અજિત ડોભાલે એવા પાસા ફેંક્યા કે ટ્રમ્પકાકાને ઊંઘ નઈ આવે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-08 16:39:33

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

Image

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ હવે ભારત પર લગાવેલા ટેરીફનું પ્રમાણ ૫૦ ટકાએ પહોંચી ચૂક્યું છે . ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને રશિયન ઓઇલની આયાત બંધ કરવા માટે બરાબર દબાણ બનાવી રહ્યા છે ત્યારે , ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની રાજધાની મોસ્કોની મુલાકાતે છે . જયારે NSA અજિત ડોભાલની મુલાકાત રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે થઈ છે . આ સમગ્ર બાબતની જાણકારી , રશિયાની સ્ટેટ રન ન્યુઝ એજન્સી RIA દ્વારા આપવામાં આવી હતી . બેઉ દેશોના અધિકારીઓ વચ્ચે "સ્ટ્રેટેજિક પાર્ટનશીપ"ના કમિટમેન્ટને લઇને ભાર મુકવામાં આવ્યો હતો. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ વચ્ચે ભારતે રશિયન ઓઈલની આયાત ચાલુ જ રાખી છે . 

Image

NSA અજિત ડોભાલની મુલાકાત રશિયાના સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી શેરગઇ શોઇગુ સાથે થઇ હતી . આ ઉપરાંત આ બેઠકમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ પર પર ખુબ ગહન ચર્ચા થઇ છે. આ વર્ષના અંતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવી શકે છે જે ૨૦૨૨ના રશિયા અને યુક્રેન યુદ્ધ પછીનો આ પેહલો ભારત પ્રવાસ હશે . રશિયાના સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી શેરગઇ શોઇગુએ NSA અજિત ડોભાલની આ મુલાકાતને લઇને કહ્યું છે કે , " રશિયા ભારત સાથે સમાન વ્લર્ડ ઓર્ડર બનાવવા માટે ઉંડાણપૂર્વકનો સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છે. ભારત સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ મજબૂત કરવી તે રશિયાની ટોપ પ્રાયોરિટી છે  જે પરસ્પર ભરોસો , મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ અને એકબીજાના હિતોને અનુરૂપ છે. " ગયા અઠવાડીએ , રશિયાએ ભારતની તરફેણમાં નિવેદન આપ્યું હતું કે , " સોવેરીન દેશોને ટ્રેડ પાર્ટનર શોધવાનો અધિકાર છે." હવે વાત કરીએ , રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસની , બેઉ દેશોના નેતાઓનો આ પરસ્પર પ્રવાસ , ભારત અને રશિયા વચ્ચેના પ્રોટોકોલનો ભાગ છે . જોકે , ૨૦૨૨માં રશિયા યુક્રેન યુદ્ધના શરુ થવા સાથે , આ પ્રોટોકોલ અટકી ગયો હતો .પરંતુ તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ , લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓ પછી પેહલા દ્વિપક્ષીય પ્રવાસના ભાગરૂપે જુલાઈ ૨૦૨૪માં રશિયાની મુલાકાત લીધી હતી .  પીએમ મોદીના જુલાઈ ૨૦૨૪ના રશિયા પ્રવાસ દરમ્યાન ઇન્ડિયા - રશિયાની એન્યુઅલ સમિટ યોજાઈ હતી . 




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.