હવે કોળી સમાજ મેદાને? મંત્રી કનુ દેસાઈના નિવેદનનો કોળી સમાજે કર્યો વિરોધ! ભાજપને હરાવવાની ચિમકી આપી! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-05 10:57:43

ગુજરાતમાં નેતાઓ છેલ્લા થોડા સમયથી એવા નિવેદનો આપી રહ્યા છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ તો થઈ રહ્યો હતો ત્યારે મંત્રી કનુ દેસાઈ દ્વારા કોળી સમાજને લઈ નિવેદન આપવામાં આવ્યું. જેને લઈ કોળી સમાજના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કનુ દેસાઈએ કહ્યું હતુ કે કોળીયા કુટાય અને ધોળી ચૂંટાય. આ નિવેદન બાદ વિવાદ થયો હતો જે બાદ કોળી સમાજે ભાજપ સામે પડવાની પણ વાત કરી હતી. 

કોળી સમાજને લઈ કનુ દેસાઈએ આપ્યું હતું નિવેદન

ચૂંટણીનો માહોલ ગરમાયો છે.... ચૂંટણી પ્રચારના પડઘમ શાંત આજે થઈ જવાના છે.. ચૂંટણી પ્રચારના પડઘમ તો શાંત થઈ જશે પરંતુ પ્રચાર દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે... એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ કોળી સમાજના લોકો પણ રોષે ભરાયા છે... કોળી સમાજને લઈ કનુ દેસાઈએ એક નિવેદન આપ્યું હતું.. 


પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે... 

પહેલા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં ભાજપ સામે પડવાની વાત કરી હતી. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જે બોટાદના ગઢડાનો છે જ્યાં મંત્રી કનુ દેસાઇ સામે કોળી સમાજે રોષ વ્યક્ત કરતાં હવન કર્યો હતો. કોળી સમાજના લોકો દ્વારા હવન કરવામાં આવ્યો ઉપરાંત કનુ દેસાઇને બુદ્ધિ આપોના નારા પણ લગાવામાં આવ્યા.. વલસાડમાં કનુ દેસાઇના કોળી પટેલ પરના વિવાદિત નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ છે.  



કોળી સમાજ દ્વારા કરવામાં આવી પત્રકાર પરિષદ

કનુભાઇ દેસાઇ જો માફી નહીં માંગે તો હવે એમની સામે કોળી સમાજ છે તેવી વાત પણ કોળી સમાજ દ્વારા કહેવામાં આવી છે. કોળી સમાજના આગેવાન મુન્ના બાવળિયાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે કહ્યું કે અમે ખોબલે ખોબલે ભાજપને જ મત આપ્યા છતાં અમારું જ અપમાન કેમ કર્યું? કનુ દેસાઈએ જેમ જાહેર મંચથી અપમાન કર્યું એમ જ જાહેરમાં માફી માંગે. ભાજપે કડકમાં કડક કાર્યવાહી પણ કરવી જોઈએ. કોળી સમાજ પાસે મતની તાકાત ખૂબ મોટી છે.' 



નેતઓ સમાજને લઈ નિવેદન આપે છે જેને કારણે વિવાદ થાય છે..!

હવે ચૂંટણી આવતા સુધી નેતાઓ મંચ પર જ્ઞાતિ આધારિત કોઈ ટિપ્પણી ના કરે તો સારું છે કારણ કે આ ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચા આવા વિવાદિત નિવેદનની જ થઈ છે નેતાઓ કોઈ જ્ઞાતિના લોકોને ખુશ કરવા બીજી જ્ઞાતિ વિશે આવું બોલી જતાં હોય છે ને પછી થાય છે વિવાદ માફી ને આંદોલન...ત્યારે  જોવું રહ્યું કે આ ચૂંટણીમાં  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.