નોરા ફતેહી પર સવાલોનો વરસાદ... BMW કારની ઓફર પર જાણો શું કહ્યું?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-03 22:36:05

STORY BY SAMIR PARMAR


ઠગ સુકેશ ચંદ્રશેખર પર 200 કરોડની વસૂલી મામલે બોલીવુડ ડાન્સર નોરા ફતેહીની દિલ્લી પોલીસેની EDએ ગઈકાલે લગભગ 6 કલાક પૂછપરછ કરી હતી. આગામી 12 સપ્ટેમ્બરના રોજ બોલિવુડ અભિનેત્રી જેક્વલિન ફર્નાન્ડિઝની પણ પૂછપરછ કરવામાં આવશે. 


EDએ સુકેશ ચંદ્રશેખરના ઠગાઈ કેસ મામલે સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આર્થિક અપરાધ શાખા ખાતે નોરા ફતેહીની પૂછપરછ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ ઠગ સુકેશ ચંદ્રશેખરને નોરા ફતેહી સામે રાખી પ્રશ્નો પૂછ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જ્યારે તેમને સવાલ પૂછ્યો હતો કે તમે એકબીજાને મળ્યા છો ત્યારે નોરા અને સુકેશે 'હા' જવાબ આપ્યો હતો. 


EDએ નોરા ફતેહી અને ઠગ સુકેશને શું સવાલો કર્યા?

ઈડીએ નોરાને પૂછ્યું હતું કે શું સુકેશે શરૂઆતમાં નોરાના ફેમેલી ફ્રેન્ડ બોબી ખાનને બીએમડબલ્યુ કાર ગિફ્ટ કરી હતી કે કેમ? ત્યારે નોરાએ જવાબ આપ્યો હતો કે હા સુકેશે મને કાર ગિફ્ટ કરવાની ઓફર કરી હતી પરંતુ મેં ના પાડી દીધી હતી. ઈડીએ નોરાને પૂછ્યું હતું કે સુકેશે શું કહીને નોરા સાથે મુલાકાત કરી હતી ત્યારે નોરાએ જવાબ આપ્યો હતો કે સુકેશે પોતાને શેખર બનીને મારી સાથે મુલાકાત કરી હતી. સુકેશે જણાવ્યું હતું કે સુકેશે પોતાને એલએસ કોર્પોરેશનથી આવે છે તેવી માહિતી આપી હતી. જ્યારે સુકેશને આ વિશે પૂછવામાં આવ્યું તો સુકેશે જવાબ આપ્યો હતો કે, માત્ર શેખર કહ્યું હતું બીજી કોઈ વાત મેં નહોતી કરી. સુકેશે નોરા સાથે સિગ્નલ એપ્લિકેશન અને વોટ્સએપ એપ્લિકેશન પર વાત કરી હતી.  

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.