ઓડિશા ટ્રેન દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં PIL, નિવૃત્ત SC ન્યાયાધીશની દેખરેખ હેઠળ તપાસની કરાઈ માંગ


  • Published By :
  • Published Date : 2023-06-04 17:10:46

ઓડિશા ટ્રેન દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ દુર્ઘટનાની તપાસ અંગે કોર્ટમાં  PIL દાખલ કરવામાં આવી છે. આ PIL એડવોકેટ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. PILમાં માંગ કરવામાં આવી હતી કે, “રેલવે સિસ્ટમમાં વર્તમાન જોખમ અને સુરક્ષા માપદંડોનું વિશ્લેષણ અને સમીક્ષા કરે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં નિષ્ણાત પેનલની રચના કરવામાં આવે. PIL એ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલ્વેમાં તાત્કાલિક અસરથી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ (કવચ સુરક્ષા સિસ્ટમ તરીકે ઓળખાતી) ના અમલીકરણ માટે માર્ગદર્શિકા જારી કરવાની પણ માંગ કરી છે.


 275 લોકોના મોત, 1175 લોકો ઘાયલ


ઓડિશા ટ્રેન દુર્ઘટના ઓડિશાના બાહાનાગા બજાર સ્ટેશન પર ત્રણ ટ્રેનો બેંગ્લોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે આ દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે, જ્યારે  આ અકસ્માતમાં 1175 લોકો ઘાયલ થયા છે. જેમાં 793 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. 


ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કારણે સર્જાઈ દુર્ઘટના  


રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અકસ્માતનું કારણ જાણી લેવામાં આવ્યું છે. તપાસનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે. અકસ્માત માટે જવાબદારોની ઓળખ કરી લેવામાં આવી છે. આ તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કમિશનર ઓફ રેલ્વે સેફટીએ તપાસ હાથ ધરી છે. ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો હતો.

 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.