પીએમ મોદી માટે કરાયેલી અભદ્ર ટિપ્પણીને લઈ પ્રિયાંક ખડગેને ફટકારાઈ નોટિસ! કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ માટે 'નાલાયક' શબ્દનો કર્યો હતો ઉપયોગ!


  • Published By :
  • Published Date : 2023-05-04 10:15:04

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. દરેક પાર્ટી ચૂંટણીને લઈ એક્ટિવ થઈ ગઈ છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે. અનેક દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. કોંગ્રેસ માટે પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક નેતાઓ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે જ્યારે ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા સહિતના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. કર્ણાટકમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ શાબ્દિક પ્રહાર વધી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી માટે 'ઝેરી સાપ' શબ્દનો પ્રયોગ કર્યો હતો તો તેના જવાબમાં ભાજપના ધારાસભ્યે સોનિયા ગાંધી માટે 'વિષ કન્યા' શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે પ્રિયાંક ખડગે ચૂંટણી પ્રાર દરમિયાન પીએમ મોદી માટે નાલાયક શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેને લઈ ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી છે.  

પ્રિયાંક ખડગેએ પીએમ મોદી માટે કરી હતી અભદ્ર ટિપ્પણી!

એક સમય હતો જ્યારે પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરવામાં આવતા હતા પરંતુ હવે તો વ્યક્તિગત થઈને શાબ્દિક પ્રહારો કરવામાં આવી રહ્યા છે. 'ઝેરી સાપ' અને 'વિષ કન્યા' જેવા શબ્દોનો ઉપયોગ ચૂટંણી પ્રચાર દરમિયાન થઈ રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં મલ્લિકાર્જુન ખડગેના પુત્રએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. પ્રિયાંક ખડગેએ ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે 'નાલાયક' શબ્દનો પ્રયોગ કર્યો હતો. ત્યારે નિવેદન પછી જે બાદ કર્ણાટક ભાજપ દ્વારા સોમવારે પ્રિયાંક ખડગે વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી . જેને લઈ ચૂંટણી પંચે પ્રિયાંક ખડગેને નોટિસ ફટકારી છે. આદર્શ આચાર સંહિતાનો હવાલો આપી પ્રિયાંક ખડગેને નોટિસ ફટકારવામાં આવી છે. 

Congress Chief Sonia Gandhi Tests Positive For COVID-19 Again, Will Remain  In Isolation

ભાજપના ધારાસભ્યને પણ ચૂંટણી પંચે ફટકારી છે નોટિસ!

પ્રિયાંક ખડગેના નિવદેન પર કોંગ્રેસ દ્વારા સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચે બીજેપીના ધારાસભ્ય બસનગૌડા પાટિલને લઈ પણ નોટિસ ફટકારી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સોનિયા ગાંધી માટે તેમણે વિષ કન્યા શબ્દનો ઉપયોગ કર્યો હતો. પાંચ વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું છે. ત્યારે ઈલેક્શન કમિશન કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.