NSA અજીત ડોભાલે આતંકવાદ અને ઈસ્લામ પર જે કહ્યું તે ઘણા લોકોને ખટકશે, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-07-12 21:51:43

વિશ્વના એક મોટા મુસ્લિમ નેતા હાલ ભારતના પ્રવાસે છે. નામ છે મોહમ્મદ બિન અબ્દુલ કરીમ અલ-ઈસા. તેઓ સાઉદી અરબના પૂર્વ કાયદા મંત્રી અને મુસલમાનોના અગ્રણી સંગઠન મુસ્લિમ વર્લ્ડ લીગ  (MWL) ના મહાસચિવ છે. મોહમ્મદ બિન અબ્દુલ કરીમ અલ-ઈસા હાલ છ દિવસના ભારતના પ્રવાસે આવ્યા છે. તેઓ નવી દિલ્હીમાં રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર (NSA) અજીત દોભાલ સાથે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન દોભાલે કહ્યું કે આતંકવાદ કોઈ પણ ધર્મ સાથે સંકડાયેલો નથી, કેટલાક લોકો ગેરમાર્ગે જતા રહે છે ત્યારે આધ્યાત્મિક અને ધાર્મિક નેતાઓનું એ કર્તવ્ય છે કે હિંસાનો માર્ગ અપનાવનારા કોઈ પણ વ્યક્તિનો જોરદાર રીતે વિરોધ કરે. દોભાલે તેમ પણ કહ્યું કે અલ-ઈસાના પ્રયાસોથી કટ્ટરવાદને રોકવામાં મદદ મળે છે.


ભારતમાં કોઈ ધર્મ પર ખતરો નથી


આ કાર્યક્રમ ગઈકાલે દિલ્હીના ઈન્ડિયા ઈસ્લામિક કલ્ચરલ સેન્ટરમાં થયો હતો જ્યાં તેમણે વક્તવ્ય આપ્યું હતું જેમાં તેમણે ભાષણ આપતા કહ્યું કે "ભારતએ સંસ્કૃતિઓ અને ધર્મોનું મિશ્રણ છે જે સદીઓથી સદભાવનાની સાથે અસ્તિત્વમાં છે. દેશમાં ધાર્મિક સમુહો વચ્ચે ઈસ્લામ મહત્વપૂર્ણ અને ગૌરવનું સ્થાન રાખે છે. ભારતમાં કોઈ ધર્મ ખતરામાં નથી... ભારતમાં તમામ સમસ્યાઓના હલ માટે સહનશીલતા, વાતચીત અને સહયોગને પ્રોત્સાહન આપે છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર પણ છે. તે લોકતંત્રની જનની હોવાની સાથે વિવિધતાની પણ ભૂમિ પણ છે. ભારત તેના તમામ નાગરિકોને તેમની ધાર્મિક, જાતીય અને સાંસ્કૃતિક ઓળખની ચિંતા કર્યા વગર જ તેમનું સન્માન કરવામાં સફળ રહ્યું છે."  


"ભારતમાં દુનિયાની બીજી સૌથી મોટી મુસ્લીમ આબાદી રહે છે અને આ ભૂમિ ઈસ્લામની ગરીમાને યથાવત રાખનારી જગ્યા છે. ભારતની મુસ્લીમ વસ્તી એટલી મોટી છે જેટલી ઈસ્લામિક સહયોગ સંગઠનના 33 દેશની કુલ વસ્તી છે. આવું એટલા માટે સંભવ છે કારણ કે ભારતે વિશ્વના બધા વિચારો, અલગ અલગ સંસ્કૃતિઓ, ધર્મોને ખુલા દિલથી સ્વાગત કર્યા છે અને સ્વીકાર્યા છે. ભારત દુનિયાના તમામ ધર્મોના સતાવેલા લોકો માટે એક ઘરના સ્વરૂપમાં ઉભર્યું છે."


દોભાલે અલ-ઈસાની આ રીતે કરી પ્રશંસા


"તમારી ઈસ્લામ અને દુનિયાના અન્ય ધર્મો અંગેની ઉંડી સમજ, વિવિધ ધર્મો વચ્ચના સદભાવ માટે તમારા પ્રયાસ અને સુધારાના માર્ગે સતત આગળ વધવાના તમારા સાહસે માત્ર ઈસ્લામ અંગે લોકોની સમજણને વધારી નથી પણ કટ્ટરવાદને પણ રોક્યો છે. તેણે તે કટ્ટરપંથી વિચારધારાઓને પણ રોકી છે જે યુવાનોને પરેશાન કરી રહી છે". 


સાઉદી સાથેના સંબંધોની પ્રશંસા કરી


NSA ડોભાલે તેમના સંબોધનમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના મજબૂત સંબંધોની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો સહિયારી સાંસ્કૃતિક વારસો, સમાન મૂલ્યો અને આર્થિક સંબંધો પર આધારિત છે. તેમના મતે, બંને દેશોના નેતાઓ ભવિષ્ય માટે એક સમાન વિઝન ધરાવે છે અને એકબીજા સાથે સતત વાતચીતમાં છે. 


અલ-ઈસાએ ભારત માટે શું કહ્યું?


અલ-ઈસાએ કહ્યું કે ભારતના મુસ્લિમોને ભારતીય હોવા પર ગર્વ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,'અમે જાણીએ છીએ કે મુસ્લિમો ભારતની વિવિધતાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ભારતના મુસ્લિમોને ભારતીય હોવાનો ગર્વ છે. ધર્મ સહકારનું માધ્યમ બની શકે છે. અમે સમજણ વિકસાવવા માટે દરેક સાથે વાત કરવા તૈયાર છીએ. ભારતે માનવતા માટે ઘણું કર્યું છે. ભારત વિશ્વમાં સહઅસ્તિત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતના ગૌરવશાળી ઈતિહાસની પ્રશંસા કરતા મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલે કહ્યું, 'અમે ભારતના ઈતિહાસ અને વિવિધતાની પ્રશંસા કરીએ છીએ... વિવિધતામાં એકતા એ વધુ સારો માર્ગ છે. હિન્દુ સમુદાયમાં મારા ઘણા મિત્રો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.