મંત્રી નીતિન ગડકરીએ પૂર્વ PM મનમોહન સિંહના આર્થિક સુધારાની પ્રશંસા કરી


  • Published By :
  • Published Date : 2022-11-09 18:55:45

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની આર્થિક સુધારા દ્વારા દેશને નવી દિશા આપવા બદલ પ્રશંસા કરતા કહ્યું કે દેશ તેમનો ઋણી છે. અહીં આયોજિત 'TIOL એવોર્ડ 2022' સમારોહને સંબોધતા ગડકરીએ કહ્યું કે વર્ષ 1991માં દેશને આર્થિક સુધારા મારફતે નવી દિશા પ્રદાન કરવા માટે ભારત હંમેશા મનમોહનસિંહનું ઋણી રહેવાનું નિવેદન કરતા ગડકરીએ જણાવ્યું હતું કે મનમોહનસિંહે આર્થિક સુધારા શરુ કરીને દેશને નવી દિશા આપી હતી. ઉદાર અર્થતંત્ર થકી જ ભારતીય અર્થ વ્યવસ્થાને નવી દિશા મળી હતી અને તે માટે મનમોહનસિંહના ઋણી જ રહેવું પડે તેમ છે. તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાએ ભારતને એક નવી દિશા બતાવી.


પૂર્વ PM મનમોહનસિંહના પ્રદાનને યાદ કર્યું


કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ એમ કહ્યું છે કે ભારતમાં આર્થિક સુધારા-ઉદારીકરણનો શ્રેય કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને જ જાય છે. મનમોહનસિંહની નીતિઓને કારણે 1990ના દાયકામાં મહારાષ્ટ્રને રસ્તા બનાવવા માટે મળેલા ખર્ચથી નાણાનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો. તેમના આર્થિક સુધારાને કારણે જ મહારાષ્ટ્રમાં મંત્રી તરીકે પોતે માર્ગ પ્રોજેક્ટો માટે નાણા એકત્રિત કરી શક્યા હતા. ગડકરીએ કહ્યું કે ભારતને એક ઉદાર આર્થિક નીતિની જરુર છે જેમાં ગરીબોને પણ લાભ પહોંચાવવાની ઇચ્છા શક્તિ હોય. ઉદારીકરણના લાભ ખેડુતો તથા ગરીબો માટે હોય છે. આર્થિક સુધારાની નીતિ મારફત દેશનો વિકાસ કરવામાં ચીન પણ એક મોટુ ઉદાહરણ હોવાનું કહયું હતું.


નીતિન ગડકરીના નિવેદનથી વિવાદની આશંકા


અત્રે ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદી સહિતના ભાજપ નેતાઓના અવારનવાર ભુતકાળની કોંગ્રેસી સરકારોએ સાત દાયકાના શાસનમાં કોઇ વિકાસ ન કર્યો હોવાના આરોપ લગાવી રહ્યા છે. નીતિન ગડકરીએ દેશમાં ઉદાર આર્થિક નિતીની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું કે ઉદાર આર્થિક નિતીથી જ દેશના ગરીબોને લાભ પહોંચાડી શકાશે. ભારતના સંદર્ભમાં તેમણે કહ્યું કે દેશના આર્થિક વિકાસને ગતિ આપવા માટે દેશને વધુ મુડીરોકાણની જરૂર પડશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે