નોરા ફતેહી પર સવાલોનો વરસાદ... BMW કારની ઓફર પર જાણો શું કહ્યું?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-03 22:36:05

STORY BY SAMIR PARMAR


ઠગ સુકેશ ચંદ્રશેખર પર 200 કરોડની વસૂલી મામલે બોલીવુડ ડાન્સર નોરા ફતેહીની દિલ્લી પોલીસેની EDએ ગઈકાલે લગભગ 6 કલાક પૂછપરછ કરી હતી. આગામી 12 સપ્ટેમ્બરના રોજ બોલિવુડ અભિનેત્રી જેક્વલિન ફર્નાન્ડિઝની પણ પૂછપરછ કરવામાં આવશે. 


EDએ સુકેશ ચંદ્રશેખરના ઠગાઈ કેસ મામલે સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આર્થિક અપરાધ શાખા ખાતે નોરા ફતેહીની પૂછપરછ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ ઠગ સુકેશ ચંદ્રશેખરને નોરા ફતેહી સામે રાખી પ્રશ્નો પૂછ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જ્યારે તેમને સવાલ પૂછ્યો હતો કે તમે એકબીજાને મળ્યા છો ત્યારે નોરા અને સુકેશે 'હા' જવાબ આપ્યો હતો. 


EDએ નોરા ફતેહી અને ઠગ સુકેશને શું સવાલો કર્યા?

ઈડીએ નોરાને પૂછ્યું હતું કે શું સુકેશે શરૂઆતમાં નોરાના ફેમેલી ફ્રેન્ડ બોબી ખાનને બીએમડબલ્યુ કાર ગિફ્ટ કરી હતી કે કેમ? ત્યારે નોરાએ જવાબ આપ્યો હતો કે હા સુકેશે મને કાર ગિફ્ટ કરવાની ઓફર કરી હતી પરંતુ મેં ના પાડી દીધી હતી. ઈડીએ નોરાને પૂછ્યું હતું કે સુકેશે શું કહીને નોરા સાથે મુલાકાત કરી હતી ત્યારે નોરાએ જવાબ આપ્યો હતો કે સુકેશે પોતાને શેખર બનીને મારી સાથે મુલાકાત કરી હતી. સુકેશે જણાવ્યું હતું કે સુકેશે પોતાને એલએસ કોર્પોરેશનથી આવે છે તેવી માહિતી આપી હતી. જ્યારે સુકેશને આ વિશે પૂછવામાં આવ્યું તો સુકેશે જવાબ આપ્યો હતો કે, માત્ર શેખર કહ્યું હતું બીજી કોઈ વાત મેં નહોતી કરી. સુકેશે નોરા સાથે સિગ્નલ એપ્લિકેશન અને વોટ્સએપ એપ્લિકેશન પર વાત કરી હતી.  

 



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.