કોઈ બીમારીએ નહીં પણ ગર્મી એ લીધા યુરોપના અનેક લોકોના જીવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-08 13:42:40


WHO અનુસાર, 2022માં યુરોપમાં ગરમ ​​હવામાનને કારણે ઓછામાં ઓછા 15,000 લોકોના મોત થયા છે. સ્પેન અને જર્મની આમાં સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ છે.


WHOના પ્રાદેશિક નિર્દેશક હંસ ક્લુગેએ એક નિવેદન આપતા કહ્યું કે " અત્યાર સુધી કેટલાક દેશના ડેટાના આધારે અંદાજો 15 હજાર લોકોનો આવ્યો છે પરંતુ મૃત્યુઆંકમાં વધુ વધારો થવાની આશંકા વ્યક્ત કરી છે. તે કહે છે કે ઘણા મૃત્યુની માહિતી રેકોર્ડમાં પણ નોંધવામાં આવી નથી.અત્યારે સ્પેનમાં લગભગ 4 હજાર લોકો મૃત્યુ પામ્યા, પોર્ટુગલમાં 1 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા, યુનાઇટેડ કિંગડમમાં 3,200 થી વધુ લોકો અને જર્મનીમાં ઉનાળાના 3 મહિનામાં લગભગ 4,500 લોકો મૃત્યુ પામ્યા છે .  


પહેલીવાર તાપમાન આટલું વધ્યું !!


જૂન અને જુલાઇ વચ્ચે હિટવેવથી બ્રિટનમાં સૌથી વધુ તાપમાન થયું હતું  બ્રિટનમાં પ્રથમ વખત તાપમાન 40 °C (104 °F) સુધી જોવા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન યુરોપમાં લગભગ 24,000 વધારાના મૃત્યુ જોવા મળ્યા હતા. જુન-ઓગસ્ટના ત્રણ મહિના યુરોપમાં રેકોર્ડ શરૂ થયા પછી સૌથી ગરમ હતા અને અપવાદરૂપે ઊંચા તાપમાને મધ્ય યુગ પછી ખંડનો સૌથી ખરાબ દુષ્કાળ જાહેર કર્યો હતો.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .