કોઈ બીમારીએ નહીં પણ ગર્મી એ લીધા યુરોપના અનેક લોકોના જીવ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-08 13:42:40


WHO અનુસાર, 2022માં યુરોપમાં ગરમ ​​હવામાનને કારણે ઓછામાં ઓછા 15,000 લોકોના મોત થયા છે. સ્પેન અને જર્મની આમાં સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ છે.


WHOના પ્રાદેશિક નિર્દેશક હંસ ક્લુગેએ એક નિવેદન આપતા કહ્યું કે " અત્યાર સુધી કેટલાક દેશના ડેટાના આધારે અંદાજો 15 હજાર લોકોનો આવ્યો છે પરંતુ મૃત્યુઆંકમાં વધુ વધારો થવાની આશંકા વ્યક્ત કરી છે. તે કહે છે કે ઘણા મૃત્યુની માહિતી રેકોર્ડમાં પણ નોંધવામાં આવી નથી.અત્યારે સ્પેનમાં લગભગ 4 હજાર લોકો મૃત્યુ પામ્યા, પોર્ટુગલમાં 1 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા, યુનાઇટેડ કિંગડમમાં 3,200 થી વધુ લોકો અને જર્મનીમાં ઉનાળાના 3 મહિનામાં લગભગ 4,500 લોકો મૃત્યુ પામ્યા છે .  


પહેલીવાર તાપમાન આટલું વધ્યું !!


જૂન અને જુલાઇ વચ્ચે હિટવેવથી બ્રિટનમાં સૌથી વધુ તાપમાન થયું હતું  બ્રિટનમાં પ્રથમ વખત તાપમાન 40 °C (104 °F) સુધી જોવા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન યુરોપમાં લગભગ 24,000 વધારાના મૃત્યુ જોવા મળ્યા હતા. જુન-ઓગસ્ટના ત્રણ મહિના યુરોપમાં રેકોર્ડ શરૂ થયા પછી સૌથી ગરમ હતા અને અપવાદરૂપે ઊંચા તાપમાને મધ્ય યુગ પછી ખંડનો સૌથી ખરાબ દુષ્કાળ જાહેર કર્યો હતો.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.