ગડકરીનું હાઈવે નિર્ણાણનું લક્ષ્યાંક 68 કિલોમીટર પ્રતિદિન દિન સુધી પહોંચાડવાનું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.