પીએમ મોદી માટે કરાયેલી અભદ્ર ટિપ્પણીને લઈ પ્રિયાંક ખડગેને ફટકારાઈ નોટિસ! કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ માટે 'નાલાયક' શબ્દનો કર્યો હતો ઉપયોગ!


  • Published By :
  • Published Date : 2023-05-04 10:15:04

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. દરેક પાર્ટી ચૂંટણીને લઈ એક્ટિવ થઈ ગઈ છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે. અનેક દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. કોંગ્રેસ માટે પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક નેતાઓ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે જ્યારે ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા સહિતના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. કર્ણાટકમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ શાબ્દિક પ્રહાર વધી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી માટે 'ઝેરી સાપ' શબ્દનો પ્રયોગ કર્યો હતો તો તેના જવાબમાં ભાજપના ધારાસભ્યે સોનિયા ગાંધી માટે 'વિષ કન્યા' શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે પ્રિયાંક ખડગે ચૂંટણી પ્રાર દરમિયાન પીએમ મોદી માટે નાલાયક શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેને લઈ ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી છે.  

પ્રિયાંક ખડગેએ પીએમ મોદી માટે કરી હતી અભદ્ર ટિપ્પણી!

એક સમય હતો જ્યારે પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરવામાં આવતા હતા પરંતુ હવે તો વ્યક્તિગત થઈને શાબ્દિક પ્રહારો કરવામાં આવી રહ્યા છે. 'ઝેરી સાપ' અને 'વિષ કન્યા' જેવા શબ્દોનો ઉપયોગ ચૂટંણી પ્રચાર દરમિયાન થઈ રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં મલ્લિકાર્જુન ખડગેના પુત્રએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. પ્રિયાંક ખડગેએ ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 'નાલાયક' શબ્દનો પ્રયોગ કર્યો હતો. ત્યારે નિવેદન પછી જે બાદ કર્ણાટક ભાજપ દ્વારા સોમવારે પ્રિયાંક ખડગે વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી . જેને લઈ ચૂંટણી પંચે પ્રિયાંક ખડગેને નોટિસ ફટકારી છે. આદર્શ આચાર સંહિતાનો હવાલો આપી પ્રિયાંક ખડગેને નોટિસ ફટકારવામાં આવી છે. 

Congress Chief Sonia Gandhi Tests Positive For COVID-19 Again, Will Remain  In Isolation

ભાજપના ધારાસભ્યને પણ ચૂંટણી પંચે ફટકારી છે નોટિસ!

પ્રિયાંક ખડગેના નિવદેન પર કોંગ્રેસ દ્વારા સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચે બીજેપીના ધારાસભ્ય બસનગૌડા પાટિલને લઈ પણ નોટિસ ફટકારી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સોનિયા ગાંધી માટે તેમણે વિષ કન્યા શબ્દનો ઉપયોગ કર્યો હતો. પાંચ વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું છે. ત્યારે ઈલેક્શન કમિશન કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.