Nobel Prize 2022: ફ્રેન્ચ લેખિકા એની એર્નોક્સે જીત્યો સાહિત્યનો નોબેલ પુરસ્કાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 20:30:42

ફેન્ચ લેખિકા એની એર્નોક્સ (Annie Ernaux)ને સાહિત્યનું 2022 નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. નોબેલ સમિતિએ કહ્યું કે  82 વર્ષીય એની આર્નોક્સને 'સાહસ અને ક્લિનિકલ એક્યુટી (clinical acuity) માટે એનાયત કરવામાં આવે છે. જેની સાથે તેણીએ વ્યક્તિગત સ્મતિઓના મૂળ, વ્યવસ્થાઓ અને સામૂહિક પ્રતિબંધોને ઉજાગર કર્યા છે'. સ્વીડિશ એકેડેમીના કાયમી સભ્ય અને સચિવ મેટ્સ માલ્મએ સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં આજે વિજેતાના નામની જાહેરાત કરી હતી.


એની આર્નોક્સનું સાહિત્યિક પ્રદાન શું છે? 


એની આર્નોક્સ ફ્રેન્ચ લેખક અને સાહિત્યના પ્રોફેસર રહી ચુક્યા છે. તેણીનો જન્મ 1 સપ્ટેમ્બર 1940 ના રોજ ફ્રાન્સના લિલેબોન શહેરમાં થયો હતો, તેણી 82 વર્ષની છે. તેમનું સાહિત્યિક પ્રદાન, મોટે ભાગે આત્મકથા, સમાજશાસ્ત્ર સાથે સંકળાયેલું છે. એની આર્નોક્સે તેમની સાહિત્યિક કારકિર્દીની શરૂઆત 1974માં એક આત્મકથાત્મક નવલકથા લેસ આર્મોઇર્સ વોડેસ (ક્લીન આઉટ)થી કરી હતી. તેઓને તેમના પુસ્તક 'ધ યર્સ' માટે 2019 માં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. જેની વર્ષ 2008માં ફ્રેન્ચ વિવેચકોએ ખૂબ પ્રશંસા કરી હતી.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .