નોર્થ કોરિયાએ જાપાન બાજુ બેલિસ્ટિક મિસાઇલ છોડી!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 18:17:01

 નોર્થ કોરિયા મંગળવારે જાપાન તરફ બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી અને તેની જાણકારી સાઉથ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે આપી હતી તેમણે જણાવ્યું કે નોર્થ કોરિયાએ તેના પૂર્વ કિનારેથી એક બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી. એક અઠવાડિયાની અંદર કોરિયાએ પાંચમી મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.

 

મિસાઇલ જાપાનથી લગભગ 3,000 કિમી દૂર પડી હતી. નોર્થ કોરિયાની કૃત્ય પછી જાપાનમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને મિસાઇલ લોન્ચ અંગેની જાણકારી બાદ જાપાન સરકારે તમામ નાગરિકોને સુરક્ષિત જગ્યાએ પોહચાળી દીધા છે.

 

જાપાને સિક્યોરીટી બેઠક બોલાવી

જાપાને નેસનલ સિક્યોરીટી કાઉન્સિલિંગની ઇમરજન્સી બેઠક બોલાવી દીધી છે. જાપાની સરકારે હાઈ એલર્ટની જાહેરાત કરી દીધી છે. ઉપરાંત ત્યાંની કેટલીક ટ્રેનઑ પણ રદ કરી દેવામાં આવી છે. UN નોર્થ કોરિયાના બેલિસ્ટિક અને પરમાણુ હથિયારોનું પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

 

નોર્થ કોરિયા ટુંક સમયમાં ન્યુક્લિયર ટેસ્ટ કરી શકે છે !!!!

 

હાલના સમયમાં નોર્થ કોરિયાએ પોતાનો ક્લિયર આર્મ્ડ દેશ જાહેર કર્યો છે. અને આના માટે તેમણે નવો કાયદો પણ કાઢ્યો છે, કાયદા અનુસાર, જો નોર્થ કોરિયાને કોઈ દેશ થકી જોખમ નડશે તો તે દેશ પર પરમાણુ હુમલો કરી શકે છે. કિમ જોંગ ઉને જુલાઈમાં કહ્યું હતું કે તેમનો દેશ અમેરિકા અને સાઉથ કોરિયા સામે લડવા માટે ન્યૂક્લિયર પાવરનો ઉપયોગ કરવા માટે તૈયાર છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .