ભારતમાં જ નહીં, દુનિયાના આ પાંચ દેશોમાં પહોંચ્યો કોરોનાનો ઘાતક JN.1 વેરિયેન્ટ


  • Published By :
  • Published Date : 2023-12-19 22:17:42

કોરોના વાયરસ ફરી એકવાર વાપસી કરવા લાગ્યો છે. કોરોના વાયરસનું નવું સબ-વેરિઅન્ટ JN.1એ દુનિયાની ચિંતા વધારી છે. લોકો માની રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરી એકવાર ચલણમાં આવશે. ભારતના કેરળ રાજ્યમાં આ વાયરસના કેસ જોવા મળ્યા છે. દેશમાં સોમવારે 111 નવા કેસ નોંધાયા હતા. JN.1 વેરિઅન્ટ અત્યંત ઝડપથી ફેલાય છે. તેનો કેસ સૌપ્રથમ લક્ઝમબર્ગમાં નોંધાયો હતો. પરંતુ હવે માત્ર ભારતમાં જ નહીં, અન્ય પાંચ દેશોમાં પણ તેના કેસ જોવા મળ્યા છે.


આ પાંચ દેશોમાં સંક્રમણ વધ્યું


આ વાયરસના કેસ અમેરિકા, ચીન, સિંગાપોર, ભારત અને કેટલાક યુરોપિયન દેશોમાં જોવા મળ્યા છે. સિંગાપોરમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સિંગાપોરમાં 4 થી 10 ડિસેમ્બરની વચ્ચે 56,000 થી વધુ કેસ જોવા મળ્યા છે. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં દાખલ થવાના કેસમાં વધારો થયો છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો વધુ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19ના કેસ વધવા માટે સબ વેરિયેન્ટ JN.1નું સંક્રમણ જવાબદાર છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.