નોર્થ કોરિયાએ જાપાન બાજુ બેલિસ્ટિક મિસાઇલ છોડી!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 18:17:01

 નોર્થ કોરિયા મંગળવારે જાપાન તરફ બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી અને તેની જાણકારી સાઉથ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે આપી હતી તેમણે જણાવ્યું કે નોર્થ કોરિયાએ તેના પૂર્વ કિનારેથી એક બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી. એક અઠવાડિયાની અંદર કોરિયાએ પાંચમી મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.

 

મિસાઇલ જાપાનથી લગભગ 3,000 કિમી દૂર પડી હતી. નોર્થ કોરિયાની કૃત્ય પછી જાપાનમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને મિસાઇલ લોન્ચ અંગેની જાણકારી બાદ જાપાન સરકારે તમામ નાગરિકોને સુરક્ષિત જગ્યાએ પોહચાળી દીધા છે.

 

જાપાને સિક્યોરીટી બેઠક બોલાવી

જાપાને નેસનલ સિક્યોરીટી કાઉન્સિલિંગની ઇમરજન્સી બેઠક બોલાવી દીધી છે. જાપાની સરકારે હાઈ એલર્ટની જાહેરાત કરી દીધી છે. ઉપરાંત ત્યાંની કેટલીક ટ્રેનઑ પણ રદ કરી દેવામાં આવી છે. UN નોર્થ કોરિયાના બેલિસ્ટિક અને પરમાણુ હથિયારોનું પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

 

નોર્થ કોરિયા ટુંક સમયમાં ન્યુક્લિયર ટેસ્ટ કરી શકે છે !!!!

 

હાલના સમયમાં નોર્થ કોરિયાએ પોતાનો ક્લિયર આર્મ્ડ દેશ જાહેર કર્યો છે. અને આના માટે તેમણે નવો કાયદો પણ કાઢ્યો છે, કાયદા અનુસાર, જો નોર્થ કોરિયાને કોઈ દેશ થકી જોખમ નડશે તો તે દેશ પર પરમાણુ હુમલો કરી શકે છે. કિમ જોંગ ઉને જુલાઈમાં કહ્યું હતું કે તેમનો દેશ અમેરિકા અને સાઉથ કોરિયા સામે લડવા માટે ન્યૂક્લિયર પાવરનો ઉપયોગ કરવા માટે તૈયાર છે.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?