Nobel Prize 2022: ફ્રેન્ચ લેખિકા એની એર્નોક્સે જીત્યો સાહિત્યનો નોબેલ પુરસ્કાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 20:30:42

ફેન્ચ લેખિકા એની એર્નોક્સ (Annie Ernaux)ને સાહિત્યનું 2022 નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. નોબેલ સમિતિએ કહ્યું કે  82 વર્ષીય એની આર્નોક્સને 'સાહસ અને ક્લિનિકલ એક્યુટી (clinical acuity) માટે એનાયત કરવામાં આવે છે. જેની સાથે તેણીએ વ્યક્તિગત સ્મતિઓના મૂળ, વ્યવસ્થાઓ અને સામૂહિક પ્રતિબંધોને ઉજાગર કર્યા છે'. સ્વીડિશ એકેડેમીના કાયમી સભ્ય અને સચિવ મેટ્સ માલ્મએ સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં આજે વિજેતાના નામની જાહેરાત કરી હતી.


એની આર્નોક્સનું સાહિત્યિક પ્રદાન શું છે? 


એની આર્નોક્સ ફ્રેન્ચ લેખક અને સાહિત્યના પ્રોફેસર રહી ચુક્યા છે. તેણીનો જન્મ 1 સપ્ટેમ્બર 1940 ના રોજ ફ્રાન્સના લિલેબોન શહેરમાં થયો હતો, તેણી 82 વર્ષની છે. તેમનું સાહિત્યિક પ્રદાન, મોટે ભાગે આત્મકથા, સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલું છે. એની આર્નોક્સે તેમની સાહિત્યિક કારકિર્દીની શરૂઆત 1974માં એક આત્મકથાત્મક નવલકથા લેસ આર્મોઇર્સ વોડેસ (ક્લીન આઉટ)થી કરી હતી. તેઓને તેમના પુસ્તક 'ધ યર્સ' માટે 2019 માં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. જેની વર્ષ 2008માં ફ્રેન્ચ વિવેચકોએ ખૂબ પ્રશંસા કરી હતી.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.