ભારતમાં જ નહીં, દુનિયાના આ પાંચ દેશોમાં પહોંચ્યો કોરોનાનો ઘાતક JN.1 વેરિયેન્ટ


  • Published By :
  • Published Date : 2023-12-19 22:17:42

કોરોના વાયરસ ફરી એકવાર વાપસી કરવા લાગ્યો છે. કોરોના વાયરસનું નવું સબ-વેરિઅન્ટ JN.1એ દુનિયાની ચિંતા વધારી છે. લોકો માની રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરી એકવાર ચલણમાં આવશે. ભારતના કેરળ રાજ્યમાં આ વાયરસના કેસ જોવા મળ્યા છે. દેશમાં સોમવારે 111 નવા કેસ નોંધાયા હતા. JN.1 વેરિઅન્ટ અત્યંત ઝડપથી ફેલાય છે. તેનો કેસ સૌપ્રથમ લક્ઝમબર્ગમાં નોંધાયો હતો. પરંતુ હવે માત્ર ભારતમાં જ નહીં, અન્ય પાંચ દેશોમાં પણ તેના કેસ જોવા મળ્યા છે.


આ પાંચ દેશોમાં સંક્રમણ વધ્યું


આ વાયરસના કેસ અમેરિકા, ચીન, સિંગાપોર, ભારત અને કેટલાક યુરોપિયન દેશોમાં જોવા મળ્યા છે. સિંગાપોરમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સિંગાપોરમાં 4 થી 10 ડિસેમ્બરની વચ્ચે 56,000 થી વધુ કેસ જોવા મળ્યા છે. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં દાખલ થવાના કેસમાં વધારો થયો છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો વધુ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19ના કેસ વધવા માટે સબ વેરિયેન્ટ JN.1નું સંક્રમણ જવાબદાર છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.