ઓડિશા ટ્રેન દુર્ઘટના : બાલાસોર પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઘટના સ્થળ પર કરી સમીક્ષા, ઘાયલો સાથે કરી મુલાકાત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-03 18:52:51

શુક્રવાર રાત્રે ઓડિશામાં એક દુર્ઘટના ઘટી હતી. ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 200થી વધારે લોકોના મોત થઈ ગયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાને લઈ અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. મમતા બેનર્જીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવાર બપોરે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. હોસ્પિટલમાં ઘાયલોને  મળવા પણ પહોંચ્યા હતા. પીએમ મોદી સ્થળ મુલાકાત લે તે પહેલા આ ઘટનાને લઈ ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.

      

બ્લડ ડોનેટ કરવા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચ્યા!

ઓડિશામાં થયેલી રેલવે દુર્ઘટનાને લઈ તમામ લોકો દુ:ખી થયા હતા અને વિચલીત પણ થયા હતા. 200થી વધારે લોકોના મોત આ રેલવે દુર્ઘટનામાં થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુની ટીમ દ્વારા બચાવની કામગીરી કરવામાં આવી, સારવાર માટે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્લડને લઈ સારવાર ન અટકે તે માટે મોટી સંખ્યામાં લોકો લોહી ડોનેટ કરવા હોસ્પિટલ પહોંચ્યા હતા. મમતા બેનર્જીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. કેન્દ્ર સરકાર પણ આ મામલે એક્ટિવ દેખાઈ રહી છે. ઘટનાસ્થળની મુલાકાત લેવા અશ્વિની વૈષ્ણવ પહોંચ્યા હતા. ત્યારે પીએમ મોદી પણ બાસાલોર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું.

દોષિતોને આકરી સજા આપવામાં આવશે - પીએમ મોદી 

ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ ઘાયલોની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું કે કેટલાક લોકો, જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, આ એક દુઃખદ ઘટના છે. જે લોકો ઘાયલ થયા છે તેમની મદદ કરવામાં સરકાર કોઈ કસર છોડશે નહીં. સરકાર પીડિત પરિવારોના દુઃખમાં તેમની સાથે છે. તેમણે કહ્યું કે, આ ઘટના સરકાર માટે ખૂબ જ ગંભીર છે. દરેક સ્તરની તપાસ માટે સૂચનાઓ આપવામાં આવી છે. દોષિતોને આકરી સજા આપવામાં આવશે. તેને છોડમાં આવશે નહીં.    


જમાવટ ઈલેક્શન યાત્રા જૂનાગઢ પહોંચી હતી. સોમનાથ બિચ પર ઉપસ્થિત લોકોનો મત જાણવાનો જમાવટની ટીમે પ્રયાસ કર્યો હતો.. મતદાતાઓને કયા મુદ્દાઓ પર અસર કરે છે તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

ગુજરાતમાં ચૂંટણી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. સાતમી એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. ત્યારે પીએમ મોદી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરવા આવવાના છે. અલગ અલગ જગ્યાઓ પર પ્રચાર કરવાના છે.

ફૂટબોલ ગેમને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતમાં જીએસએલનું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગમાં 6 ટીમો વચ્ચે મુકાબલો થવાનો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.