ઓડિશા ટ્રેન દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં PIL, નિવૃત્ત SC ન્યાયાધીશની દેખરેખ હેઠળ તપાસની કરાઈ માંગ


  • Published By :
  • Published Date : 2023-06-04 17:10:46

ઓડિશા ટ્રેન દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ દુર્ઘટનાની તપાસ અંગે કોર્ટમાં  PIL દાખલ કરવામાં આવી છે. આ PIL એડવોકેટ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. PILમાં માંગ કરવામાં આવી હતી કે, “રેલવે સિસ્ટમમાં વર્તમાન જોખમ અને સુરક્ષા માપદંડોનું વિશ્લેષણ અને સમીક્ષા કરે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં નિષ્ણાત પેનલની રચના કરવામાં આવે. PIL એ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલ્વેમાં તાત્કાલિક અસરથી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ (કવચ સુરક્ષા સિસ્ટમ તરીકે ઓળખાતી) ના અમલીકરણ માટે માર્ગદર્શિકા જારી કરવાની પણ માંગ કરી છે.


 275 લોકોના મોત, 1175 લોકો ઘાયલ


ઓડિશા ટ્રેન દુર્ઘટના ઓડિશાના બાહાનાગા બજાર સ્ટેશન પર ત્રણ ટ્રેનો બેંગ્લોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે આ દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે, જ્યારે  આ અકસ્માતમાં 1175 લોકો ઘાયલ થયા છે. જેમાં 793 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. 


ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કારણે સર્જાઈ દુર્ઘટના  


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અકસ્માતનું કારણ જાણી લેવામાં આવ્યું છે. તપાસનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે. અકસ્માત માટે જવાબદારોની ઓળખ કરી લેવામાં આવી છે. આ તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કમિશનર ઓફ રેલ્વે સેફટીએ તપાસ હાથ ધરી છે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો હતો.

 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.