બંગાળ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદ માટે ગાંગુલીનું નામાંકન


  • Published By :
  • Published Date : 2022-10-23 17:44:41

બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી બંગાળ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કરવા ગયા છે. સૌરવ ગાંગુલી બંગાળ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કરવા કોલકાતાના ઈડન ગાર્ડનમાં પહોંચ્યા હતા. 


શું છે બંગાળ ક્રિકેટ બોર્ડ?

ક્રિકેટ એસોશિયેશન ઓફ બંગાળ ભારતના બંગાળની ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા છે. સીખએબીનું હેડક્વાર્ટર ઈડન ગાર્ડનમાં છે માટે સૌરવ ગાંગુલી નામાંકન દાખલ કરવા ઈનડ ગાર્ડન ગયા હતા. સીએબી બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાનું ફુલ મેમ્બર છે. 


અવિશેક ડાલમિયાને રિપ્લેસ કરશે ગાંગુલી?

18 ઓક્ટોબરે બીસીસીઆઈના અધ્યક્ષ પદે સૌરવ ગાંગુલીનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. સૌરવ ગાંગુલી બાદ ઓલ રાઉન્ડર રોઝર બિન્નીની બીસીસીઆઈના અધ્યક્ષ પદે નિમણૂક થઈ હતી. હાલ અવિશેક ડાલમિયા સીએબીના અધ્યક્ષ છે, લાગી રહ્યું છે કે સૌરવ ગાંગલી અવિશેક ડાલમિયાને સીએબીના પદેથી રિપ્લેસ કરશે. ક્રિકેટ એસોશિયેશન ઓફ બંગાળની સ્થાપના 94 વર્ષ પહેલા 1928ના થઈ હતી. ત્યારથી બંગાળના મેચ સીએબી અંતર્ગત રમાઈ રહ્યા છે. ?



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.