નોર્થ કોરિયાએ જાપાન બાજુ બેલિસ્ટિક મિસાઇલ છોડી!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 18:17:01

 નોર્થ કોરિયા મંગળવારે જાપાન તરફ બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી અને તેની જાણકારી સાઉથ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે આપી હતી તેમણે જણાવ્યું કે નોર્થ કોરિયાએ તેના પૂર્વ કિનારેથી એક બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી. એક અઠવાડિયાની અંદર કોરિયાએ પાંચમી મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.

 

મિસાઇલ જાપાનથી લગભગ 3,000 કિમી દૂર પડી હતી. નોર્થ કોરિયાની કૃત્ય પછી જાપાનમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને મિસાઇલ લોન્ચ અંગેની જાણકારી બાદ જાપાન સરકારે તમામ નાગરિકોને સુરક્ષિત જગ્યાએ પોહચાળી દીધા છે.

 

જાપાને સિક્યોરીટી બેઠક બોલાવી

જાપાને નેસનલ સિક્યોરીટી કાઉન્સિલિંગની ઇમરજન્સી બેઠક બોલાવી દીધી છે. જાપાની સરકારે હાઈ એલર્ટની જાહેરાત કરી દીધી છે. ઉપરાંત ત્યાંની કેટલીક ટ્રેનઑ પણ રદ કરી દેવામાં આવી છે. UN નોર્થ કોરિયાના બેલિસ્ટિક અને પરમાણુ હથિયારોનું પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

 

નોર્થ કોરિયા ટુંક સમયમાં ન્યુક્લિયર ટેસ્ટ કરી શકે છે !!!!

 

હાલના સમયમાં નોર્થ કોરિયાએ પોતાનો ક્લિયર આર્મ્ડ દેશ જાહેર કર્યો છે. અને આના માટે તેમણે નવો કાયદો પણ કાઢ્યો છે, કાયદા અનુસાર, જો નોર્થ કોરિયાને કોઈ દેશ થકી જોખમ નડશે તો તે દેશ પર પરમાણુ હુમલો કરી શકે છે. કિમ જોંગ ઉને જુલાઈમાં કહ્યું હતું કે તેમનો દેશ અમેરિકા અને સાઉથ કોરિયા સામે લડવા માટે ન્યૂક્લિયર પાવરનો ઉપયોગ કરવા માટે તૈયાર છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.