પીએમ મોદી માટે કરાયેલી અભદ્ર ટિપ્પણીને લઈ પ્રિયાંક ખડગેને ફટકારાઈ નોટિસ! કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ માટે 'નાલાયક' શબ્દનો કર્યો હતો ઉપયોગ!


  • Published By :
  • Published Date : 2023-05-04 10:15:04

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. દરેક પાર્ટી ચૂંટણીને લઈ એક્ટિવ થઈ ગઈ છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે. અનેક દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. કોંગ્રેસ માટે પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક નેતાઓ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે જ્યારે ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા સહિતના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. કર્ણાટકમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ શાબ્દિક પ્રહાર વધી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી માટે 'ઝેરી સાપ' શબ્દનો પ્રયોગ કર્યો હતો તો તેના જવાબમાં ભાજપના ધારાસભ્યે સોનિયા ગાંધી માટે 'વિષ કન્યા' શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે પ્રિયાંક ખડગે ચૂંટણી પ્રાર દરમિયાન પીએમ મોદી માટે નાલાયક શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેને લઈ ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી છે.  

પ્રિયાંક ખડગેએ પીએમ મોદી માટે કરી હતી અભદ્ર ટિપ્પણી!

એક સમય હતો જ્યારે પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરવામાં આવતા હતા પરંતુ હવે તો વ્યક્તિગત થઈને શાબ્દિક પ્રહારો કરવામાં આવી રહ્યા છે. 'ઝેરી સાપ' અને 'વિષ કન્યા' જેવા શબ્દોનો ઉપયોગ ચૂટંણી પ્રચાર દરમિયાન થઈ રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં મલ્લિકાર્જુન ખડગેના પુત્રએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. પ્રિયાંક ખડગેએ ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 'નાલાયક' શબ્દનો પ્રયોગ કર્યો હતો. ત્યારે નિવેદન પછી જે બાદ કર્ણાટક ભાજપ દ્વારા સોમવારે પ્રિયાંક ખડગે વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી . જેને લઈ ચૂંટણી પંચે પ્રિયાંક ખડગેને નોટિસ ફટકારી છે. આદર્શ આચાર સંહિતાનો હવાલો આપી પ્રિયાંક ખડગેને નોટિસ ફટકારવામાં આવી છે. 

Congress Chief Sonia Gandhi Tests Positive For COVID-19 Again, Will Remain  In Isolation

ભાજપના ધારાસભ્યને પણ ચૂંટણી પંચે ફટકારી છે નોટિસ!

પ્રિયાંક ખડગેના નિવદેન પર કોંગ્રેસ દ્વારા સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચે બીજેપીના ધારાસભ્ય બસનગૌડા પાટિલને લઈ પણ નોટિસ ફટકારી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સોનિયા ગાંધી માટે તેમણે વિષ કન્યા શબ્દનો ઉપયોગ કર્યો હતો. પાંચ વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું છે. ત્યારે ઈલેક્શન કમિશન કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું.   



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.