NSA અજીત ડોભાલે આતંકવાદ અને ઈસ્લામ પર જે કહ્યું તે ઘણા લોકોને ખટકશે, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-07-12 21:51:43

વિશ્વના એક મોટા મુસ્લિમ નેતા હાલ ભારતના પ્રવાસે છે. નામ છે મોહમ્મદ બિન અબ્દુલ કરીમ અલ-ઈસા. તેઓ સાઉદી અરબના પૂર્વ કાયદા મંત્રી અને મુસલમાનોના અગ્રણી સંગઠન મુસ્લિમ વર્લ્ડ લીગ  (MWL) ના મહાસચિવ છે. મોહમ્મદ બિન અબ્દુલ કરીમ અલ-ઈસા હાલ છ દિવસના ભારતના પ્રવાસે આવ્યા છે. તેઓ નવી દિલ્હીમાં રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર (NSA) અજીત દોભાલ સાથે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન દોભાલે કહ્યું કે આતંકવાદ કોઈ પણ ધર્મ સાથે સંકડાયેલો નથી, કેટલાક લોકો ગેરમાર્ગે જતા રહે છે ત્યારે આધ્યાત્મિક અને ધાર્મિક નેતાઓનું એ કર્તવ્ય છે કે હિંસાનો માર્ગ અપનાવનારા કોઈ પણ વ્યક્તિનો જોરદાર રીતે વિરોધ કરે. દોભાલે તેમ પણ કહ્યું કે અલ-ઈસાના પ્રયાસોથી કટ્ટરવાદને રોકવામાં મદદ મળે છે.


ભારતમાં કોઈ ધર્મ પર ખતરો નથી


આ કાર્યક્રમ ગઈકાલે દિલ્હીના ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટરમાં થયો હતો જ્યાં તેમણે વક્તવ્ય આપ્યું હતું જેમાં તેમણે ભાષણ આપતા કહ્યું કે "ભારતએ સંસ્કૃતિઓ અને ધર્મોનું મિશ્રણ છે જે સદીઓથી સદભાવનાની સાથે અસ્તિત્વમાં છે. દેશમાં ધાર્મિક સમુહો વચ્ચે ઈસ્લામ મહત્વપૂર્ણ અને ગૌરવનું સ્થાન રાખે છે. ભારતમાં કોઈ ધર્મ ખતરામાં નથી... ભારતમાં તમામ સમસ્યાઓના હલ માટે સહનશીલતા, વાતચીત અને સહયોગને પ્રોત્સાહન આપે છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર પણ છે. તે લોકતંત્રની જનની હોવાની સાથે વિવિધતાની પણ ભૂમિ પણ છે. ભારત તેના તમામ નાગરિકોને તેમની ધાર્મિક, જાતીય અને સાંસ્કૃતિક ઓળખની ચિંતા કર્યા વગર જ તેમનું સન્માન કરવામાં સફળ રહ્યું છે."  


"ભારતમાં દુનિયાની બીજી સૌથી મોટી મુસ્લીમ આબાદી રહે છે અને આ ભૂમિ ઈસ્લામની ગરીમાને યથાવત રાખનારી જગ્યા છે. ભારતની મુસ્લીમ વસ્તી એટલી મોટી છે જેટલી ઈસ્લામિક સહયોગ સંગઠનના 33 દેશની કુલ વસ્તી છે. આવું એટલા માટે સંભવ છે કારણ કે ભારતે વિશ્વના બધા વિચારો, અલગ અલગ સંસ્કૃતિઓ, ધર્મોને ખુલા દિલથી સ્વાગત કર્યા છે અને સ્વીકાર્યા છે. ભારત દુનિયાના તમામ ધર્મોના સતાવેલા લોકો માટે એક ઘરના સ્વરૂપમાં ઉભર્યું છે."


દોભાલે અલ-ઈસાની આ રીતે કરી પ્રશંસા


"તમારી ઈસ્લામ અને દુનિયાના અન્ય ધર્મો અંગેની ઉંડી સમજ, વિવિધ ધર્મો વચ્ચના સદભાવ માટે તમારા પ્રયાસ અને સુધારાના માર્ગે સતત આગળ વધવાના તમારા સાહસે માત્ર ઈસ્લામ અંગે લોકોની સમજણને વધારી નથી પણ કટ્ટરવાદને પણ રોક્યો છે. તેણે તે કટ્ટરપંથી વિચારધારાઓને પણ રોકી છે જે યુવાનોને પરેશાન કરી રહી છે". 


સાઉદી સાથેના સંબંધોની પ્રશંસા કરી


NSA ડોભાલે તેમના સંબોધનમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના મજબૂત સંબંધોની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો સહિયારી સાંસ્કૃતિક વારસો, સમાન મૂલ્યો અને આર્થિક સંબંધો પર આધારિત છે. તેમના મતે, બંને દેશોના નેતાઓ ભવિષ્ય માટે એક સમાન વિઝન ધરાવે છે અને એકબીજા સાથે સતત વાતચીતમાં છે. 


અલ-ઈસાએ ભારત માટે શું કહ્યું?


અલ-ઈસાએ કહ્યું કે ભારતના મુસ્લિમોને ભારતીય હોવા પર ગર્વ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,'અમે જાણીએ છીએ કે મુસ્લિમો ભારતની વિવિધતાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ભારતના મુસ્લિમોને ભારતીય હોવાનો ગર્વ છે. ધર્મ સહકારનું માધ્યમ બની શકે છે. અમે સમજણ વિકસાવવા માટે દરેક સાથે વાત કરવા તૈયાર છીએ. ભારતે માનવતા માટે ઘણું કર્યું છે. ભારત વિશ્વમાં સહઅસ્તિત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતના ગૌરવશાળી ઈતિહાસની પ્રશંસા કરતા મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલે કહ્યું, 'અમે ભારતના ઈતિહાસ અને વિવિધતાની પ્રશંસા કરીએ છીએ... વિવિધતામાં એકતા એ વધુ સારો માર્ગ છે. હિન્દુ સમુદાયમાં મારા ઘણા મિત્રો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.