નીતિશ કુમારે કેન્દ્રના વટહુકમનો કર્યો વિરોધ, CM કેજરીવાલના સમર્થનમાં કહીં આ વાત


  • Published By :
  • Published Date : 2023-05-21 18:23:21

દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી સત્તાની ખેંચતાણ વચ્ચે આજે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દિલ્હી પહોંચ્યા છે. નીતીશ કુમાર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે આજે દિલ્હી સ્થિત નિવાસસ્થાનમાં બેઠક યોજાઈ હતી. નીતિશ કુમારની સાથે બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, જેડીયુ પ્રમુખ લલન સિંહ અને આરજેડી સાંસદ મનોજ ઝા પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક બાદ નિતીશ કુમારે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.


નિતીશ-તેજસ્વીએ શું કહ્યું?


નિતીશ કુમારે કહ્યું કે એક ચૂંટાયેલી સરકારને આપવામાં આવેલી સત્તા કઈ રીતે છિનવી શકાય? સુપ્રીમ કોર્ટનો નિર્ણય યોગ્ય હતો તેમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા જે કરવાના પ્રયાસો થઈ રહ્યા છે તે વિચિત્ર છે, આ બંધારણની વિરૂધ્ધ છે, અમે અરવિંદ  કેજરીવાલની સાથે ઉભા છિએ. અમે દેશની તમામ પાર્ટીઓને એક સાથે લાવવાના પ્રયાસો કરી રહ્યા છિએ. તે જ પ્રકારે તેજસ્વી યાદવે પણ કેજરીવાલને સમર્થન આપતા કહ્યું કે અમે કેજરીવાલજીના સમર્થનમાં આવ્યા છિએ. દિલ્હીમાં જો ભાજપની સરકાર હોત તો શું ઉપરાજ્ય પાલમાં  આ પ્રકારનું કામ કરવાની હિંમત હોત?

 

વટહુકમના વિરોધમાં એક થાય વિપક્ષ-કેજરીવાલ


બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશની તરફેણમાં નકારીને વટહુકમ લાવવાના મુદ્દે તેઓ દિલ્હીની જનતાની સાથે છે.  જો કેન્દ્ર આ વટહુકમને બિલના રૂપમાં લાવે છે, તો તમામ બિન-ભાજપ પક્ષો એકસાથે આવે તો તેને રાજ્યસભામાં હરાવી શકાય છે. જો આમ થશે તો તે સંદેશ જઈ શકે છે કે વર્ષ 2024માં ભાજપ સરકારને બહાર ફેંકી શકાય છે?



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.