મંત્રી નીતિન ગડકરીએ પૂર્વ PM મનમોહન સિંહના આર્થિક સુધારાની પ્રશંસા કરી


  • Published By :
  • Published Date : 2022-11-09 18:55:45

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની આર્થિક સુધારા દ્વારા દેશને નવી દિશા આપવા બદલ પ્રશંસા કરતા કહ્યું કે દેશ તેમનો ઋણી છે. અહીં આયોજિત 'TIOL એવોર્ડ 2022' સમારોહને સંબોધતા ગડકરીએ કહ્યું કે વર્ષ 1991માં દેશને આર્થિક સુધારા મારફતે નવી દિશા પ્રદાન કરવા માટે ભારત હંમેશા મનમોહનસિંહનું ઋણી રહેવાનું નિવેદન કરતા ગડકરીએ જણાવ્યું હતું કે મનમોહનસિંહે આર્થિક સુધારા શરુ કરીને દેશને નવી દિશા આપી હતી. ઉદાર અર્થતંત્ર થકી જ ભારતીય અર્થ વ્યવસ્થાને નવી દિશા મળી હતી અને તે માટે મનમોહનસિંહના ઋણી જ રહેવું પડે તેમ છે. તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાએ ભારતને એક નવી દિશા બતાવી.


પૂર્વ PM મનમોહનસિંહના પ્રદાનને યાદ કર્યું


કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ એમ કહ્યું છે કે ભારતમાં આર્થિક સુધારા-ઉદારીકરણનો શ્રેય કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને જ જાય છે. મનમોહનસિંહની નીતિઓને કારણે 1990ના દાયકામાં મહારાષ્ટ્રને રસ્તા બનાવવા માટે મળેલા ખર્ચથી નાણાનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો. તેમના આર્થિક સુધારાને કારણે જ મહારાષ્ટ્રમાં મંત્રી તરીકે પોતે માર્ગ પ્રોજેક્ટો માટે નાણા એકત્રિત કરી શક્યા હતા. ગડકરીએ કહ્યું કે ભારતને એક ઉદાર આર્થિક નીતિની જરુર છે જેમાં ગરીબોને પણ લાભ પહોંચાવવાની ઇચ્છા શક્તિ હોય. ઉદારીકરણના લાભ ખેડુતો તથા ગરીબો માટે હોય છે. આર્થિક સુધારાની નીતિ મારફત દેશનો વિકાસ કરવામાં ચીન પણ એક મોટુ ઉદાહરણ હોવાનું કહયું હતું.


નીતિન ગડકરીના નિવેદનથી વિવાદની આશંકા


અત્રે ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદી સહિતના ભાજપ નેતાઓના અવારનવાર ભુતકાળની કોંગ્રેસી સરકારોએ સાત દાયકાના શાસનમાં કોઇ વિકાસ ન કર્યો હોવાના આરોપ લગાવી રહ્યા છે. નીતિન ગડકરીએ દેશમાં ઉદાર આર્થિક નિતીની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું કે ઉદાર આર્થિક નિતીથી જ દેશના ગરીબોને લાભ પહોંચાડી શકાશે. ભારતના સંદર્ભમાં તેમણે કહ્યું કે દેશના આર્થિક વિકાસને ગતિ આપવા માટે દેશને વધુ મુડીરોકાણની જરૂર પડશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.