નીતિશ કુમારે કેન્દ્રના વટહુકમનો કર્યો વિરોધ, CM કેજરીવાલના સમર્થનમાં કહીં આ વાત


  • Published By :
  • Published Date : 2023-05-21 18:23:21

દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી સત્તાની ખેંચતાણ વચ્ચે આજે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દિલ્હી પહોંચ્યા છે. નીતીશ કુમાર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે આજે દિલ્હી સ્થિત નિવાસસ્થાનમાં બેઠક યોજાઈ હતી. નીતિશ કુમારની સાથે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, જેડીયુ પ્રમુખ લલન સિંહ અને આરજેડી સાંસદ મનોજ ઝા પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક બાદ નિતીશ કુમારે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.


નિતીશ-તેજસ્વીએ શું કહ્યું?


નિતીશ કુમારે કહ્યું કે એક ચૂંટાયેલી સરકારને આપવામાં આવેલી સત્તા કઈ રીતે છિનવી શકાય? સુપ્રીમ કોર્ટનો નિર્ણય યોગ્ય હતો તેમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા જે કરવાના પ્રયાસો થઈ રહ્યા છે તે વિચિત્ર છે, આ બંધારણની વિરૂધ્ધ છે, અમે અરવિંદ  કેજરીવાલની સાથે ઉભા છિએ. અમે દેશની તમામ પાર્ટીઓને એક સાથે લાવવાના પ્રયાસો કરી રહ્યા છિએ. તે જ પ્રકારે તેજસ્વી યાદવે પણ કેજરીવાલને સમર્થન આપતા કહ્યું કે અમે કેજરીવાલજીના સમર્થનમાં આવ્યા છિએ. દિલ્હીમાં જો ભાજપની સરકાર હોત તો શું ઉપરાજ્ય પાલમાં  આ પ્રકારનું કામ કરવાની હિંમત હોત?

 

વટહુકમના વિરોધમાં એક થાય વિપક્ષ-કેજરીવાલ


બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશની તરફેણમાં નકારીને વટહુકમ લાવવાના મુદ્દે તેઓ દિલ્હીની જનતાની સાથે છે.  જો કેન્દ્ર આ વટહુકમને બિલના રૂપમાં લાવે છે, તો તમામ બિન-ભાજપ પક્ષો એકસાથે આવે તો તેને રાજ્યસભામાં હરાવી શકાય છે. જો આમ થશે તો તે સંદેશ જઈ શકે છે કે વર્ષ 2024માં ભાજપ સરકારને બહાર ફેંકી શકાય છે?



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.