અજિત ડોભાલે એવા પાસા ફેંક્યા કે ટ્રમ્પકાકાને ઊંઘ નઈ આવે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-08 16:39:33

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

Image

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ હવે ભારત પર લગાવેલા ટેરીફનું પ્રમાણ ૫૦ ટકાએ પહોંચી ચૂક્યું છે . ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને રશિયન ઓઇલની આયાત બંધ કરવા માટે બરાબર દબાણ બનાવી રહ્યા છે ત્યારે , ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની રાજધાની મોસ્કોની મુલાકાતે છે . જયારે NSA અજિત ડોભાલની મુલાકાત રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે થઈ છે . આ સમગ્ર બાબતની જાણકારી , રશિયાની સ્ટેટ રન ન્યુઝ એજન્સી RIA દ્વારા આપવામાં આવી હતી . બેઉ દેશોના અધિકારીઓ વચ્ચે "સ્ટ્રેટેજિક પાર્ટનશીપ"ના કમિટમેન્ટને લઇને ભાર મુકવામાં આવ્યો હતો. આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ વચ્ચે ભારતે રશિયન ઓઈલની આયાત ચાલુ જ રાખી છે . 

Image

NSA અજિત ડોભાલની મુલાકાત રશિયાના સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી શેરગઇ શોઇગુ સાથે થઇ હતી . આ ઉપરાંત આ બેઠકમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસ પર પર ખુબ ગહન ચર્ચા થઇ છે. આ વર્ષના અંતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવી શકે છે જે ૨૦૨૨ના રશિયા અને યુક્રેન યુદ્ધ પછીનો આ પેહલો ભારત પ્રવાસ હશે . રશિયાના સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી શેરગઇ શોઇગુએ NSA અજિત ડોભાલની આ મુલાકાતને લઇને કહ્યું છે કે , " રશિયા ભારત સાથે સમાન વ્લર્ડ ઓર્ડર બનાવવા માટે ઉંડાણપૂર્વકનો સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છે. ભારત સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ મજબૂત કરવી તે રશિયાની ટોપ પ્રાયોરિટી છે  જે પરસ્પર ભરોસો , મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ અને એકબીજાના હિતોને અનુરૂપ છે. " ગયા અઠવાડીએ , રશિયાએ ભારતની તરફેણમાં નિવેદન આપ્યું હતું કે , " સોવેરીન દેશોને ટ્રેડ પાર્ટનર શોધવાનો અધિકાર છે." હવે વાત કરીએ , રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારત પ્રવાસની , બેઉ દેશોના નેતાઓનો આ પરસ્પર પ્રવાસ , ભારત અને રશિયા વચ્ચેના પ્રોટોકોલનો ભાગ છે . જોકે , ૨૦૨૨માં રશિયા યુક્રેન યુદ્ધના શરુ થવા સાથે , આ પ્રોટોકોલ અટકી ગયો હતો .પરંતુ તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ , લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓ પછી પેહલા દ્વિપક્ષીય પ્રવાસના ભાગરૂપે જુલાઈ ૨૦૨૪માં રશિયાની મુલાકાત લીધી હતી .  પીએમ મોદીના જુલાઈ ૨૦૨૪ના રશિયા પ્રવાસ દરમ્યાન ઇન્ડિયા - રશિયાની એન્યુઅલ સમિટ યોજાઈ હતી . 




સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.