બંગાળ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદ માટે ગાંગુલીનું નામાંકન


  • Published By :
  • Published Date : 2022-10-23 17:44:41

બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી બંગાળ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કરવા ગયા છે. સૌરવ ગાંગુલી બંગાળ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કરવા કોલકાતાના ઈડન ગાર્ડનમાં પહોંચ્યા હતા. 


શું છે બંગાળ ક્રિકેટ બોર્ડ?

ક્રિકેટ એસોશિયેશન ઓફ બંગાળ ભારતના બંગાળની ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા છે. સીખએબીનું હેડક્વાર્ટર ઈડન ગાર્ડનમાં છે માટે સૌરવ ગાંગુલી નામાંકન દાખલ કરવા ઈનડ ગાર્ડન ગયા હતા. સીએબી બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાનું ફુલ મેમ્બર છે. 


અવિશેક ડાલમિયાને રિપ્લેસ કરશે ગાંગુલી?

18 ઓક્ટોબરે બીસીસીઆઈના અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલીનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. સૌરવ ગાંગુલી બાદ ઓલ રાઉન્ડર રોઝર બિન્નીની બીસીસીઆઈના અધ્યક્ષ પદે નિમણૂક થઈ હતી. હાલ અવિશેક ડાલમિયા સીએબીના અધ્યક્ષ છે, લાગી રહ્યું છે કે સૌરવ ગાંગલી અવિશેક ડાલમિયાને સીએબીના પદેથી રિપ્લેસ કરશે. ક્રિકેટ એસોશિયેશન ઓફ બંગાળની સ્થાપના 94 વર્ષ પહેલા 1928ના થઈ હતી. ત્યારથી બંગાળના મેચ સીએબી અંતર્ગત રમાઈ રહ્યા છે. ?



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.