મંત્રી નીતિન ગડકરીએ પૂર્વ PM મનમોહન સિંહના આર્થિક સુધારાની પ્રશંસા કરી


  • Published By :
  • Published Date : 2022-11-09 18:55:45

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની આર્થિક સુધારા દ્વારા દેશને નવી દિશા આપવા બદલ પ્રશંસા કરતા કહ્યું કે દેશ તેમનો ઋણી છે. અહીં આયોજિત 'TIOL એવોર્ડ 2022' સમારોહને સંબોધતા ગડકરીએ કહ્યું કે વર્ષ 1991માં દેશને આર્થિક સુધારા મારફતે નવી દિશા પ્રદાન કરવા માટે ભારત હંમેશા મનમોહનસિંહનું ઋણી રહેવાનું નિવેદન કરતા ગડકરીએ જણાવ્યું હતું કે મનમોહનસિંહે આર્થિક સુધારા શરુ કરીને દેશને નવી દિશા આપી હતી. ઉદાર અર્થતંત્ર થકી જ ભારતીય અર્થ વ્યવસ્થાને નવી દિશા મળી હતી અને તે માટે મનમોહનસિંહના ઋણી જ રહેવું પડે તેમ છે. તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાએ ભારતને એક નવી દિશા બતાવી.


પૂર્વ PM મનમોહનસિંહના પ્રદાનને યાદ કર્યું


કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ એમ કહ્યું છે કે ભારતમાં આર્થિક સુધારા-ઉદારીકરણનો શ્રેય કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને જ જાય છે. મનમોહનસિંહની નીતિઓને કારણે 1990ના દાયકામાં મહારાષ્ટ્રને રસ્તા બનાવવા માટે મળેલા ખર્ચથી નાણાનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો. તેમના આર્થિક સુધારાને કારણે જ મહારાષ્ટ્રમાં મંત્રી તરીકે પોતે માર્ગ પ્રોજેક્ટો માટે નાણા એકત્રિત કરી શક્યા હતા. ગડકરીએ કહ્યું કે ભારતને એક ઉદાર આર્થિક નીતિની જરુર છે જેમાં ગરીબોને પણ લાભ પહોંચાવવાની ઇચ્છા શક્તિ હોય. ઉદારીકરણના લાભ ખેડુતો તથા ગરીબો માટે હોય છે. આર્થિક સુધારાની નીતિ મારફત દેશનો વિકાસ કરવામાં ચીન પણ એક મોટુ ઉદાહરણ હોવાનું કહયું હતું.


નીતિન ગડકરીના નિવેદનથી વિવાદની આશંકા


અત્રે ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદી સહિતના ભાજપ નેતાઓના અવારનવાર ભુતકાળની કોંગ્રેસી સરકારોએ સાત દાયકાના શાસનમાં કોઇ વિકાસ ન કર્યો હોવાના આરોપ લગાવી રહ્યા છે. નીતિન ગડકરીએ દેશમાં ઉદાર આર્થિક નિતીની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું કે ઉદાર આર્થિક નિતીથી જ દેશના ગરીબોને લાભ પહોંચાડી શકાશે. ભારતના સંદર્ભમાં તેમણે કહ્યું કે દેશના આર્થિક વિકાસને ગતિ આપવા માટે દેશને વધુ મુડીરોકાણની જરૂર પડશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.