ક્ષણવારમાં ધરાશાઈ ટ્વીન ટાવર, નોઈડાવાસીઓએ કહ્યું તુટ્યો ભ્રષ્ટાચારીઓનો ઘમંડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-28 16:24:21

ધરાશાઈ થયા ટ્વિન ટાવર, આંખના પલકારામાં કાટમાળ બની ગઈ બહુમાળી ઈમારત


સુપ્રીમ કોર્ટના હુકમ બાદ નોઈડાના સેક્ટર-93એ સ્થિત સુપરટેક એમેરાલ્ડ કોર્ટના ટ્વીન ટાવર આજે ઈતિહાસ બની ગયા. બંને ટાવરને વિષ્ફોટ બાદ ધરાશાઈ કરી દેવામાં આવ્યા, આ બંને ઈમારતોને આજે બપોરે 2.30 કલાકે જમીનદોસ્ત કરવામાં આવી ત્યારે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. મુંબઈ સ્થિત કંપની એડફિસ એન્જિનિયરિંગ અને દક્ષિણ આફ્રિકાની જેટ ડિમોલિશનને આ કામમાં લગાવવામાં આવી હતી. 32 માળના એપેક્સ (100 મીટર) અને 29 માળના સિયાન (97 મીટર) ટાવરમાં 3700 કિલોગ્રામ વિસ્ફોટકો લગાવીને રિમોટ દ્વારા વિષ્ફોટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ વખતે સાવચેતીના ભાગરૂપે આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. વિષ્ફોટકોથી માત્ર 12 જ સેકન્ડમાં આ બંને ઈમારતોને ધરાશાઈ કરવામાં આવી હતી.


નોઈડા ઓથોરિટીના સીઈઓ રિતુ મહેશ્વરીએ કહ્યું કે નજીકની હાઉસિંગ સોસાયટીઓને કોઈ નુકસાન થયું નથી. અમુક કાટમાળ રસ્તા તરફ જ આવી ગયો છે. અમને એક કલાકમાં પરિસ્થિતિનો વધુ સારો ખ્યાલ આવી જશે.


ડિમોલિશન પછી તરત જ પાણીનો છંટકાવ શરૂ 


ડિમોલિશન પછી તરત જ નોઈડા ઓથોરિટીની ટીમ દ્વારા પાણીનો છંટકાવનું કામ શરૂ કરી દીધું હતું. પાર્શ્વનાથ પ્રતિષ્ઠા અને પાર્શ્વનાથ સૃષ્ટિ સોસાયટી, ગેઝા, સેક્ટર-92, 93, 93A, 93B જેવા રહેણાંક વિસ્તારોના રહેવાસીઓ, બાળકો, વૃદ્ધો અને શ્વસનના દર્દીઓને સાવચેતીના ભાગરૂપે, ડિમોલિશન સાઇટની નજીકમાં આવેલી ધૂળની અસરથી બચવા માટે ડિમોલિશન.માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી હતી.


ભ્રષ્ટાચારના પાયા પર ઉભી કરાઈ ઈમારત


સુપરટેક બિલ્ડરને 23 ડિસેમ્બર 2004ના રોજ સેક્ટર-93Aમાં એમરાલ્ડ કોર્ટના નામે પ્લોટ ફાળવવામાં આવ્યો હતો, જેમાં 14 ટાવરનો નકશો પાસ કરવામાં આવ્યો હતો. આ પછી પ્લાનમાં 3 વખત સુધારો કરવામાં આવ્યો અને બિલ્ડરને 2 નવા ટાવર બનાવવાની મંજૂરી આપવામાં આવી. આ બંને ટાવર ગ્રીન પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને 2 માળના કોમર્શિયલ કોમ્પ્લેક્સની જમીન પર બાંધવામાં આવ્યા હતા, જેને ટ્વીન ટાવર તરીકે ઓળખવામાં આવતા હતા. ટ્વીન ટાવરના નિર્માણમાં કાયદાના ઘોર ઉલ્લંઘનના આરોપો સાબિત થયા પછી 31 ઓગસ્ટ 2021ના દિવસે સુપ્રીમ કોર્ટે તોડી પાડવાનો હુકમ આપ્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતે આ બંને ટાવર 30 નવેમ્બર 2021 સુધીમાં તોડી પાડવા અને ખરીદદારોને 12 ટકા વ્યાજ સાથે નાણાં પરત કરવાનો પણ બિલ્ડરને આદેશ કર્યો હતો. 


ટ્વીન ટાવર્સના માલિક કોણ છે?


200 કરોડથી વધુના ખર્ચે બનેલા આ ટાવરને તોડવા માટે લગભગ 20 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે તેને બનાવનાર વ્યક્તિ કોણ છે? આ ટ્વીન ટાવરનો માલિક કોણ છે અને તેણે આટલી મોટી ઈમારત કેવી રીતે બનાવી?


આ ટ્વીન ટાવર સુપરટેક કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે. સુપરટેક કંપનીના માલિકનું નામ આરકે અરોરા છે. આરકે અરોરાએ 34 કંપનીઓ ઉભી કરી છે. આ કંપનીઓ સિવિલ એવિએશન, કન્સલ્ટન્સી, બ્રોકિંગ, પ્રિન્ટિંગ, ફિલ્મો, હાઉસિંગ ફાઇનાન્સ, કન્સ્ટ્રક્શનમાં કામ કરે છે. આટલું જ નહીં, આરકે અરોરાએ કબ્રસ્તાન બનાવવા માટે એક કંપની પણ ખોલી છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.