અજિત ડોભાલે એવા પાસા ફેંક્યા કે ટ્રમ્પકાકાને ઊંઘ નઈ આવે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-08 16:39:33

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

Image

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ હવે ભારત પર લગાવેલા ટેરીફનું પ્રમાણ ૫૦ ટકાએ પહોંચી ચૂક્યું છે . ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને રશિયન ઓઇલની આયાત બંધ કરવા માટે બરાબર દબાણ બનાવી રહ્યા છે ત્યારે , ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની રાજધાની મોસ્કોની મુલાકાતે છે . જયારે NSA અજિત ડોભાલની મુલાકાત રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે થઈ છે . આ સમગ્ર બાબતની જાણકારી , રશિયાની સ્ટેટ રન ન્યુઝ એજન્સી RIA દ્વારા આપવામાં આવી હતી . બેઉ દેશોના અધિકારીઓ વચ્ચે "સ્ટ્રેટેજિક પાર્ટનશીપ"ના કમિટમેન્ટને લઇને ભાર મુકવામાં આવ્યો હતો. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ વચ્ચે ભારતે રશિયન ઓઈલની આયાત ચાલુ જ રાખી છે . 

Image

NSA અજિત ડોભાલની મુલાકાત રશિયાના સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી શેરગઇ શોઇગુ સાથે થઇ હતી . આ ઉપરાંત આ બેઠકમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ પર પર ખુબ ગહન ચર્ચા થઇ છે. આ વર્ષના અંતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવી શકે છે જે ૨૦૨૨ના રશિયા અને યુક્રેન યુદ્ધ પછીનો આ પેહલો ભારત પ્રવાસ હશે . રશિયાના સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી શેરગઇ શોઇગુએ NSA અજિત ડોભાલની આ મુલાકાતને લઇને કહ્યું છે કે , " રશિયા ભારત સાથે સમાન વ્લર્ડ ઓર્ડર બનાવવા માટે ઉંડાણપૂર્વકનો સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છે. ભારત સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ મજબૂત કરવી તે રશિયાની ટોપ પ્રાયોરિટી છે  જે પરસ્પર ભરોસો , મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ અને એકબીજાના હિતોને અનુરૂપ છે. " ગયા અઠવાડીએ , રશિયાએ ભારતની તરફેણમાં નિવેદન આપ્યું હતું કે , " સોવેરીન દેશોને ટ્રેડ પાર્ટનર શોધવાનો અધિકાર છે." હવે વાત કરીએ , રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસની , બેઉ દેશોના નેતાઓનો આ પરસ્પર પ્રવાસ , ભારત અને રશિયા વચ્ચેના પ્રોટોકોલનો ભાગ છે . જોકે , ૨૦૨૨માં રશિયા યુક્રેન યુદ્ધના શરુ થવા સાથે , આ પ્રોટોકોલ અટકી ગયો હતો .પરંતુ તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ , લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓ પછી પેહલા દ્વિપક્ષીય પ્રવાસના ભાગરૂપે જુલાઈ ૨૦૨૪માં રશિયાની મુલાકાત લીધી હતી .  પીએમ મોદીના જુલાઈ ૨૦૨૪ના રશિયા પ્રવાસ દરમ્યાન ઇન્ડિયા - રશિયાની એન્યુઅલ સમિટ યોજાઈ હતી . 




ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?

જયારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે , ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ , ખાતર અને કેમિકલની આયાત કરે છે જયારે તમે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતની નિંદા કરો છો તો તમે શું કહેશો? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે , હું આ વિશે કશું જ જાણતો નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા નીક્કી હેલી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાએ ભારત સાથે સબંધો બગાડવા ના જોઈએ .

થોડાક સમય પેહલા સુપ્રીમ કોર્ટે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ફટકાર લગાવી હતી. કેમ કે , લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ પહેલા ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ ભારતની સેનાને લઇને ટિપ્પણીઓ કરી હતી , જેને કારણે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યું હતું કે , "જો તમે સાચા ભારતીય હોત તો તમે આવું ના કરત." તો હવે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટ વિશે કહ્યું છે કે , "કોણ સાચું ભારતીય છે , કોણ નથી એ ન્યાયપાલિકાના દાયરામાં નથી. જજ નક્કી ના કરી શકે." આમ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો જવાબ આપ્યો છે.