નોરા ફતેહી પર સવાલોનો વરસાદ... BMW કારની ઓફર પર જાણો શું કહ્યું?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-03 22:36:05

STORY BY SAMIR PARMAR


ઠગ સુકેશ ચંદ્રશેખર પર 200 કરોડની વસૂલી મામલે બોલીવુડ ડાન્સર નોરા ફતેહીની દિલ્લી પોલીસેની EDએ ગઈકાલે લગભગ 6 કલાક પૂછપરછ કરી હતી. આગામી 12 સપ્ટેમ્બરના રોજ બોલિવુડ અભિનેત્રી જેક્વલિન ફર્નાન્ડિઝની પણ પૂછપરછ કરવામાં આવશે. 


EDએ સુકેશ ચંદ્રશેખરના ઠગાઈ કેસ મામલે સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આર્થિક અપરાધ શાખા ખાતે નોરા ફતેહીની પૂછપરછ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ ઠગ સુકેશ ચંદ્રશેખરને નોરા ફતેહી સામે રાખી પ્રશ્નો પૂછ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જ્યારે તેમને સવાલ પૂછ્યો હતો કે તમે એકબીજાને મળ્યા છો ત્યારે નોરા અને સુકેશે 'હા' જવાબ આપ્યો હતો. 


EDએ નોરા ફતેહી અને ઠગ સુકેશને શું સવાલો કર્યા?

ઈડીએ નોરાને પૂછ્યું હતું કે શું સુકેશે શરૂઆતમાં નોરાના ફેમેલી ફ્રેન્ડ બોબી ખાનને બીએમડબલ્યુ કાર ગિફ્ટ કરી હતી કે કેમ? ત્યારે નોરાએ જવાબ આપ્યો હતો કે હા સુકેશે મને કાર ગિફ્ટ કરવાની ઓફર કરી હતી પરંતુ મેં ના પાડી દીધી હતી. ઈડીએ નોરાને પૂછ્યું હતું કે સુકેશે શું કહીને નોરા સાથે મુલાકાત કરી હતી ત્યારે નોરાએ જવાબ આપ્યો હતો કે સુકેશે પોતાને શેખર બનીને મારી સાથે મુલાકાત કરી હતી. સુકેશે જણાવ્યું હતું કે સુકેશે પોતાને એલએસ કોર્પોરેશનથી આવે છે તેવી માહિતી આપી હતી. જ્યારે સુકેશને આ વિશે પૂછવામાં આવ્યું તો સુકેશે જવાબ આપ્યો હતો કે, માત્ર શેખર કહ્યું હતું બીજી કોઈ વાત મેં નહોતી કરી. સુકેશે નોરા સાથે સિગ્નલ એપ્લિકેશન અને વોટ્સએપ એપ્લિકેશન પર વાત કરી હતી.  

 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી