ભારતમાં જ નહીં, દુનિયાના આ પાંચ દેશોમાં પહોંચ્યો કોરોનાનો ઘાતક JN.1 વેરિયેન્ટ


  • Published By :
  • Published Date : 2023-12-19 22:17:42

કોરોના વાયરસ ફરી એકવાર વાપસી કરવા લાગ્યો છે. કોરોના વાયરસનું નવું સબ-વેરિઅન્ટ JN.1એ દુનિયાની ચિંતા વધારી છે. લોકો માની રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરી એકવાર ચલણમાં આવશે. ભારતના કેરળ રાજ્યમાં આ વાયરસના કેસ જોવા મળ્યા છે. દેશમાં સોમવારે 111 નવા કેસ નોંધાયા હતા. JN.1 વેરિઅન્ટ અત્યંત ઝડપથી ફેલાય છે. તેનો કેસ સૌપ્રથમ લક્ઝમબર્ગમાં નોંધાયો હતો. પરંતુ હવે માત્ર ભારતમાં જ નહીં, અન્ય પાંચ દેશોમાં પણ તેના કેસ જોવા મળ્યા છે.


આ પાંચ દેશોમાં સંક્રમણ વધ્યું


આ વાયરસના કેસ અમેરિકા, ચીન, સિંગાપોર, ભારત અને કેટલાક યુરોપિયન દેશોમાં જોવા મળ્યા છે. સિંગાપોરમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સિંગાપોરમાં 4 થી 10 ડિસેમ્બરની વચ્ચે 56,000 થી વધુ કેસ જોવા મળ્યા છે. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં દાખલ થવાના કેસમાં વધારો થયો છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો વધુ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19ના કેસ વધવા માટે સબ વેરિયેન્ટ JN.1નું સંક્રમણ જવાબદાર છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.