ઓડિશા ટ્રેન દુર્ઘટના : બાલાસોર પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઘટના સ્થળ પર કરી સમીક્ષા, ઘાયલો સાથે કરી મુલાકાત!


  • Published By :
  • Published Date : 2023-06-03 18:52:51

શુક્રવાર રાત્રે ઓડિશામાં એક દુર્ઘટના ઘટી હતી. ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 200થી વધારે લોકોના મોત થઈ ગયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાને લઈ અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. મમતા બેનર્જીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવાર બપોરે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. હોસ્પિટલમાં ઘાયલોને  મળવા પણ પહોંચ્યા હતા. પીએમ મોદી સ્થળ મુલાકાત લે તે પહેલા આ ઘટનાને લઈ ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.

      

બ્લડ ડોનેટ કરવા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચ્યા!

ઓડિશામાં થયેલી રેલવે દુર્ઘટનાને લઈ તમામ લોકો દુ:ખી થયા હતા અને વિચલીત પણ થયા હતા. 200થી વધારે લોકોના મોત આ રેલવે દુર્ઘટનામાં થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુની ટીમ દ્વારા બચાવની કામગીરી કરવામાં આવી, સારવાર માટે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્લડને લઈ સારવાર ન અટકે તે માટે મોટી સંખ્યામાં લોકો લોહી ડોનેટ કરવા હોસ્પિટલ પહોંચ્યા હતા. મમતા બેનર્જીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. કેન્દ્ર સરકાર પણ આ મામલે એક્ટિવ દેખાઈ રહી છે. ઘટનાસ્થળની મુલાકાત લેવા અશ્વિની વૈષ્ણવ પહોંચ્યા હતા. ત્યારે પીએમ મોદી પણ બાસાલોર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું.

દોષિતોને આકરી સજા આપવામાં આવશે - પીએમ મોદી 

ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ ઘાયલોની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું કે કેટલાક લોકો, જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, આ એક દુઃખદ ઘટના છે. જે લોકો ઘાયલ થયા છે તેમની મદદ કરવામાં સરકાર કોઈ કસર છોડશે નહીં. સરકાર પીડિત પરિવારોના દુઃખમાં તેમની સાથે છે. તેમણે કહ્યું કે, આ ઘટના સરકાર માટે ખૂબ જ ગંભીર છે. દરેક સ્તરની તપાસ માટે સૂચનાઓ આપવામાં આવી છે. દોષિતોને આકરી સજા આપવામાં આવશે. તેને છોડમાં આવશે નહીં.    


અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.