ઓડિશા ટ્રેન દુર્ઘટના : બાલાસોર પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઘટના સ્થળ પર કરી સમીક્ષા, ઘાયલો સાથે કરી મુલાકાત!


  • Published By :
  • Published Date : 2023-06-03 18:52:51

શુક્રવાર રાત્રે ઓડિશામાં એક દુર્ઘટના ઘટી હતી. ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 200થી વધારે લોકોના મોત થઈ ગયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાને લઈ અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. મમતા બેનર્જીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવાર બપોરે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. હોસ્પિટલમાં ઘાયલોને  મળવા પણ પહોંચ્યા હતા. પીએમ મોદી સ્થળ મુલાકાત લે તે પહેલા આ ઘટનાને લઈ ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.

      

બ્લડ ડોનેટ કરવા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચ્યા!

ઓડિશામાં થયેલી રેલવે દુર્ઘટનાને લઈ તમામ લોકો દુ:ખી થયા હતા અને વિચલીત પણ થયા હતા. 200થી વધારે લોકોના મોત આ રેલવે દુર્ઘટનામાં થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુની ટીમ દ્વારા બચાવની કામગીરી કરવામાં આવી, સારવાર માટે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્લડને લઈ સારવાર ન અટકે તે માટે મોટી સંખ્યામાં લોકો લોહી ડોનેટ કરવા હોસ્પિટલ પહોંચ્યા હતા. મમતા બેનર્જીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. કેન્દ્ર સરકાર પણ આ મામલે એક્ટિવ દેખાઈ રહી છે. ઘટનાસ્થળની મુલાકાત લેવા અશ્વિની વૈષ્ણવ પહોંચ્યા હતા. ત્યારે પીએમ મોદી પણ બાસાલોર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું.

દોષિતોને આકરી સજા આપવામાં આવશે - પીએમ મોદી 

ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ ઘાયલોની મુલાકાત લીધી હતી. પીએમ મોદીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું કે કેટલાક લોકો, જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, આ એક દુઃખદ ઘટના છે. જે લોકો ઘાયલ થયા છે તેમની મદદ કરવામાં સરકાર કોઈ કસર છોડશે નહીં. સરકાર પીડિત પરિવારોના દુઃખમાં તેમની સાથે છે. તેમણે કહ્યું કે, આ ઘટના સરકાર માટે ખૂબ જ ગંભીર છે. દરેક સ્તરની તપાસ માટે સૂચનાઓ આપવામાં આવી છે. દોષિતોને આકરી સજા આપવામાં આવશે. તેને છોડમાં આવશે નહીં.    


અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.