બંગાળ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદ માટે ગાંગુલીનું નામાંકન


  • Published By :
  • Published Date : 2022-10-23 17:44:41

બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી બંગાળ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કરવા ગયા છે. સૌરવ ગાંગુલી બંગાળ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કરવા કોલકાતાના ઈડન ગાર્ડનમાં પહોંચ્યા હતા. 


શું છે બંગાળ ક્રિકેટ બોર્ડ?

ક્રિકેટ એસોશિયેશન ઓફ બંગાળ ભારતના બંગાળની ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા છે. સીખએબીનું હેડક્વાર્ટર ઈડન ગાર્ડનમાં છે માટે સૌરવ ગાંગુલી નામાંકન દાખલ કરવા ઈનડ ગાર્ડન ગયા હતા. સીએબી બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાનું ફુલ મેમ્બર છે. 


અવિશેક ડાલમિયાને રિપ્લેસ કરશે ગાંગુલી?

18 ઓક્ટોબરે બીસીસીઆઈના અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલીનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. સૌરવ ગાંગુલી બાદ ઓલ રાઉન્ડર રોઝર બિન્નીની બીસીસીઆઈના અધ્યક્ષ પદે નિમણૂક થઈ હતી. હાલ અવિશેક ડાલમિયા સીએબીના અધ્યક્ષ છે, લાગી રહ્યું છે કે સૌરવ ગાંગલી અવિશેક ડાલમિયાને સીએબીના પદેથી રિપ્લેસ કરશે. ક્રિકેટ એસોશિયેશન ઓફ બંગાળની સ્થાપના 94 વર્ષ પહેલા 1928ના થઈ હતી. ત્યારથી બંગાળના મેચ સીએબી અંતર્ગત રમાઈ રહ્યા છે. ?



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.