હવે કોળી સમાજ મેદાને? મંત્રી કનુ દેસાઈના નિવેદનનો કોળી સમાજે કર્યો વિરોધ! ભાજપને હરાવવાની ચિમકી આપી! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-05 10:57:43

ગુજરાતમાં નેતાઓ છેલ્લા થોડા સમયથી એવા નિવેદનો આપી રહ્યા છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ તો થઈ રહ્યો હતો ત્યારે મંત્રી કનુ દેસાઈ દ્વારા કોળી સમાજને લઈ નિવેદન આપવામાં આવ્યું. જેને લઈ કોળી સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કનુ દેસાઈએ કહ્યું હતુ કે કોળીયા કુટાય અને ધોળી ચૂંટાય. આ નિવેદન બાદ વિવાદ થયો હતો જે બાદ કોળી સમાજે ભાજપ સામે પડવાની પણ વાત કરી હતી. 

કોળી સમાજને લઈ કનુ દેસાઈએ આપ્યું હતું નિવેદન

ચૂંટણીનો માહોલ ગરમાયો છે.... ચૂંટણી પ્રચારના પડઘમ શાંત આજે થઈ જવાના છે.. ચૂંટણી પ્રચારના પડઘમ તો શાંત થઈ જશે પરંતુ પ્રચાર દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે... એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ કોળી સમાજના લોકો પણ રોષે ભરાયા છે... કોળી સમાજને લઈ કનુ દેસાઈએ એક નિવેદન આપ્યું હતું.. 


પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે... 

પહેલા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં ભાજપ સામે પડવાની વાત કરી હતી. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જે બોટાદના ગઢડાનો છે જ્યાં મંત્રી કનુ દેસાઇ સામે કોળી સમાજે રોષ વ્યક્ત કરતાં હવન કર્યો હતો. કોળી સમાજના લોકો દ્વારા હવન કરવામાં આવ્યો ઉપરાંત કનુ દેસાઇને બુદ્ધિ આપોના નારા પણ લગાવામાં આવ્યા.. વલસાડમાં કનુ દેસાઇના કોળી પટેલ પરના વિવાદિત નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ છે.  



કોળી સમાજ દ્વારા કરવામાં આવી પત્રકાર પરિષદ

કનુભાઇ દેસાઇ જો માફી નહીં માંગે તો હવે એમની સામે કોળી સમાજ છે તેવી વાત પણ કોળી સમાજ દ્વારા કહેવામાં આવી છે. કોળી સમાજના આગેવાન મુન્ના બાવળિયાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે કહ્યું કે અમે ખોબલે ખોબલે ભાજપને જ મત આપ્યા છતાં અમારું જ અપમાન કેમ કર્યું? કનુ દેસાઈએ જેમ જાહેર મંચથી અપમાન કર્યું એમ જ જાહેરમાં માફી માંગે. ભાજપે કડકમાં કડક કાર્યવાહી પણ કરવી જોઈએ. કોળી સમાજ પાસે મતની તાકાત ખૂબ મોટી છે.' 



નેતઓ સમાજને લઈ નિવેદન આપે છે જેને કારણે વિવાદ થાય છે..!

હવે ચૂંટણી આવતા સુધી નેતાઓ મંચ પર જ્ઞાતિ આધારિત કોઈ ટિપ્પણી ના કરે તો સારું છે કારણ કે આ ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચા આવા વિવાદિત નિવેદનની જ થઈ છે નેતાઓ કોઈ જ્ઞાતિના લોકોને ખુશ કરવા બીજી જ્ઞાતિ વિશે આવું બોલી જતાં હોય છે ને પછી થાય છે વિવાદ માફી ને આંદોલન...ત્યારે  જોવું રહ્યું કે આ ચૂંટણીમાં  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."