ઓડિશા ટ્રેન દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં PIL, નિવૃત્ત SC ન્યાયાધીશની દેખરેખ હેઠળ તપાસની કરાઈ માંગ


  • Published By :
  • Published Date : 2023-06-04 17:10:46

ઓડિશા ટ્રેન દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ દુર્ઘટનાની તપાસ અંગે કોર્ટમાં  PIL દાખલ કરવામાં આવી છે. આ PIL એડવોકેટ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. PILમાં માંગ કરવામાં આવી હતી કે, “રેલવે સિસ્ટમમાં વર્તમાન જોખમ અને સુરક્ષા માપદંડોનું વિશ્લેષણ અને સમીક્ષા કરે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં નિષ્ણાત પેનલની રચના કરવામાં આવે. PIL એ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલ્વેમાં તાત્કાલિક અસરથી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ (કવચ સુરક્ષા સિસ્ટમ તરીકે ઓળખાતી) ના અમલીકરણ માટે માર્ગદર્શિકા જારી કરવાની પણ માંગ કરી છે.


 275 લોકોના મોત, 1175 લોકો ઘાયલ


ઓડિશા ટ્રેન દુર્ઘટના ઓડિશાના બાહાનાગા બજાર સ્ટેશન પર ત્રણ ટ્રેનો બેંગ્લોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે આ દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે, જ્યારે  આ અકસ્માતમાં 1175 લોકો ઘાયલ થયા છે. જેમાં 793 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. 


ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કારણે સર્જાઈ દુર્ઘટના  


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અકસ્માતનું કારણ જાણી લેવામાં આવ્યું છે. તપાસનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે. અકસ્માત માટે જવાબદારોની ઓળખ કરી લેવામાં આવી છે. આ તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કમિશનર ઓફ રેલ્વે સેફટીએ તપાસ હાથ ધરી છે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો હતો.

 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.