બંગાળ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદ માટે ગાંગુલીનું નામાંકન


  • Published By :
  • Published Date : 2022-10-23 17:44:41

બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી બંગાળ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કરવા ગયા છે. સૌરવ ગાંગુલી બંગાળ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કરવા કોલકાતાના ઈડન ગાર્ડનમાં પહોંચ્યા હતા. 


શું છે બંગાળ ક્રિકેટ બોર્ડ?

ક્રિકેટ એસોશિયેશન ઓફ બંગાળ ભારતના બંગાળની ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા છે. સીખએબીનું હેડક્વાર્ટર ઈડન ગાર્ડનમાં છે માટે સૌરવ ગાંગુલી નામાંકન દાખલ કરવા ઈનડ ગાર્ડન ગયા હતા. સીએબી બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાનું ફુલ મેમ્બર છે. 


અવિશેક ડાલમિયાને રિપ્લેસ કરશે ગાંગુલી?

18 ઓક્ટોબરે બીસીસીઆઈના અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલીનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. સૌરવ ગાંગુલી બાદ ઓલ રાઉન્ડર રોઝર બિન્નીની બીસીસીઆઈના અધ્યક્ષ પદે નિમણૂક થઈ હતી. હાલ અવિશેક ડાલમિયા સીએબીના અધ્યક્ષ છે, લાગી રહ્યું છે કે સૌરવ ગાંગલી અવિશેક ડાલમિયાને સીએબીના પદેથી રિપ્લેસ કરશે. ક્રિકેટ એસોશિયેશન ઓફ બંગાળની સ્થાપના 94 વર્ષ પહેલા 1928ના થઈ હતી. ત્યારથી બંગાળના મેચ સીએબી અંતર્ગત રમાઈ રહ્યા છે. ?



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.