નોર્થ કોરિયાએ જાપાન બાજુ બેલિસ્ટિક મિસાઇલ છોડી!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 18:17:01

 નોર્થ કોરિયા મંગળવારે જાપાન તરફ બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી અને તેની જાણકારી સાઉથ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે આપી હતી તેમણે જણાવ્યું કે નોર્થ કોરિયાએ તેના પૂર્વ કિનારેથી એક બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી. એક અઠવાડિયાની અંદર કોરિયાએ પાંચમી મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.

 

મિસાઇલ જાપાનથી લગભગ 3,000 કિમી દૂર પડી હતી. નોર્થ કોરિયાની કૃત્ય પછી જાપાનમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને મિસાઇલ લોન્ચ અંગેની જાણકારી બાદ જાપાન સરકારે તમામ નાગરિકોને સુરક્ષિત જગ્યાએ પોહચાળી દીધા છે.

 

જાપાને સિક્યોરીટી બેઠક બોલાવી

જાપાને નેસનલ સિક્યોરીટી કાઉન્સિલિંગની ઇમરજન્સી બેઠક બોલાવી દીધી છે. જાપાની સરકારે હાઈ એલર્ટની જાહેરાત કરી દીધી છે. ઉપરાંત ત્યાંની કેટલીક ટ્રેનઑ પણ રદ કરી દેવામાં આવી છે. UN નોર્થ કોરિયાના બેલિસ્ટિક અને પરમાણુ હથિયારોનું પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

 

નોર્થ કોરિયા ટુંક સમયમાં ન્યુક્લિયર ટેસ્ટ કરી શકે છે !!!!

 

હાલના સમયમાં નોર્થ કોરિયાએ પોતાનો ક્લિયર આર્મ્ડ દેશ જાહેર કર્યો છે. અને આના માટે તેમણે નવો કાયદો પણ કાઢ્યો છે, કાયદા અનુસાર, જો નોર્થ કોરિયાને કોઈ દેશ થકી જોખમ નડશે તો તે દેશ પર પરમાણુ હુમલો કરી શકે છે. કિમ જોંગ ઉને જુલાઈમાં કહ્યું હતું કે તેમનો દેશ અમેરિકા અને સાઉથ કોરિયા સામે લડવા માટે ન્યૂક્લિયર પાવરનો ઉપયોગ કરવા માટે તૈયાર છે.



ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.