Nobel Prize 2022: ફ્રેન્ચ લેખિકા એની એર્નોક્સે જીત્યો સાહિત્યનો નોબેલ પુરસ્કાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 20:30:42

ફેન્ચ લેખિકા એની એર્નોક્સ (Annie Ernaux)ને સાહિત્યનું 2022 નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. નોબેલ સમિતિએ કહ્યું કે  82 વર્ષીય એની આર્નોક્સને 'સાહસ અને ક્લિનિકલ એક્યુટી (clinical acuity) માટે એનાયત કરવામાં આવે છે. જેની સાથે તેણીએ વ્યક્તિગત સ્મતિઓના મૂળ, વ્યવસ્થાઓ અને સામૂહિક પ્રતિબંધોને ઉજાગર કર્યા છે'. સ્વીડિશ એકેડેમીના કાયમી સભ્ય અને સચિવ મેટ્સ માલ્મએ સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં આજે વિજેતાના નામની જાહેરાત કરી હતી.


એની આર્નોક્સનું સાહિત્યિક પ્રદાન શું છે? 


એની આર્નોક્સ ફ્રેન્ચ લેખક અને સાહિત્યના પ્રોફેસર રહી ચુક્યા છે. તેણીનો જન્મ 1 સપ્ટેમ્બર 1940 ના રોજ ફ્રાન્સના લિલેબોન શહેરમાં થયો હતો, તેણી 82 વર્ષની છે. તેમનું સાહિત્યિક પ્રદાન, મોટે ભાગે આત્મકથા, સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલું છે. એની આર્નોક્સે તેમની સાહિત્યિક કારકિર્દીની શરૂઆત 1974માં એક આત્મકથાત્મક નવલકથા લેસ આર્મોઇર્સ વોડેસ (ક્લીન આઉટ)થી કરી હતી. તેઓને તેમના પુસ્તક 'ધ યર્સ' માટે 2019 માં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. જેની વર્ષ 2008માં ફ્રેન્ચ વિવેચકોએ ખૂબ પ્રશંસા કરી હતી.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .